________________
૫૩૨
કલશામૃત ભાગ-૫
વસ્તુનું સ્વરૂપ તેનો (સેવ્યાં) નિરંતર અનુભવ કરો. કેવા છે મોક્ષાર્થી જીવ ? ‘૩દ્દાત્તચિત્તવૃત્તિ: ’(વાત્ત) સંસાર-શરીર-ભોગથી રહિત છે ચિત્તવૃત્ત્તિ:) મનનો અભિપ્રાય જેમનો, એવા છે. કેવો છે તે પરમાર્થ ? ‘અહમ્ શુદ્ધ ચિન્મયમ્ જ્યોતિ: સદ્દા પૂર્વ અસ્મિ' (અહમ્) સ્વસંવેદનપ્રત્યક્ષ છું જે હું જીવદ્રવ્ય તે શુદ્ધ વિસ્મયમ્ જ્યોતિ:) શુદ્ધ જ્ઞાનસ્વરૂપ પ્રકાશ (સદ્દા) સર્વ કાળ (વૈં) નિશ્ચયથી (અસ્મિ) છું. તુ જે તે વિવિધા: ભાવા: તે અહં ન અસ્મિ' (તુ) એક વિશેષ છે – (જે તે વિવિધા: માવા:) શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સાથે અણમળતા છે જે રાગાદિ અશુદ્ધ ભાવ, શરીર આદિ, સુખદુઃખ આદિ નાના પ્રકારના અશુદ્ધ પર્યાયો, (તે અહં ન અસ્મિ) તે બધાં જીવદ્રવ્યસ્વરૂપ નથી. કેવા છે અશુદ્ધ ભાવ ? પૃથનક્ષા: ’મારા શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સાથે મળતા નથી. શા કારણથી ? યત: અત્ર તે સમગ્રા: અપિ મમ પરદ્રવ્ય' (યત:) કારણ કે (ત્રત્ર) નિજસ્વરૂપને અનુભવતાં, તે સમગ્રા: અપ) જેટાલ છે રાગાદિ અશુદ્ધ વિભાવપર્યાયો તે (મમ પરદ્રવ્ય) મને પરદ્રવ્યરૂપ છે. કેમ કે શુદ્ધ ચૈતન્યલક્ષણ સાથે મળતા નથી; તેથી સમસ્ત વિભાવપરિણામ હેય છે. ૬-૧૮૫.
પોષ સુદ ૬, શનિવાર તા. ૧૪-૦૧-૧૯૭૮.
કળશ-૧૮૫ પ્રવચન-૨૦૩
કળશટીકા' ૧૮૫ કળશ છે. ૧૮૫ કળશ છે ને ?
सिद्धान्तोऽयमुदात्तचित्तचरितैर्मोक्षार्थिभिः सेव्यतां शुद्धं चिन्मयमेकमेव परमं ज्योतिः सदैवास्म्यहम् । एते ये तु समुल्लसन्ति विविधा भावा: पृथग्लक्षणास्तेऽहं नास्मि यतोऽत्र ते मम परद्रव्यं समग्रा अपि । ।६ - १८५ । ।
સૂક્ષ્મ વાત છે, અનંત કાળથી કર્યું નથી. અનંત કાળથી પરિભ્રમણ કરતાં કરતાં પુણ્ય અને પાપ, શુભ અને અશુભ ભાવ અનંત વા૨ કર્યાં. જેને શુભ કર્મ કહે છે, એવા દયા દાન, વ્રત, ભક્તિ, પૂજા પણ અનંત વાર કર્યા પણ એ તો રાગ છે. તેનાથી કંઈ જન્મમરણનો અંત નથી આવતો. આહા..હા...! અહીંયાં તો જન્મ-મરણનો અંત લાવવાની, ધર્મની ચીજ જેનો અંત અનંત આનંદરૂપી મુક્તિ પ્રાપ્ત થાય (તેની વાત છે). અનંત અતીન્દ્રિય