________________
કળશ-૧૮૧
૪૮૩
જાય છે. એ રીતે. એનો પછી અહીં વિશેષ ખુલાસો કર્યો. ત્યાં હજી બે વાત લીધી હતી. ત્યાં છે ને ? ચૈતન્યપૂરે અભિનં મગ્ન ર્વતી નમાવે વન્યું નિયમિત ર્વતી બે ભાગ લીધા હતા. હવે અહીં એકલો લીધો. બેનું આવું થયું પછી છૂટી ગયો. હવે આ એકલો રહ્યો. આહા...હા...!
અન્ત: ખુબી શું કરી ? “સત્તામાં ક્ષેત્ર લીધું. કેમ (ક્ષેત્ર) લીધું ? કે સામે વસ્તુ (ઉપર) જે લક્ષ જાય છે એ ચીજ કેવી ? એક પ્રદેશી છે ? બે પ્રદેશી છે કે શું છે ? એનું ક્ષેત્ર અસંખ્ય પ્રદેશી છે એ વાત સર્વજ્ઞ સિવાય ક્યાંય બીજે છે નહિ. માટે પહેલો બોલ એ લીધો. સમજાણું કાંઈ ? “અન્તઃ પછી “સ્થિર' (લીધું). એ અસંખ્ય પ્રદેશી વસ્તુ સ્થિર શાશ્વત છે. ધીરી છે. ધીરી એટલે શાશ્વત, શાશ્વત. આહા..હા..! અને કાળે શુદ્ધત્વસ્વરૂપ છે. સર્વ કાળે શુદ્ધ સ્વરૂપ છે. સર્વ કાળે શુદ્ધ સ્વરૂપ છે. આહા..હા..! સમજાણું કાંઈ ? અને સર્વ કાળે પ્રત્યક્ષ – “નસ “નસ ઉત્તમ છે. “નસ નામ એ પ્રત્યક્ષ છે. એને કોઈ રાગની ને નિમિત્તની અપેક્ષા હોય તો જણાય એવું એ આત્મતત્ત્વ નથી. આહા..હા..! આ પહેલી ભૂમિકાની શરૂઆત અહીંથી થાય છે પછી બીજી બધી વાતું. એના ઠેકાણા ન હોય અને પાધરે આ કરો ને આ કરો ને આ કરો.. અને કેટલા વ્રત ધાર્યા ને અમે કેટલી દીક્ષા દીધી ને કેટલાને પડિમાં આપી. કોને કહેવી દીક્ષા ? જેન દીક્ષા આ છે. પેલા દરબાર કહેતા હતા ને ? જૈનની દીક્ષા આપો. કોણ આપે ? આ જેનની દીક્ષા છે. આહા...હા...!
અંતરમાં અસંખ્ય પ્રદેશમાં સર્વ કાળે રહેલું, સર્વ કાળે શુદ્ધ સ્વરૂપ, તેમાં સર્વ પ્રત્યક્ષ, સર્વ પ્રત્યક્ષ એમ કીધું ને ? જુઓ ! “સર્વ કાળે પ્રત્યક્ષ...” એ તો સર્વ કાળ પ્રત્યક્ષ જ છે. પરની અપેક્ષાએ એને અનુભવમાં છે નહિ. આહાહા..! ગજબ કામ કર્યું છે !
પ્રશ્ન :- ચોથે આવા આત્માને પ્રત્યક્ષ કરી લે છે ?
સમાધાન – ચોથાની વાત છે. મતિ-શ્રુતમાં પ્રત્યક્ષ થાય છે. વસ્તુનું સ્વરૂપ જ પ્રત્યક્ષ છે. વસ્તુનું સ્વરૂપ પરોક્ષ હોઈ શકે જ નહિ. આહા..હા..! (અહીંયાં) જ્ઞાનપ્રધાન કથન છે ને ? પ્રજ્ઞાછીણીની વાત છે ને ? પ્રજ્ઞાછીણી તો અનુભવ છે. જ્ઞાનથી અનુભવ કરે છે. આહાહા..! ચાર બોલ લીધા.
“એવો છે” “ઘાનિ કેવળજ્ઞાન-કેવળદર્શન તેજ:પુંજ. આહા..હા...! વસ્તુ, વસ્તુ હોં ! અહીં કેવળજ્ઞાન, કેવળદર્શન પર્યાયની વાત નથી. અંદર કેવળજ્ઞાન અને કેવળદર્શન સ્વરૂપ. એકલું જ્ઞાન અને એકલું દર્શન. એકલું જ્ઞાન અને એકલું દર્શન. અસંખ્ય પ્રદેશમાં સર્વ કાળે સ્થિર શુદ્ધ પ્રત્યક્ષ. શું (છે) ? કેવળજ્ઞાન અને કેવળદર્શન. ખુલાસો કર્યો. એક જ્ઞાન અને એકલું દર્શન. જ્ઞાન ને દર્શન, બસ ! કેવળજ્ઞાન અને કેવળદર્શન. એમાં બધા ગુણ આવી ગયા. આહાહા...! આજે બહુ સારી વાત આવી છે ! આ હરખજમણ છે !! લગ્ન થયા પછી તમારે હરખજમણ નથી કરતાં ? તમારે હિન્દીમાં) કાંઈક કહેતા હશે. પ્રીતિભોજન !