SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ કળશ-૧૮૪ પર૭ એ થયો. ૩૭ લાખનો ખર્ચ તો એ થયો. એ તો બધી ધૂળ છે. બહારની ચીજ એમ થાય છે, થવાવાળી થાય છે. આહા..હા...! ભાવ હોય તો એમાં શુભ છે. પણ એ પણ પુણ્ય છે, રાગ છે, ઝેર છે, નુકસાન કરનાર છે. આહા...હા...! વાત તો આવી બહુ આકરી છે, ભગવાન ! શું થાય ? અનંત અનંત કાળ ચોરાશી લાખ યોનિમાં અવતાર કરતાં કરતાં ચાલ્યો આવ્યો છે. મુમુક્ષુ – એકસાથે તો આત્માનો અનુભવ થતો નથી. | ઉત્તર :- અનુભવ એકસાથે થાય છે. જ્યારે કરે છે ત્યારે એકસાથે થાય છે. ક્રિયાકાંડ કરે તો થાય છે એમ નથી. એને પરની અપેક્ષા છે નહિ. સૂક્ષ્મ વાત છે. એ તો બધી ખબર છે. બધાનો ખ્યાલ છે. કરોડો શ્લોકો જોયા છે, કરોડો ગ્રંથ જોયા છે. આખી જિંદગી એમાં ગઈ છે. ૭૧ વર્ષથી. ૧૭ વર્ષથી બધા શાસ્ત્રોનો અભ્યાસ છે. ૭૧ વર્ષથી શાસ્ત્રનો અભ્યાસ છે ! અમે બીજું કાંઈ કર્યું જ નથી. પણ આ ચીજ અંદર આવી ત્યાં).. ઓ. હો...! સર્વ શાસ્ત્ર અભ્યાસ નિરર્થક છે. અહીંયાં આત્મા આનંદમૂર્તિ ભગવાન ! આહા...હા...! સૂક્ષ્મ છે, પ્રભુ ! એ સીધો જ (અનુભવમાં આવે છે). પહેલાં એનું જ્ઞાન થાય છે કે, આત્મા શું છે ? વિકાર શું છે ? ભાવકર્મ શું છે ? તેની ભિન્નતાનું જ્ઞાન થાય છે. પણ થાય છે પરની અપેક્ષા રાખ્યા વિના આત્માનો અનુભવ થાય છે. પોતાના આત્માના અનુભવમાં પરની કોઈ અપેક્ષા છે નહિ. એ સ્વતંત્ર કર્તા કરવાવાળો છે. કર્તા એને કહીએ, સ્વતંત્રપણે કરે તે કર્તા. તો પોતાનો અનુભવ સ્વતંત્રપણે કરે. રાગ અને નિમિત્તની, સત્ કર્મની અપેક્ષા વિના (અનુભવ કરે) તેનું નામ કર્તા – સ્વતંત્રપણે કરે એને) કહેવામાં આવે છે. બહુ ફેર છે, બહુ ફેર, બહુ ફેર છે, અમને ખબર છે. બહુ ફેર છે. આહાહા...! અહીંયાં કહે છે, “દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ સંબંધી પરિણામો” છે ? તે સમસ્ત પગલકર્મના છે,” એ તો બધા જડ છે, જડ. આત્મા નહિ. આહા..હા...! જેમ આ પુદ્ગલ માટી છે, માટી છે ને ? આ તો ધૂળ છે. એમ અંદર પુણ્ય-પાપના ભાવ છે. દયા, દાન, વ્રત, ભક્તિ આદિના (ભાવ છે) એ પણ પુગલ અચેતન (છે). એમાં ચૈતન્યના, જ્ઞાનસ્વરૂપ ચૈતન્યના તેજનો અંશ નથી. તે આંધળો છે. રાગાદિ થાય છે, ભગવાનની ભક્તિ, પૂજા થાય છે પણ એ આંધળો છે. એમાં ચૈતન્ય ચમત્કાર જાણનાર ભગવાનનો એક અંશ પણ રાગમાં છે નહિ. તો એ રાગ આંધળો છે અને ભગવાન ચૈતન્ય જાગૃત છે. આહા..હા..! ભાઈ ! સમજાય છે ને ? આહા...હા...! “નાઈરોબીથી આવ્યા છે. “આફ્રિકા ! અહીંયાં ઘણા માણસો બહારથી આવે છે. અહીંયાં કહે છે, “તે સમસ્ત પુદ્ગલકર્મના છે, જીવના નથી.” છે ? છે ડૉક્ટર ? તે પગલકર્મના છે, જડના છે. ભાવ – પુણ્ય – દયા, દાન, વ્રત પરિણામ એ જડના છે,
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy