________________
૪૨૨
કલામૃત ભાગ-૫
કાંઈ ? આ..હા....! | સર્વથા” શબ્દ વાપર્યો, જોયું ? જૈનદર્શનમાં એકાંત ન હોય ને ? એ માટે શબ્દ વાપર્યો છે કે, ભાઈ ! શુદ્ધ પરિણમનથી સહિત જ અનુભવ હોય, અશુદ્ધ પરિણામથી નહિ. એ માટે સર્વથા (શબ્દ) વાપર્યો છે. એકાંત આત્માનો – શુદ્ધ ચૈતન્યનો અનુભવ, એ શુદ્ધ પરિણમનથી સહિત જ સર્વથા છે. એમાં કિંચિત્ પણ અશુદ્ધ વ્યવહાર રત્નત્રયના રાગની સહાયતા કે મદદ છે નહિ. આહા...હા....! સમજાય છે કાંઈ ? આ તો હજારો વર્ષ પહેલાનું શાસ્ત્ર છે અને ટીકા “રાજમલે કરી છે. “સમયસાર નાટકમાં “બનારસીદાસ કહે કે, “જૈનધર્મનો મર્મી ! “રાજમલ જૈનધર્મના મર્મી !! એમણે આ ટીકા કરી છે એમ કહે છે. આ.હા..હા...!
એના જ્ઞાનમાં હજી વિકલ્પસહિત નિર્ણયના પણ ઠેકાણા નથી. વિકલ્પસહિત નિર્ણયમાં મોક્ષમાર્ગ નથી પણ વિકલ્પસહિત નિર્ણયમાં આ શુદ્ધ સ્વરૂપનો અનુભવ એ સર્વથા શુદ્ધ પરિણમનથી સહિત છે, અશુદ્ધ પરિણમનથી બિલકુલ નહિ. એમ હજી વિકલ્પથી શુદ્ધ સ્વરૂપનો નિર્ણય કરવો જોઈએ. છતાં એ કંઈ મોક્ષમાર્ગ નથી. આહા..હા...! સમજાણું કાંઈ ? ઘણું ગંભીર બતાવ્યું છે !!
ધર્મ અથવા મોક્ષનો માર્ગ એ શુદ્ધ ચૈતન્ય ભગવાન અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત શાંતિ, અનંત ઈશ્વરતા, અનંતી સ્વચ્છતા અને અનંતાઅનંત કર્તા નામનો ગુણ, અનંત કરણ નામનો ગુણ, એ બધા શુદ્ધ છે. આહા..હા..! એ શુદ્ધનું પરિણમન થવું (તે ધર્મ છે). કર્તાપણે, સાધનપણે; કરણ એટલે સાધન, પોતપોતાના કર્તાપણે અને સાધનપણે. આહાહા.! શુદ્ધ પવિત્ર સ્વભાવ, એને અનુસરીને શુદ્ધપણાના પરિણમન સહિત થવું, એ સર્વથા શુદ્ધ પરિણમન છે એમ કહે છે. એમાં કિંચિત્માત્ર પણ અશુદ્ધતા નથી. આહા..હા..! બહુ સરસ વાત છે ! મીઠી મધુરી !આ..હા..હા...!
આવો માર્ગ છે અને બીજી રીતે કહે. વ્યવહાર કરતાં કરતાં થાય. દયા, દાન, ભક્તિ, પૂજા, મંદિરો બનાવવા, કરોડોના દાન આપવા. એમાંથી હળવે હળવે મોક્ષમાર્ગ થાય. શેઠ ! લ્યો, શેઠ ના પાડે છે. એમ ન થાય.
મુમુક્ષુ :- વાસ્તવિક ભિન્ન છે.
ઉત્તર :- બન્ને ભાવે ભિન્ન છે. આહા...હા...! કેવી વાત છે, જુઓને ! પરમસત્યને ખુલ્લી કરીને મૂકી. સમાજને કેમ રહેશે ? કેમ નહિ? માર્ગ આ છે, બાપા ! “એક હોય ત્રણકાળમાં પરમાર્થનો પંથ આહા..હા..! એ આ.
જે આત્મા – અનંત ગુણ, સંખ્યાએ અનંત... અનંત... અનંત... એ બધા પવિત્ર છે, શુદ્ધ છે. એનું આખું દ્રવ્ય તે શુદ્ધ છે. એ દ્રવ્ય ઉપર દૃષ્ટિ પડતાં જે પર્યાયમાં શુદ્ધ નિર્મળતાની અતીન્દ્રિય આનંદ સહિત અતીન્દ્રિય જ્ઞાનનો અંશ આવે, અતીન્દ્રિય આનંદ આવે, ઈશ્વરતાનો અંશ આવે, પ્રભુતાનો અંશ આવે, સ્વચ્છતાનો અંશ આવે, કર્તા શુદ્ધ ગુણ છે તેનો કર્તાપણાનો