SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ કળશ-૧૭૮ ૩૭૩ નહિ એટલે એ અધર્મ છે. મુમુક્ષુ :- પુણ્ય કહો. ઉત્તર :– પુણ્ય કહો, અધર્મ કહો, ધર્મ ન કહો. અધિકાર ન આવ્યો? પુણ્ય અધિકાર ! પુણ્યને સુશીલ કહીએ તો એ પુણ્ય તો સંસારમાં રખડાવનાર છે. પુણ્યભાવ તો સંસાર છે અને એનું ફળ રખડવાનો ભવ છે. જે સંસારમાં દાખલ કરે એ ભાવને ધર્મ કેમ કહીએ? આહા..હા! ઝીણી વાતું, ભાઈ ! અને એક વાત કરી હતી. અમારા ઉપર વિશ્વાસ ખરો ને ? લોકોમાં અમારી માન્યતા, પ્રતિષ્ઠા બહુ હતી. વ્યાખ્યાન વાંચતા ૬૦ વર્ષ થયા. (સંવત) ૧૯૭૪ થી હજારો માણસમાં વ્યાખ્યાન ચાલે છે. ૧૯૭૪ ! વ્યાખ્યાન વાંચતાં વાંચતાં ૬૦ વર્ષ થયા ! ૨૮મા) વર્ષથી ચાલે છે. શરીરની ઉંમર ૨૮ની, સાંઈઠ વર્ષથી વ્યાખ્યાન (ચાલે છે). ૮૮ થયા. ત્યારે બીજો બોલ કહ્યો હતો. જે પંચ મહાવ્રત છે એ આસવ છે. પંચ મહાવ્રત છે એ આસ્રવ છે, ધર્મ નહિ. માણસો સાંભળતા હતા. એક વીસાશ્રીમાળી શે) હતા. અમારા એક ગુરભાઈ હતા, બુદ્ધિ વિનાના ! એ સાંભળીને બોલવા લાગ્યા), વો રે.. વીસરે. વીસરે... વીસરે. વીસરે એટલે આ શ્રદ્ધા ન જોઈએ, ન જોઈએ. આવું તો ૧૯૮૫ની સાલથી સંપ્રદાયમાં ચાલે છે. આહા...હા...! ભાઈ ! પ્રભુ તો એમ કહે છે કે, એ શુભભાવ પોતે સંસાર છે. “સમયસાર નાટકમાં કહ્યું નહિ? મુનિને, સાચા સંતને જેને ભાવલિંગ – અતીન્દ્રિય આનંદના સ્વાદની જેને ઉગ્રતા આવી છે, ભગવાન અતીન્દ્રિય આનંદનો ગાંગડો છે. સાકરમાંથી જેમ મીઠાશ આવે એમ ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદની મૂર્તિ પ્રભુ છે. એનો અનુભવ થતાં એની પર્યાયમાં અતીન્દ્રિય આનંદનું વેદન આવે. એવા મુનિને પણ સ્વસંવેદનની પ્રચુર અતીન્દ્રિય આનંદની દશામાં પણ જે પંચ મહાવ્રતનો વિકલ્પ ઊઠે તે આસ્રવ છે, બંધનું કારણ છે. આહા...હા...! અરે..! એને આત્માની કિંમત – મહત્તા આવી નથી. એને રાગની મહત્તા છે. આહા...હા...! દયા પાળી, પુણ્ય કર્યા, આ કર્યા ને તે કર્યા. આહાહા....! અહીંયાં કહેવું છે કે, બંધના કારણમાં પરદ્રવ્યપણું નહિ. પરદ્રવ્યનું સ્વામિપણું બંધનું કારણ છે. એમાં કાંઈ ફેર પડ્યો ? મોટો ફેર ! પરવસ્તુ તો પરવસ્તુ છે. એ કંઈ બંધનું કારણ નથી, એ તો જોય છે. પણ પરવસ્તુ અને રાગનું ધણીપતુ (એટલે કે આ મારા છે એવું સ્વામિપણું એ નવા કર્મનું મૂળ કારણ છે. આહા..હા...! છે ને આ શબ્દ ? આ મોટો તકરારી શબ્દ છે. શબ્દ તકરારી હશે ? અર્થ કરનારમાં ફેર (છે) માટે (તકરારી લાગે બાકી) શબ્દ તો શબ્દ છે. છે ? પદ્રવ્યનું સ્વામિત્વપણું છે મૂળ કારણ જેનું...” એવી નવા કર્મની સંતતિ આવવાનું આ કારણ છે એમ કહે છે. નવા કર્મની સંતતિ નામ પ્રવાહ. નવા કર્મ આવવાનો પ્રવાહ.
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy