________________
૪૧૦
કલામૃત ભાગ-૫ - જ્ઞાનની વર્તમાન દશાને શુદ્ધ જીવદ્રવ્ય તરફ વાળતાં), જેની પર્યાય છે તેમાં તેને વાળતાં શુદ્ધ જીવદ્રવ્યનો અનુભવ થાય છે અને રાગાદિ છૂટી જાય છે. એને અહીંયાં પ્રજ્ઞા ને બુદ્ધિ અને પ્રજ્ઞાછીણી કહેવામાં આવે છે. આહા..હા..! મોક્ષનો અધિકાર છે ને ? મૂકાવું આવ્યું ને ? મૂકાવું ! શબ્દ મોક્ષ છે ને એટલે મૂકાવું એમ લીધું. નહિતર પરમાનંદની પ્રાપ્તિ એમ નહિ લેતાં, મોક્ષ (એટલે) મૂકાવું એમ લીધું). શેનાથી (ભૂકાવું)? કે, બંધથી. એમ. બંધ એટલે શું ? કે, અશુદ્ધ રાગાદિ. એનાથી મૂકાવું અને આનો શુદ્ધ જીવદ્રવ્યનો આદર કરવો. એ બુદ્ધિને અહીંયાં પ્રજ્ઞા કહેવામાં આવે છે. આહા...હા...! આ બધા અંગ્રેજીના પૂછડા વળગ્યા હોય એ બધાને તો અજ્ઞાન કહે છે. કહો, ભાઈ ! ઝવેરાતની બુદ્ધિ ને (અજ્ઞાન કહે છે). નહિ ? આહાહા..
મુમુક્ષુ – એ ભલે અજ્ઞાન છે પણ પૈસા લાવે છે.
ઉત્તર :– પૈસા ધૂળેય લાવતી નથી. એ તો પૂર્વના પુણ્યને લઈને દેખાય છે. દેખાય છે ! દેખતા માને છે કે મારા (છે). આહાહા..! પછી આ છોકરાઓ આમ ઊભા હોય એમાં એનો એક છોકરો હોય પણ જોવામાં તો બધા આમ દેખાય છે, બસ ! એક જ વાત છે. એમાં “આ મારો ક્યાંથી આવ્યું ? કલ્પના કરી છે. નહિતર તો ચારે છોકરાઓ શેય તરીકે જાણવામાં આવી છે. એમાં “આ મારો” એમ કરીને) મફતની મમતા ઊભી કરી છે. એમ પૈસાના ઢગલા – રજકણો આવે એ તો જોય છે. બીજાના પૈસા, આના પૈસા, હીરા, માણેક બધું શેય છે. છતાં “આ પૈસા મને આવ્યા” એ તો ભ્રમણા ઊભી કરી છે. આહા..હા..!
પ્રશ્ન :– કરવું શું પણ ?
સમાધાન :- એને પરથી ભિન્ન પાડવું એ કરવું. એ તો વાત ચાલે છે. જેની પર્યાય છે તેના તરફ તે પર્યાયને વાળવી. એ જ્ઞાનપર્યાય રાગની પર્યાય નથી અને રાગની પર્યાય (છે) એ ચૈતન્યની પર્યાય નથી. આહા..હા...! જેની એ જ્ઞાનપર્યાય છે તેમાં તેને વાળવી. એ જ્ઞાન પ્રજા છે, એનો પિતા દ્રવ્ય છે.
મુમુક્ષુ :- દ્રવ્ય એક જ સમયમાં અને અનુભવ એક સમયમાં...
ઉત્તર :– એક જ સમયમાં, એક જ સમય, બે સમય નહિ. ઉપયોગ ભલે અસંખ્ય (સમયે આવે) પણ એક સમયમાં થાય છે. જમણી’ આવી ગયું છે ને ? નમસાત્ સંસ્કૃત આવી ગયું છે. સંસ્કૃત કળશમાં આવી ગયું છે) રમસાત્ (અર્થાતુ) એક સમય. આહા..હા...! એના ખ્યાલમાં ભલે અસંખ્ય સમયે આવે પણ ત્યાં તો એક જ સમયમાં જુદો પડી જાય
પ્રશ્ન :- જુદા પાડવાનો અભ્યાસ પ્રયોગલબ્ધિથી થાય છે ? સમાધાન :- ચાલુ કરતાં કરતાં જુદો પડી જાય છે, એમ કહે છે. અભ્યાસ કરતાં –