SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૬ કિલશામૃત ભાગ-૫ શુદ્ધ પરિણમન છે એને શુદ્ધ અનુભવ જરૂર છે, જરૂર છે. એને શુદ્ધ પરિણમનમાં અશુદ્ધતાનો અંશ અનુભવમાં આવે છે એમ નથી. આહા..હા.! સમજાણું કાંઈ ? આહાહા...! પ્રશ્ન :- જ્ઞાનનો ઉપયોગ બહાર હોય ત્યારે પણ ? સમાધાન :- અહીં પરિણમન છે એને તો અનુભવ લબ્ધ કહેવાય. ભલે લબ્ધિરૂપ હો, પણ શુદ્ધ પરિણમન છે ત્યાં લબ્ધરૂપ પણ અનુભવ છે અને અનુભવ છે ત્યાં શુદ્ધ પરિણમન છે. આહાહા...! વાત બહુ ઝીણી) સિદ્ધ કરે છે. આહાહા...! “પ્રજ્ઞા છેત્રી શિયે તીખી ધારા ! “શિર્યા છે ને ? “શિય’ શબ્દ છે ને ? આહાહા...! “સંદેહ નથી.” સંદેહ નથી. આહાહા...! જુઓ ! કેટલું સ્પષ્ટ કરે છે ! હવે (કહે છે), “અન્યથા સર્વથા પ્રકારે અનુભવ હોતો નથી.” જોયું ? પાછુ લીધું. પહેલો અનુભવ (કહ્યો) હતો ને ? એને અહીં પાછુ લીધું. અન્યથા સર્વથા પ્રકારે.” જોયું ? સર્વથા પ્રકારે ! શુદ્ધ પરિણમન નથી અને શુદ્ધ અનુભવ છે એમ સર્વથા પ્રકારે અનુભવ નથી. આહા...હા...! એકલા દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ છે એને અનુભવ, શુદ્ધ પરિણમન બિલકુલ નથી. આહા...હા..! સમજાણું કાંઈ ? આ તો ધીરાનું કામ છે, બાપા! આ કાંઈ કોઈ વાર્તા નથી). આહા..હા..! અન્યથા સર્વથા પ્રકારે અનુભવ હોતો નથી;” પહેલા અનુભવથી ઉપાડ્યું હતું ને ? સમાધાન આમ છે કે શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ છે જે જ્ઞાન તે, જીવના શુદ્ધત્વપરિણમનથી સર્વથા સહિત છે. એટલે અહીં કીધું “અન્યથા સર્વથા પ્રકારે અનુભવ હોતો નથી; તેથી શુદ્ધ સ્વરૂપનો અનુભવ મોક્ષનું કારણ છે.” આહાહા.! દયા, દાન, વ્રત, ભક્તિ મોક્ષનું કારણ નથી. છે એમાં ? “શુદ્ધ સ્વરૂપનો અનુભવ મોક્ષનું કારણ છે. આહાહા..! અશુદ્ધતા હો, પૂર્ણ શુદ્ધ અનુભવ ન હો, પૂર્ણ અશુદ્ધતા હો પણ મોક્ષનું કારણ તો એ શુદ્ધ સ્વરૂપનો અનુભવ તે જ મોક્ષનું કારણ છે. તે જ કાળે દયા, દાન, વ્રતનો વિકલ્પ ઉઠતો હોય એ બંધનું કારણ છે. આહા..હા..! એ હોય છે. સાધકને બંધના કારણનો વિકલ્પ પણ હોય છે અને શુદ્ધ સ્વરૂપનો અનુભવ મોક્ષનું કારણ પણ હોય છે. હોય છે માટે બન્ને નયનું જ્ઞાન બરાબર છે. પણ આનાથી અહીં થાય અને આવું હોય એને આવો રાગ હોય, આને કારણે હોય એમ નથી. આહા...હા....! મુમુક્ષુ :- આમાં ( હિન્દી પુસ્તકમાં લખ્યું છે કે, ધોખો નથી. ઉત્તર :- સંદેહ નથી. ધોખો નથી, હિન્દી એમ છે. સંદેહ નથી, નિઃસંદેહ આમ છે. જ્યાં જ્યાં શુદ્ધ અનુભવ હોય ત્યાં ત્યાં શુદ્ધ પરિણમન છે અને જ્યાં જ્યાં શુદ્ધ પરિણમન છે ત્યાં ત્યાં શુદ્ધ અનુભવ છે. (એમાં) બિલકુલ સંદેહ નથી. અને જ્યાં એ શુદ્ધ સ્વરૂપઅનુભવ નથી.. છે ને ? આહા..હા...! અન્યથા સર્વથા પ્રકારે અનુભવ હોતો નથી, તેથી શુદ્ધ સ્વરૂપનો અનુભવ મોક્ષનું કારણ
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy