SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ કળશ-૧૮૪ ૫૧૭ વસ્તુ તો આ છે. ભલે એને માનનાર થોડા રહે, અરે..! બીજા ન પણ માને, એથી શું વસ્તુ તો આ છે. અને આનું નામ દિગંબર ધર્મ છે. સમજાણું કાંઈ ? ભાવી: તે પામ્ આહા...હા...! “શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સાથે અણમળતા.” અણમળતા બે વાર લેશે. કોણ અણમળતા ? એક તો જડકર્મ. શુદ્ધ ચૈતન્ય સાથે અણમળતા જડકર્મ. એની સાથે મેળ ખાતો નથી. ‘ભાવકર્મ...” શુભ-અશુભ દયા, દાનના વિકારના પરિણામ એ શુદ્ધ ચેતના સાથે અણમળતા ભાવ છે). આહાહા...! એની સાથે મેળ ખાતો નથી. આહા..હા.! શુદ્ધ ચેતનામાત્ર સ્વભાવની સાથે એ શુભ-અશુભ ભાવ મેળ ખાતા નથી. અણમળતા ભાવ છે. આવી વાત છે. નોકર્મ” (એટલે) શરીર. દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ સંબંધી પરિણામો પાછા એ ત્રણે પરિણામ, હોં ! તે પરેષા” “તે સમસ્ત પુગલકર્મના છે,” એ વ્યવહાર રત્નત્રયનો રાગ પુદ્ગલકર્મનો છે. ગજબ છે ને ! ભગવાનના (-આત્માના) નથી. આહા..હા...! આવું છે. વસ્તુ બહુ પેલી થઈ ગઈ. દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ સંબંધી પરિણામો” થયા ને? દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પરિણામો પણ... આહા...હા..! પુદ્ગલકર્મના છે. એમ અહીં તો કીધું. આના નથી તો આના છે, એમ કહેવું છે). ભગવાનનો તો જ્ઞાતા-દષ્ટા ચેતના દર્શન સ્વભાવ છે ને ! એની સાથે આ રાગાદિ અણમળતા છે. આને ચેતન કહેવો તો એને પુદ્ગલ કહેવા. આહા..હા..! અણમળતા છે એટલે ચેતન સાથે મળતા નથી. ચેતના સાથે મેળ ખાતા નથી તો એને અચેતન પુદ્ગલ કહેવા. આહાહા...! આ બધા વાંધા ઉઠે છે. તમારા સંપ્રદાયમાંથી આ બધો વાંધો ઉઠે છે. વસ્તુનું સ્વરૂપ જ આવું છે ને ! આ.હા...! જાણન-દેખન ચેતન સ્વભાવ, એની સાથે જે વિકલ્પ ઉઠે, ચાહે તો ભગવાનની ભક્તિનો (વિકલ્પ હો), એ અણમળતા પુદ્ગલકર્મ છે. આહા..હા..! ભક્તિવાળાને આકરું પડે. દેવગુરુની ભક્તિથી કલ્યાણ થાય ! એને આકરું પડે. શું થાય ? ભાઈ ! વસ્તુની મર્યાદા જ આ છે. આહાહા....! જાણન-દેખન સ્વભાવ, ત્રિકાળી ચેતન સ્વભાવ, એની સાથે રાગાદિ, શરીર તો નોકર્મ છે, કર્મ તો અજીવ છે પણ અહીં તો દયા, દાનના પરિણામ પણ પુગલકર્મ છે એમ કીધું છે. પુદ્ગલકના પરિણામ છે એમ પણ કીધું નથી. અહીં તો એ પુદ્ગલકર્મના છે (એમ કીધું છે). આહા...હા..! જીવના નથી. આ અસ્તિ-નાસ્તિ કરી. આ અનેકાન્ત છે. પેલા એમ કહે છે કે, વ્યવહારથી પણ થાય અને નિશ્ચયથી થાય, એ અનેકાન્ત છે. અહીં કહે છે કે, પોતાના સ્વભાવથી થાય અને પરથી ન થાય એ અનેકાન્ત છે. આહા...હા...! આવું છે. ન રુચે, ન ગોઠે. એ “જીવના નથી.” આહા...હા....! તો શું કરવું ? વિશેષ કહેશે... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy