________________
કળશ-૧૭૮
દશાની દિશા સ્વ ઉપર છે.
મુમુક્ષુ :
દિશા પલટીને જે ધર્મ થયો એ એકસાથે થયો.
ઉત્તર :– એકસાથે એટલે ? જે પર્યાય પર તરફ હતી તે નહિ. પછીની પર્યાય થઈ, ઉત્પત્તિ થઈ અને ગઈ, અંદર વળી એ બન્નેનો એક સમય છે. ઝીણી વાત છે તદ્દન !
આહા..હા...!
વર્તમાન પર્યાય એટલે અવસ્થા એટલે હાલત પ્રગટ દશા, ત્રિકાળી તત્ત્વ ધ્રુવ પણ વર્તમાન દશા જે જાણવાની અવસ્થા છે ને વર્તમાન પ્રગટ એનું વલણ આમ છે. પુણ્ય ને પાપ ને નિમિત્ત (તરફનું) વલણ છે. એ સંસાર છે. એ પર્યાય તો ત્યાં છે જ, હવે એ પર્યાય આમ વાળી શકાય નહિ. પછીની પર્યાય ઉત્પન્ન કરી અને એમાં વળી એ બધો સમય એક છે. ઝીણી વાત છે. આ તો મહાપ્રભુની વાતું છે, બાપા ! આ કાંઈ વાર્તા-કથા નથી. ચકલી લાવી ચોખાનો દાણો ને ચકલો લાવ્યો મગનો દાણો ને પછી કરી ખીચડી... નાની ઉંમરમાં એવું ગોખતા. કુંભારને આપ્યું ને કુંભારે ઘડોલો આપ્યો. ઘડોલો ખજૂરાનો ખજૂર આપ્યો... ને આમ થયું ને તેમ થયું... ગપ્પેગપ્પા બધા ! આ તો ત્રણલોકના નાથ પરમાત્મા ! આહા..હા...! સર્વજ્ઞદેવ તીર્થંકર પરમાત્મા જેને સો ઇન્દ્રો ગલુડિયાની જેમ સાંભળવા બેસે.... આ...મ ! બાપુ ! એ વાતું કેવી હોય ભાઈ ! અપૂર્વ વાત છે, ભાઈ !
ભગવાનઆત્મા ! અહીં તો પ્રત્યક્ષ છે એમ કીધું ને ? આહા..હા...! છે તો પ્રગટ વ્યક્ત ! એમ કહે છે મૂળ તો. વસ્તુ તો વસ્તુ તરીકે છે જ. એ કંઈ નવી થાય છે, એનો અભાવ હતો અને થાય છે એમ છે ? એ તો ભાવ... ભાવ... ભાવ... ભાવ... ભાવ. જ્ઞાનાનંદ... જ્ઞાનાનંદ... જ્ઞાનાનંદ... જ્ઞાનાનંદ... ધ્રુવ... ધ્રુવ... ધ્રુવ... ધ્રુવ... ધ્રુવ... ધ્રુવ... ધ્રુવનો પ્રવાહ અનાદિ છે. નિત્ય... નિત્ય. નિત્ય નિત્ય. નિત્ય નિત્ય... નિત્ય... વ્યક્ત પ્રગટ નિત્યપણું પ્રગટ અનાદિઅનંત છે. પેલી વાતું સાંભળતા હોય... ઇચ્છામિ પડિકમ્મણા... તસ્સ મિચ્છામિ દુક્કડમ્... લ્યો ! તસૂતરી કરણેન.. અપ્પાણું.. વાસરે.. એમાં શું આવ્યું ? સાંભળને ! એના અર્થની પણ ખબર ન મળે અને ભાવની પણ ખબર ન મળે. આહા..હા...!
૩૫૫
—
—
અહીં તો પરમાત્મા એમ કહે છે, મુનિ કહે છે ઈ ૫રમાત્મા જ કહે છે. ૫૨માત્માનો માલ જ મુનિ આડતિયા થઈને વેચે છે આપે છે. માલ આ છે, બાપા ! આહા..હા...! આ આત્મા એમ છે ને ? C' શબ્દ પડ્યો છે ને ? ૫” ! ઘુષ’ એટલે આ. C’ એટલે આ. છે ને ? ચોથી લીટી છે. ૫ ભગવાનઆત્મા ! છે ને ? પ’ શબ્દ છે. ઈ ને ? આહા..હા....!
૫ આત્મા આત્માનું સમુપૈતિ યેન આત્મનિ સ્પૂનતિ” આહા..હા..! આ આત્મા પ્રત્યક્ષ છે. તે અનાદિકાળથી સ્વરૂપથી ભ્રષ્ટ થયો હતો...' હવે અહીં તો ગરજે છે, પ્રગટે છે એમ કહેવું છે ને ? ભગવાન વ્યક્તરૂપે ચૈતન્ય તો પડ્યો જ છે. આહા..હા...! એ અનાદિકાળથી