________________
કળશ-૧૭૮
૩૬ ૭
ભગવાનઆત્મા જ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાનસ્વરૂપને હવે કેવી રીતે અનુભવે છે ?” નિર્ભરવહનૂર્ણાસંવિદ્યુતં “અનંત શક્તિના પુંજરૂપ...” “નિર્ભર ની વ્યાખ્યા (કરી). “નિર્મર' આ ભર.... ભર નથી કહેતા ? આપણે આ ગાડા ભરે (ને) ? એમાં અનાજ ભરે ને? એને ભર ભર્યો કહેવાય. અહીં નિર્મર' છે. “નિ’ વિશેષ છે. વિશેષ ભર ! ગાડા ભરે ને ? એ ભર ભર્યો કહેવાય. ઘાસ ભરે એને ભર (કહેવાય). એમ આત્મા ‘નિર્મર' છે. અનંત અનંત ગુણનો ભર ભરેલો નિર્ભર છે. આહા...હા....! છે ? “નિર્મર' છે ને ? એની આ વ્યાખ્યા છે. નિર્મર' ભર – ભરેલો. નિ' ઉપસર્ગ છે. ખૂબ ભરેલો. ખૂબ ભરેલો ! આ એક એક શબ્દ છે ઈ કંઈ મફતના નથી. ભગવાન સંતોની વાણી છે આ તો ! - ભગવાન નિર્ભર છે. જુઓ ! ભાષા કેવી કરી છે ! “અનંત શક્તિનો.” પુંજ છે. ભરેલો છે પણ અનંત શક્તિનો પૂંજ છે. આહા..હા...! અનંત શક્તિથી ભરેલો છે એટલે કે અંદર અનંત શક્તિનો પ્રભુ પુંજ છે. જ્ઞાન, દર્શન, આનંદ, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા, કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન આદિ. એવી અનંત શક્તિ – અનંત ગુણનો ઈ ઢગલો છે. આહા..હા...! શરીપ્રમાણે અંદર રહેવું અને એને – આત્માને અનંત ગુણનો પુંજ કહેવો ! બાપુ ! એમાં અનંત ગુણ છે. આહા..હા..! સમજાણું કાંઈ ? - “નિર્મર' “અનંત શક્તિના પુંજરૂપે...” (વહ) નિરંતર પરિણમે છે...... લ્યો, શું કહે છે ? સ્વરૂપથી ભ્રષ્ટ હતો ત્યારે રાગપણે, પુણ્યપણે, પાપપણે નિરંતર પરિણમતો. હવે એ રાગથી ભિન્ન પડીને સ્વરૂપની દૃષ્ટિનું ભાન થયું તો નિરંતર જે અનંત ગુણનો પિંડ છે એ પર્યાયમાં પણ અનંત ગુણનું પરિણમન નિર્મળ થાય છે. આહા...હા..! સમજાણું કાંઈ ? આવી વાતું હવે, એક કલાકમાં કંઈક જાતની વાતું આવે. એમાં પહેલાં સાંભળ્યું હોય) ઈ માળું આમાં કાંઈ ન આવે ! આ તો માર્ગ જુદો છે ને, પ્રભુ આ તો તદ્દન મોક્ષનો માર્ગ છે. આહા..હા..! એ પણ ત્રિલોકનાથ તીર્થંકર પરમેશ્વરે કહેલો, ઇન્દ્રોના ટોળામાં અને સિંહ ને વાઘ ને નાગના (સમૂહમાં કહેલો). સેંકડો સિંહ સમવસરણમાં આવે. ભગવાનની વાણી – દિવ્યધ્વનિ 3ૐ નીકળે, એમાંથી આવેલી આ વાત છે ! સમજાણું કાંઈ ? આહા...હા...!
“નિરંતર પરિણમે છે....” (વહત) છે ને? (વહ) (વહ) છે (એટલે કે) વહે છે. પાણી જેમ વહે છે ને ? (વહ) છે, વહે છે. ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ છે અને રાગથી ભિન્ન પડીને જ્યાં જાણ્યો ત્યારે અનંત ગુણના પરિણામ વહે છે. પર્યાયમાં અનંત ગુણની પર્યાય અંદરમાં આવે છે. આહા...હા...! (વહત) છે.
‘નિરંતર પરિણમે છે એવું . પૂuf “સ્વરસથી ભરેલું... આહા...હા...! સ્વરસથી ભરેલો ભગવાન ! પોતાના જ્ઞાન, દર્શન, આનંદના રસથી ભરેલો પ્રભુ છે. આહા..હા..! સ્વરસથી ભરેલું...” રાગના રસથી જુદું. આનંદ અને જ્ઞાનના રસથી ભરેલો પ્રભુ અંદર છે. આહા..હા...!