SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ કળશ-૧૮૧ ૪૩૫ કરે છે એમ છે ને ? કે, એક કરે છે ? બે કરે છે, ઠીક ! તે રીત કહે છે. છેદીને બે કરે છે તે રીત કહે છે. આહા..હા..! આ તો અધ્યાત્મની વાતું, બાપુ ! ઘણા થોડા શબ્દમાં... આહા..હા...! અંદર ઘણો મર્મ ભર્યો છે !! “છેદીને બે કરે છે...” એમ શબ્દ છે ને ? તો છેદીને (એટલે) કર્મને અને આત્માને છેદીને બે કરે છે એટલું જ અહીં (કહેવું) છે ? આહા..હા...! વિકાર પરિણામ જે પર તરફના લક્ષથી થાય છે એ વસ્તુ અને આ વસ્તુ બેને ભિન્ન કરે છે. મુમુક્ષુ :- બે છે અને બેને જાણે છે. ઉત્તર :બે છે. બે છે (અને) વચ્ચે સંધિ (છે એ) પછી આવશે. અહીં તો હજી બે કરે છે એની રીત કહે છે. બે કરે છે એની રીત કહે છે. જુઓ ! બે કરે છે તે રીત કહે છે...” એટલી વાત છે ને ? શી રીતે (બે કરે છે) ? કે, આત્મજયસ્ય એક બાજુ આત્મા, એક બાજુ રાગ અને કર્મ. બેને ભિન્ન કરે છે. આહા...હા...! સમજાણું કાંઈ ? છે કે નહિ અંદર ? છે અંદર ? (એમને) સાંભળવામાં બરાબર ધ્યાન છે, બરાબર સાંભળે છે. આ સમજવા જેવી વાત છે, બાપા ! આહા...હા...! મુમુક્ષુ - અનંતકાળથી નથી સમજ્યા. ઉત્તર :- હા, વાત એવી છે, ભાઈ ! આહા..હા..! બહુ ટૂંકી અને બહુ થોડી પણ ગહન (વાત) છે, પ્રભુ ! સાત્મમયચી પ્રજ્ઞાછીણી બેને ભિન્ન કરે છે. શું અભિન્ન કરે છે) ? કઈ રીતે (કરે છે) ? કે, “ઝાત્મવેર્મોમયી ' આહાહા..! હવે કર્મના બે પ્રકાર : એક દ્રવ્યકર્મ, એક ભાવકર્મ (એટલે કે) અશુદ્ધ પરિણમન. આહા..હા..! અનંતકાળમાં કોઈ દિ એણે કર્યું નથી. મોંઘું પડે છે). (આગળ) કહેશે, કઠણ તો છે પણ અશક્ય નથી અને તે ચૈતન્યદળ જે ધ્રુવ... આ.હા...હા...! એનું ક્ષેત્ર અને એનો ભાવ, એ એક બાજુ આત્મા થયો અને આ બાજુ કર્મ અને દયા, દાનના, રાગના પરિણામ). અહીં વાંધા શુભના છે) માટે એને લઈએ છીએ. શુભ ઉપયોગનો ભાગ, એનો ભાવ અને એનું ક્ષેત્ર (જુદું છે). “ત્મિમયી (કહ્યું એમાં) એ કર્મમાં જાય છે. આહાહા..! એટલું. આત્મા–ચેતનામાત્ર દ્રવ્ય.” હવે આત્માની વ્યાખ્યા કરી. કર્મની વ્યાખ્યા પછી કરશે. આત્મા એટલે ચેતનામાત્ર, જ્ઞાનાનંદ, આનંદને (અહીં) નથી લીધો કેમકે વ્યક્તપણે આનંદ નથી ને એથી ચેતનામાત્ર કરીને આત્માને કહ્યો. કારણ ચેતનાનો પ્રગટ અંશ તો છે. એથી આખી ચીજ ચેતનામાત્ર વસ્તુ છે એમ કહ્યું). આહાહા...! જાણન-દેખન સ્વભાવ જેનું સત્ત્વ છે, ચૈતન્ય આત્માનું એ સત્ત્વ છે એ ચેતનામાત્ર છે. આહા..હા..! અને “કર્મ–૫દૂગલનો પિંડ...” એ કર્મ છે, એ અચેતન છે. આહા..હા..! એ કર્મનો પિંડ “અથવા....” છે ને ? મોહ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણતિ” આ..હા...હા...! મિથ્યાત્વ ભાવ અને રાગ-દ્વેષ
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy