________________
૩૬૦
કિલશામૃત ભાગ-૫ પોતાનું માન્યું (તો) પર્યાયબુદ્ધિ થઈ, અવસ્થાબુદ્ધિ થઈ. એ બુદ્ધિને છોડી અને રાગની એકતાબુદ્ધિ તોડી ત્યારે દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિ થઈ. વસ્તુ... વસ્તુ... વસ્તુ.... એની દૃષ્ટિ થઈ એને અહીંયાં જીવ સાથે સંબંધ જોડડ્યો એમ કહેવામાં આવે છે. અને રાગની પર્યાયબુદ્ધિ – એકત્વ(બુદ્ધિ) હતી તે તોડી એમ કહેવામાં આવે છે. આવું છે. (વાત) આવે છે તો લોજીક – ન્યાયથી પણ હવે પકડવું એ તો સાંભળનાર ઉપર છે). અનંતકાળ થયો અને અત્યારે તો એ વાતને બધાએ બહુ ગડબડે ચડાવી દીધી. આહા...હા..
મૂળ હજી જેનું બળ્યું નથી, રાગની એકતાની બુદ્ધિ તોડી નથી એને આત્મા પ્રાપ્ત કઈ રીતે થાય ? આહા..હા..! એ ગમે એટલાં વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા કરી કરીને મરી જાય.... આ..હા..હા..! પણ એ ભગવાન પૂર્ણાનંદના નાથની સાથે સંબંધ નહિ જોડી શકે. એ રાગનો સંબંધ તોડી નહિ શકે. સમજાણું કાંઈ ? આહા...હા...!
વસ્તુસ્વરૂપ ઉપર દૃષ્ટિ આપતાં અથવા એ રાગનો ભાગ જે પર તરફના લક્ષવાળો વિકાર (થાય છે) તેના તરફથી લક્ષને છોડી દઈ અને સ્વભાવ – વસ્તુસન્મુખ દૃષ્ટિ અને લક્ષને કરી અને પર તરફથી સંબંધ તૂટ્યો એટલે સ્વનો સંબંધ થતાં આત્મા જાગ્યો. ગર્જયો એટલે પ્રગટ થયો. આત્મા બેચેન હતો તે ચેન આવીને ર્તિ આવી. આહાહા....! રાગમાં ઘેરાઈ ગયેલો હતો... આ..હા...હા...! એને એનાથી જુદો પાડીને પ્રથમ સમ્યગ્દર્શનના કાળમાં તેને ભિન્ન પાડીને આત્માને પકડ્યો. આહાહા....! ત્યારે આત્મા ગર્જયો કહે છે, પ્રગટ્યો,
ફુરણા થઈ, રિત થયો, બહાર આવ્યો, પ્રકાશ થયો. જે રાગની એકતામાં અંધકાર હતો.... આહાહા..! એ રાગની એકતા તોડીને સ્વભાવની એકતા થઈ (તો) ચૈતન્યનો પ્રકાશ આવ્યો. હું તો ચૈતન્ય જ્ઞાનપ્રકાશ મૂર્તિ છું. એમ ગાજ્યો એટલે પ્રગટ્યો. અરે...! આવું છે આ ! જૈનધર્મ આવો હશે ? જૈનધર્મ તો આ એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રણઇન્દ્રિયા, ચૌઇન્દ્રિયા... મિચ્છામિ દુક્કડમ્ કરતા હતા કે નહિ? ભાઈ ! સામાયિકમાં આવે છે ને ? ઇચ્છામિ પદ્રિકમ્મઆ. ઇરિયા.... એ તો શુભ રાગની ક્રિયાની વાત છે, બાપા ! એ ધર્મ નહિ. તસૂતરી કરણેનું, લોખ્ખસ્સ ઉજ્જયગરે ધમ્મ તિસ્થિયરે જિણે.... એવા પાંચ પાઠ બોલે તો થઈ જાય સામાયિક ! ધૂળેય સામાયિક નથી, સાંભળને ! એ તો રાગની મંદતા થતી હોય તો પુણ્યભાવ છે પણ મિથ્યાત્વભાવ સહિતછે. એ પુણ્યભાવથી મને ધર્મ થાય છે એ માન્યતા મિથ્યાત્વ છે. કારણ કે રાગના સંબંધવાળી એ દૃષ્ટિ છે. આહાહા...!
અહીં કહે છે કે, રાગના સંબંધવાળી દૃષ્ટિ છોડીને જેણે જોડી હતી તેણે તોડી. જોડી હતી પોતે. રાગના સંબંધમાં જોડી હતી પોતે, એ જોડી એણે તોડી. આહા..હા..! એમ કહેવાનો આશય શું છે ? કે, કર્મને લઈને રાગ સાથે સંબંધ જોડ્યો હતો એમ નહિ. તેમ કર્મ ખસે તો અહીંયાં આત્મા સાથે જોડાણ થાય, સમતિ થાય એમ નહિ. આહા...હા...! ન્યાય સમજાય છે કાંઈ ? આહાહા..!