SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ કળશ-૧૮૦ ૪૦૩ આ કાર્ય કરવાની વાત છે, હોં ! આ સંસારના કાર્ય હવે પૂરા થયા, હવે નથી. ત્યાં વળી બીજા જાગશે, વળી ત્રીજા જાગશે. આહાહા...! પૂણી, પૂણી સાંધે છે ને ? પૂણી ! એક પૂરી થાય ત્યાં બીજી, બીજી પૂરી) થાય ત્યાં ત્રીજી.... (એમ) ચાલ્યા જ કરશે. એનો ક્યાંય અંત પણ નહિ આવે. ભાઈ ! આ સંસારના કામ તો સાંધ્યા જ કરે છે, માળો ! એક પછી એક, એક પછી એક, એક પછી એક સાંધ્યા જ કરે છે. અહીં પણ એક પછી એક ગુણમાં અંદર પર્યાય સાંધ્યા જ કરે છે. આહા..હા..! આવું ઝીણું છે. એનું માહાસ્ય એ શું ચીજ છે !! આ..હા..હા..! અક્ષરના અનંતમાં ભાગમાં રહ્યો એ આત્મા છતાં એની શક્તિ તો કેવળજ્ઞાન અને કેવળ આનંદ પ્રગટે એટલી શક્તિ છે. ભાવ, એનો ભાવ જાદુગર ભાવ છે ! અંગુલના અસંખ્ય ભાગમાં અહીં નિગોદના અનંત જીવ છે. એક એક જીવમાં પૂર્ણ કેવળજ્ઞાન, અનંત આનંદ પૂર્ણ... પૂર્ણ. પૂર્ણ... પૂર્ણ સ્વભાવ ભર્યો છે. એ સ્વભાવનો કોઈ ચમત્કાર છે !! આ...હા...હા...! દુનિયામાં ચમત્કારની વાતું કરે, ગપ્પગપના ચમત્કાર છે. આહાહા...! પેલો આમ રાખી કાઢી બતાવે છે, નહિ ? સાંઈબાબા ! રાખ બતાવે છે, હાથમાંથી આમ કરે ને, એમાં ધૂળમાં શું હતું હવે ? વ્યંતરના દેવો મોટા ગામ રચી નાખે. અભવિ હોય, એથી શું થયું ? આહા...હા...! આ ચમત્કાર પ્રભુ અંદર અનંત આનંદ, અનંત અપરિણીત જ્ઞાન, આનંદ શાંતિનો સ્વભાવનો સાગર ! એ ચૈતન્યની પ્રતીતિનો ચમત્કાર પ્રગટ કરવો. આહા..હા..! જેના ચમત્કારમાં પૂર્ણાનંદનો નાથ જેને પ્રતીતિમાં બેસી ગયો. આહા..હા...! એને પછી જન્મ-મરણ હોય નહિ. સમજાણું કાંઈ ? અહીં તો કેવળજ્ઞાનને “વિનય?’ કીધું પણ અહીં તો સમ્યગ્દર્શનમાં ‘વિનય’ કહેવું છે. આહા...હા...! કરવાયોગ્ય સમસ્ત કર્મનો વિનાશ જેણે કૃતકૃત્ય થઈ ગયું. “એવું છે. વળી કેવું છે ?” “૩નેન્ગહનપરમાનન્દસરસ’ આહાહા.! (૩ન્મm) “અનાદિ કાળથી ગયું હતું તે પ્રગટ થયું છે...” પેલી નદી છે ને ? વિદયાચલ પર્વતમાં વચમાં ઉન્મગ્ન, નિમગ્ન (એવી) બે નદી છે. એક નદીમાં કોઈ ચીજ પડે તો હેઠે લઈ જાય, એક નદીમાં એવી ચીજ પડે (તો) ઉપર કરીને બહાર કાઢી નાખે. પાણીનો એવો સ્વભાવ ! આહાહા...! કહો, સમજાણું કાંઈ ? ઉન્મગ્ન, નિમગ્ન નામની નદીઓ છે. વિદડ્યાંચલ પર્વતની અંદર છે). ચક્રવર્તી (ત્રણ ખંડ) સાધવા જાય છે ત્યારે એમાંથી જાય છે. એક નદીના પાણીનો એવો સ્વભાવ કે ઉપર તરણું પણ પડ્યું હોય તો હેઠે લઈ જાય ! અને એકટમાં) ઉપર લોઢું પડે તો લોઢું ઉપર રાખે. આહાહા..! કુદરતના નિયમનો કોઈ એવો જ સ્વભાવ છે. એમ અહીં કહે છે, “ઉત્પન્ન” “આવ્યું ને ? આહા...હા..! “ફર્નન્ન' (અર્થાતુ) ઉછળ્યો છે – “૩નગ્ન' હવે હેઠે પડે જ નહિ. ‘૩મેગ્ન' આમ બહાર પ્રગટ થયું છે. બહાર આવ્યું ! આહાહા...તરતું તરતું જ્ઞાન, આનંદ પર્યાયમાં બહાર આવ્યા.
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy