SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ કિલશામૃત ભાગ-૫ સમાધાન :- ઈ પરદ્રવ્ય (કહ્યું એ) તો અપેક્ષાએ (કહ્યું છે), બાકી છે એની પર્યાયનો રાગ-ભાગ. એ છે. એ કહ્યું નહિ ? “મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહ્યું છે. શિષ્યએ પ્રશ્ન કર્યો કે, અમે તો નિશ્ચયને માનીએ અને વ્યવહારની પ્રવૃત્તિ કરીએ. તો કહે છે), નહિ, વ્યવહારને વ્યવહાર તરીકે માનવો. દૃષ્ટિનો વિષય ત્રિકાળી (છે) ઈ જુદી વસ્તુ, પણ છે એમ એને માનવો. છતાં તે હેય છે. વ્યવહાર ન માને તો પર્યાય (જ) નથી (એમ) એનો અર્થ થયો. પર્યાય પોતે જ વ્યવહાર છે. વસ્તુ ત્રિકાળી નિશ્ચય છે અને એક સમયની પર્યાય છે એ પણ વ્યવહાર છે. વ્યવહાર નથી એમ નહિ. વ્યવહાર છે પણ) આશ્રય કરવાલાયક નથી અને તે હેયબુદ્ધિએ જાણવાલાયક, માનવાલાયક છે. ભાઈ ! આવી વાતું છે. આહા...હા...! ઈ એમાં આવશે, બપોરે આવશે. મોક્ષમાર્ગ નિરૂપણ કર્યું એવું આવશે. ચૌદમામાં નિરૂપણ આવશે. પણ પહેલો વ્યવહાર સ્થાપેલો છે. વ્યવહાર મોક્ષમાર્ગ છે. છે એટલે ? રાગ છે એને વ્યવહાર મોક્ષમાર્ગ કહેવામાં આવે છે. ઈ છે, પણ છે હેય. હોય એને હેય કહે કે ન હોય એને હેય (કહે) ? હેય છે. છે એને હેય છે કે નથી એને હેય છે ? આહાહા...! ઈ તો પહેલાં આવી ગયું છે. “સંવૃત્તિપચ્છ નહિ ? ટીકામાં તો કલ્પિત અને આરોપિત (એમ) બે અર્થ કર્યા છે. વ્યવહાર મોક્ષમાર્ગ એટલે કલ્પિત માર્ગ પણ છે. આરોપિત (કહ્યું) પણ છે. રાગમાં આરોપ કર્યો કે આ વ્યવહાર (મોક્ષમાર્ગ છે), એ આરોપિત છે ને ? ઈ વસ્તુ મોક્ષમાર્ગ ક્યાં છે ? ભાઈ ! આવી વાતું છે. બે નયને ન માને (અને) એક નયને માને તો તો મિથ્યાત્વ છે. બે નયને માનવી પણ વ્યવહારનય હેય છે એમ માનવી. આહા..હા...! (એક) ભાઈએ પ્રશ્ન કર્યો હતો. આવ્યા છે કે નહિ ? નથી આવ્યા ? કાલે સવારે બોલી ગયા કે, કાલે તો તમે વ્યવહાર માનવો (એમ) કહ્યું. (અમે) કીધું, હા. માનવો એટલે આદરવા લાયક છે એમ માનવો એમ નહિ. છે, પર્યાય છે). અગિયારમી ગાથાનું કહ્યું નહોતું ? બધી પર્યાયો જૂઠી છે એમ ત્યાં કહ્યું, લ્યો ! વ્યવહાર અભૂતાર્થ (છે). વ્યવહાર એટલે પર્યાય. પર્યાયમાત્ર જૂઠી છે. એટલે ? એટલે શું ? એ તો ત્રિકાળની સત્યતાની અપેક્ષાએ પર્યાય ત્રિકાળ રહેનારી નથી એ અપેક્ષાએ જૂઠી કહીને, ગૌણ કરીને જૂઠી કીધી છે પણ અભાવ કરીને જૂઠી કીધી છે એમ નહિ. આ તો માર્ગ... બાપા ! સમજાણું કાંઈ ? અહીંયાં તો નિર્જરા અધિકાર’ ચાલે છે. એટલે એને (-સમ્યક્દૃષ્ટિને) જે ભય જરી થાય છે અને અહીં તો નિર્જરી જાય છે એમ સિદ્ધ કરવું છે. શાશ્વત વસ્તુ ત્રિકાળી નિત્યાનંદ ધ્રુવનું ધ્યેય છે. આહા...હા...! નિત્યાનંદ પ્રભુ ધ્રુવ સ્વરૂપનું ધ્યેય (કરીને) ધીરજથી ધખતી પેઢીમાં ઈ પડ્યો છે. આ..હા..હા...! આ મોટી પેઢી હોય છે ને ? કરોડોપતિની ધખતી પેઢી ચાલતી હોય છે. એમ જેણે ધ્યેય – ધ્રુવને ધ્યેયમાં લઈ અને ધ્યાનની ધખતી પેઢી જેણે
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy