________________
કલશામૃત ભાગ-૫
એટલે એને ચા૨ ગતિના દુઃખ સહન કરવા પડે છે. આહા..હા...! સમજાણું કાંઈ ? આવી વાતું ! શું થાય શું કરવું આમાં ? એમ માણસને સૂઝ પડતી નથી. એ કરવું એ અંદર આનંદ અને જ્ઞાન-દર્શન સ્વરૂપ છે એને પકડીને એનો અનુભવ કરવો એ કરવાનું છે. બાકી બધી વાતું છે. ભગવાન ત્રિલોકનાથ તીર્થંકરદેવ જિનેશ્વરદેવ સર્વજ્ઞના જ્ઞાનમાંથી આવેલી આ વાત આ પ્રમાણે છે, પ્રભુ ! આહા..હા...! છે ?
એવું આવરણ શુદ્ધ પરિણામથી મટે છે...' જુઓ ! એનો અર્થ એ થયો કે, અશુદ્ધ પરિણામથી પ્રગટ નથી થતું. શું કહ્યું ઈ ? ભલે આવરણને કર્મનું નામ આપ્યું પણ અહીં કહે છે કે, એ આવરણ શુદ્ધ પરિણામથી મટે છે,...' કર્મનું આવરણ શુદ્ધ પરિણામથી મટે છે. એનો અર્થ એ થયો કે, અશુદ્ધ પરિણમનથી શુદ્ધ પરિણમન પ્રગટ થતું નથી. આહા...હા...! કર્મ તો જડ છે, બિચારા અજીવ માટી છે, એને તો ખબર પણ નથી. અમે કર્મ છીએ અને જડ છીએ એવી તો એને ખબર પણ નથી. આહા..હા....!
૩૮૮
આ ખબર કરનારો ભગવાનઆત્મા ! પોતે જ પોતાના સ્વરૂપથી ભૂલીને અશુદ્ધ પરિણમન કરે છે તે અશુદ્ધ પરિણમન જ કેવળજ્ઞાન, કેવળદર્શનને રોકે છે. બરાબર છે ? કર્મ રોકે છે (એમ) આમાં છે ને ? આહા..હા...! પ્રભુ ! કર્મ તો જડ છે ને ! એ તો માટી – ધૂળ છે, આત્મા પ્રભુ તો અરૂપી છે. એ અરૂપીને કર્મ અડતા પણ નથી. આહા...હા...!
એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું પણ નથી, પ્રભુ ! માર્ગ આમ છે, ભાઈ ! પણ અહીં ટૂંકું કરવા માટે એમ કહ્યું કે, કેવળજ્ઞાનને અને કેવળદર્શનને આવરણ રોકે છે. એટલે કે ભાવઆવરણ રોકે છે. અશુદ્ધ પરિણમન એ પોતે કરે છે એ રોકે છે. એનો આરોપ નિમિત્તમાં કરીને દ્રવ્યઆવરણ રોકે (છે) એમ કહ્યું. આહા..હા...! સમજાણું કાંઈ ? આવું છે. મુમુક્ષુ :– કથનના બે પ્રકાર છે, માર્ગ તો એક જ પ્રકારે છે.
ઉત્તર :– વસ્તુ એક જ પ્રકારે છે. આહા..હા...! એમાં આવ્યું ને પાછું ? એવું આવરણ શુદ્ધ પરિણામથી મટે છે,...' તેનો અર્થ શું થયો ? કે, અશુદ્ધ પરિણામથી કર્મ બંધાય છે એ અશુદ્ધ પરિણમન શુદ્ધ પરિણમનથી મટે છે. મટે છે ત્યારે કર્મ પણ મટી જાય છે. આહા..હા...! મૂળ અર્થ કરવામાં આખો ફેર પડી ગયો. શાસ્ત્રના જે મર્મ છે એના ભાવના અર્થમાં (ફેર પડી ગયો) એટલે એટલો મોટો ગોટો ઊઠ્યો કે, આવરણ કર્મને લઈને આત્મા રખડે. અહીં તો (કહે છે), કર્મ બિચારે કૌન ? ભૂલ મેરી અધિકાઈ’ કર્મ બિચારા શું કરે ? એ તો જડ છે, માટી - ધૂળ અજીવ (છે). આ જેમ માટી છે એમ કર્મ તુચ્છ માટી છે. આહા..હા...!
પોતાની ભૂલ પોતાના શુદ્ધ પરિણમનને ભૂલી અને અશુદ્ધ પરિણમન પોતે કરે છે તે શુદ્ધ પરિણમનને રોકે છે અથવા કેવળજ્ઞાન અને કેવળદર્શન સ્વભાવને રોકે છે. ‘પ્રવચનસા૨’ની ૧૬મી ગાથામાં એ આવ્યું – સ્વયંભૂ ! એને બે પ્રકારના આવરણ