SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ કળશ-૧૮૨ ४८७ ત્રિકાળીની વાત ચાલે છે. ચિનું ચેતનચેતન... જે એનું મૂળ મુદ્રા – છાપ ચેતન છે. જેનો નિર્વિભાગ - ભાગ નથી. જેમાં સ્વૈતપણું નથી એમ કહે છે. છે ને ? વિષ્ણુદ્રાનિર્વિમા' “ભેદથી રહિત...” છે. આહા..હા...! તદ્દન માખણ કાઢ્યું છે ! ચેતનસ્વરૂપ જેના બે ભાગ નથી, નિર્વિભાગ એકરૂપ વસ્તુ છે. આ સમ્યગ્દર્શન અને અનુભવના આ સંસ્કાર છે. આહા...હા...! નિર્વિભાગ જેનો મહિમા એટલે કે “મોટપ જેની...” જેની મોટપ એકરૂપ છે. બે ભાગ રૂપી જેની મોટપ નથી. આહા...હા...! ઘણા જ માર્મિક શબ્દો છે ! આ તો વાચક છે, વાચ્ય તો અંદર છે. આહાહા...! એવી મારી મોટપ છે. એટલે ? ચિન્માત્ર જ્ઞાયકમાત્ર સ્વભાવ, જેના બે ભાગ નથી એ મારી મહિમા અને મોટપ છે. આહાહા...! હું એકરૂપ છું એ મારી મહિમા અથવા મોટપ છે. એ મારી સર્વોત્કૃષ્ટતા છે. જ્ઞાનમાત્ર ધ્રુવ વીતરાગમૂર્તિ જિનસ્વરૂપ, એ બે ભાગ વિનાની મારી મોટપ અને વસ્તુની સ્થિતિ સર્વોત્કૃષ્ટ એ છે. આહા..હા..! “એવો છું. આવો અનુભવ જે રીતે થાય...... હવે આવો અનુભવ જે રીતે થાય છે તે રીતે કહે છે.” સર્વમ્ અપિ મિત્વ' હવે નાસ્તિ કીધી. પહેલી અસ્તિ લીધી. “સર્વમ્ અપિ મિત્વ' સર્વ જેટલી કર્મના ઉદયની ઉપાધિ છે તે બધાનું...” fમત્વા” “અનાદિ કાળથી પોતારૂપ જાણીને અનુભવતો હતો...... આહા..હા..! શુભાશુભ રાગને પોતારૂપ જાણીને જે અનુભવતો હતો એ અનાદિકાળની અજ્ઞાનદશામાં એ અનુભવ હતો એનો ભેદ પડી ગયો. મિત્વ છે ને ? શુભ-અશુભ રાગ, કર્મ શબ્દ આ રાગ ભાવ છે. શુભ-અશુભ રાગ જે અનાદિકાળનો (અનુભવ હતો), ચેતનસ્વરૂપ નિર્વિભાગમાં પર્યાયમાં રાગનો અનુભવ હતો તેને મિસ્ત્રી ભેદીને, છેદીને. આહાહા..! “અનાદિ કાળથી પોતારૂપ જાણીને...” એ તો એક ખુલાસો કર્યો. પાઠમાં તો મિત્વા' છેકોને ભેદયું ? એમ કહે છે. અનાદિકાળથી રાગને – પુણ્યપાપને અનુભવતો હતો એ મિત્વા' એમ. એ તો ખુલાસો કર્યો. બાકી આમ મિત્વા છે. પણ કોને ભેદ્યો ? કે, પુણ્ય અને પાપના વિકલ્પો – વિકાર, અનાદિકાળથી તે હું એવું અનુભવમાં હતું એને જુદું પાડ્યું. આહા..હા..! આવી ઝીણી વાત છે, બાપુ ! આ વ્રત કરવા ને અપવાસ કરવા ને એ બધું કેટલું સહેલું હતું ! આવી વાતું હવે ! સંઘ કાઢવા, રથયાત્રા કાઢવી, લ્યો ! બાપુ ! પણ પહેલી ચીજ જે છે એનો અનુભવ ન થાય ત્યાં સુધી ધર્મની શરૂઆત જ નથી. આહાહા..! શરૂઆત પછી અંદર સ્થિરતા – ચારિત્ર થાય એ વાત પછી. એ ક્રિયા વચ્ચે આવે, અશુભથી બચવા શુભ (આ) પણ તે ભિન્ન રીતે આવે, એકપણે ન આવે. સમજાણું કાંઈ ? ઝીણું કહેવું અને સમજાણું કાંઈ એમ) પાછો કહું ! આહા...હા...! ભગવાન ચેતનસ્વરૂપ પૂર્ણ સ્વભાવથી ભરેલો નિર્વિભાગ જેનો ભાગ નથી, એનો અનુભવ
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy