________________
કળશ-૧૮૧
૪૭૫
પ્રશ્ન :- કર્મ જડ પદાર્થ છે એને જુદા કરાય ને ?
સમાધાન :- અહીં કર્મની વાત નથી), રાગની વાત છે. મેં તો રાગની વાત કરી. રાગ, રાગ. ચૈતન્ય લક્ષણે જીવ (છે) એ લક્ષણનો અભાવ એવો અજીવ લક્ષણે રાગ. અહીં રાગ લેવો છે. કર્મ જડ છે એ તો કાંઈ નહિ.
ચૈતન્ય લક્ષણે જાણન લક્ષણ, જાણન લક્ષણે આત્મા અને જાણપણું જેમાં નથી એવો રાગ તે અજીવ (છે). બેને ભિન્ન પાડવામાં સાવધાન – જાગૃત છે. આહા..હા..! ઝીણી વાત છે. મૂળની વાત છે ને !
કેવી છે પ્રજ્ઞાછીણી ? “ગમત: “સર્વથા પ્રકારે...” એટલે ? જ્ઞાન લક્ષણે જીવ અને અજ્ઞાન લક્ષણે અજીવ, એમ બેને સર્વથા પ્રકારે ભિન્ન પાડવામાં સમર્થ છે. અંશે ભિન્ન પડે અને અંશે ભિન્ન પડે) નહિ, એમ નહિ. આહાહા..! અંતર જ્ઞાનનો પર્યાય અંતર્મુખ વળે છે એથી એને રાગનું લક્ષણ અજીવ ભિન્ન રહી જાય છે. એમ કહે છે. સમજાણું કાંઈ? ભિન્ન ભિન્ન કરે છે...” (જીવ અને કર્મને) જુદાં જુદાં કરે એટલે કે ભિન્ન ભિન્ન કરે છે. “તે રીતે કહે છે.... જુઓ !
ચૈતન્યપૂરે માત્માનં ર્વતી અજ્ઞાનમા વધું નિયમિત ર્વતી’ શું કહે છે? ચૈતન્યપૂર ‘સ્વપરસ્વરૂપગ્રાહક એવો જે પ્રકાશગુણ...” શું કહે છે ? અંદર જે પ્રકાશગુણ છે એ સ્વપરગ્રાહક લક્ષણ છે. એટલે ચૈતન્યપ્રકાશ ચૈતન્યને જુદો પાડે છે અને પરગ્રાહક જે રાગ છે એને જાણીને જુદો પાડે છે. બહુ ઝીણી વાત છે. બે તદ્દન જુદાં પડી જાય છે. જાણનલક્ષણ તે આત્મા, છે જાણનલક્ષણ સ્વપરગ્રાહક. શું કીધું ઈ ? જાણનાર જે છે એ છે સ્વપરને જાણનાર ગ્રાહક. છતાં તે સ્વપરગ્રાહક જ્ઞાન જુદું પડે છે અને પરને જાણતું જે અજીવને જાણે એ અજીવને જુદું રાખે છે. આવી વાત છે.
સ્વપરસ્વરૂપગ્રાહક' સ્વપર સ્વરૂપ જાણનાર. ગ્રાહક એટલે જાણનાર. જાણનાર જાણનારો સ્વપરગ્રાહક છે પણ સ્વપરગ્રાહક એવો પ્રકાશ એને જુદો રાખે છે અને પર જાણે છે ખરો પણ પરને જુદો રાખે છે. આહા..હા..! આવો માર્ગ છે. સમ્યગ્દર્શન થવાના કાળની આ રીત છે. ધર્મની પહેલી સીઢી ! એનું આ સ્વરૂપ છે. બહુ ધીરજનું કામ છે. આહા...હા...!
ચૈતન્ય સ્વપરસ્વરૂપગ્રાહક એવો જે પ્રકાશગુણ તેના ત્રિકાળગોચર પ્રવાહમાં જીવદ્રવ્યને એકવન્નુરૂપ-એમ સાધે છે.” શું કીધું ઈ ? કે, એ ચૈતન્ય લક્ષણ છે પણ સામે વસ્તુ છે ત્રિકાળ પ્રવાહરૂપ છે. જેના ઉપર દૃષ્ટિ જાય છે એ વસ્તુ ત્રિકાળ છે. ત્રિકાળ પ્રવાહ છે – ધ્રુવ.... ધ્રુવ... ધ્રુવ ચૈતન્યલક્ષણે લક્ષિત કરતાં ત્રિકાળ પ્રવાહરૂપ વસ્તુ કાયમ છે ત્યાં એનું લક્ષ જાય છે. આહા...હા! છે ?
પ્રકાશગુણ તેના ત્રિકાળગોચર પ્રવાહ.” પૂર છે ને ? પૂર. પૂર એટલે ધ્રુવ. ધ્રુવનું