SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ કળશ-૧૮૧ ૪૩૩ – ક્ષેત્ર અને અશુદ્ધ પરિણમનનું ક્ષેત્ર, બે ભિન્ન છે. પોતાના પ્રદેશની અપેક્ષાએ એકક્ષેત્રાવગાહ છે. પરના પ્રદેશો – કર્મના દ્રવ્યના ભિન્ન છે). એની અપેક્ષાએ પોતાના અસંખ્ય પ્રદેશો, અશુદ્ધ પરિણમન અને શુદ્ધ પરિણમન પરથી ભિન્ન છે, પણ પોતામાં બે ભેદ પાડીએ તો શુદ્ધ પરિણમનનું ક્ષેત્ર ભિન્ન છે, અશુદ્ધ પરિણમનનું ક્ષેત્ર ભિન્ન છે. આ...હા...હા....! પ્રશ્ન :- ઈ કેવી રીતે ? સમાધાન – એ “સંવર અધિકારમાં આવી ગયું છે. “સંવર અધિકાર માં ! (કહ્યું કે, બે વસ્તુ એક નથી. બે એટલે અશુદ્ધ પરિણમન અને શુદ્ધ જીવનું પરિણમન, બે એક નથી. એકબીજાને આધારઆધેય નથી. એકબીજાના પ્રદેશ ભિન્ન છે. છે અસંખ્યપ્રદેશ, જીવના અસંખ્ય પ્રદેશ, પણ એ પ્રદેશનો છેલ્લો ભાગ – શુભજોગ આદિનું અશુદ્ધ પરિણમન (જે થાય છે) એના પ્રદેશ – ક્ષેત્ર ભિન્ન છે અને (બે) વચ્ચે સંધિ છે. આહા..હા...! જેમ કર્મના રજકણો, દ્રવ્યકર્મ(ના) રજકણોનું ક્ષેત્ર એક જગ્યાએ રહેવા છતાં ક્ષેત્ર ભિન્ન છે – પ્રદેશ ભિન્ન છે. એ તો તદ્દન ભિન્ન છે. હવે અહીંયાં અંતરમાં આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ (છે) એનું પરિણમન થાય) એનું ક્ષેત્ર, અશુદ્ધ પરિણમન જે શુભજોગ (આદિનું થાય), એના પ્રદેશોનો અંશ, છે એ અસંખ્ય પ્રદેશમાં, પણ અસંખ્ય પ્રદેશનો એ અંશ જુદો છે, એનું ક્ષેત્ર જુદું છે. આહા..હા..! છે ? જુઓ ! આવે છે. ‘આવી પ્રજ્ઞાછીણી જે રીતે છેદીને બે કરે છે તે રીતે કહે છે.” જુઓ ! આવ્યું ? અહીંથી શરૂઆત થાય છે. છે વચમાં ? “ગાત્મમયસ્થ’ તે રીતે કહે છે. આત્મજખ્ખદયસ્થ છે ? આ તો અલૌકિક વાતું છે, બાપુ ! આહા..હા..! જુઓ ! એના બે અર્થ કર્યા, જુઓ ! આત્મા-ચેતનામાત્ર દ્રવ્ય...” ભગવાનઆત્મા તો ચેતના ઉપયોગ – દર્શન, જ્ઞાન માત્રનો ઉપયોગ, એ દ્રવ્ય ભિન્ન છે. છે ? “કર્મ–૫દૂગલનો પિંડ.” એ પણ ભિન્ન છે. ‘અથવા મોહરાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણતિ, – એવી છે બે વસ્તુઓ જોયું ? આહા..હા..! એક કોર શુદ્ધ ચૈતન્ય ઉપયોગ ભગવાન, એક કોર કર્મ અને અશુદ્ધ પરિણતિ એક ક્ષેત્રે હોવા છતાં (અર્થાત) આકાશના એક ક્ષેત્રે હોવા છતાં, હોં ! આકાશના એક ક્ષેત્રે હોવા છતાં કર્મનું ક્ષેત્ર જુદું છે અને પુણ્ય-પાપ, દયા, દાન શુભજોગનું ક્ષેત્ર જુદું છે. કેમ ? કે, ઉપયોગ અંતર વાળતાં એ ક્ષેત્ર અને એનો ભાવ જુદો રહી જાય છે. ઉપયોગ જ્ઞાનનો, દર્શનનો, ચેતનાનો ઉપયોગને અંતર વાળતાં એના ક્ષેત્ર અને એના ભાવમાં અશુદ્ધ ઉપયોગ આવતો નથી. સમજાણું કાંઈ ? આવું છે. અહીંયાં એકક્ષેત્રાવગાહ કહ્યું ને ? બન્નેને એકક્ષેત્રાવગાહ કહ્યાં. મોહ-રાગદ્વેષના પરિણામ અને કર્મના પિંડરૂપ ભાવ, બન્નેનું ક્ષેત્ર ભલે એક હો, એ આકાશની અપેક્ષાએ એક ક્ષેત્ર (કહ્યું). એક ક્ષેત્રનો અર્થ આકાશની અપેક્ષાએ ક્ષેત્ર એક (છે). ભાવની અપેક્ષાએ શુદ્ધ ઉપયોગ અંતરમાં વાળતાં એનું જે ક્ષેત્ર છે એનાથી અશુદ્ધ ઉપયોગનો અંશ બહાર
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy