________________
કળશ-૧૫૪
ને ? આ..હા...! એને જ્યાં ઝૂંપડી મળી ત્યાં ઊભી રહી. ત્યાં પેલા શિકારીઓ આવ્યા. અરે...! આ શું !? તમે અહીં ક્યાં !? જંગલમાં ! આવું થયું. કહો ! એવી સ્થિતિમાં સમકિતી મૂકાણો હોય તો (એને) ભય નથી એમ કહેવું છે. ભાઈ ! આ..હા..હા...! એ લખાણ છે, (કોઈ ભાઈ) ચિઠ્ઠી લાવ્યા હતા. આહા..હા...! (ચારે બાજુ) આમ ઝાડ... ઝાડ... હેઠે કાંઈ દેખાય નહિ. અંધારા ! પાણીના ધોધ પડે ! દેડકાઓ પણ ઝેરીલા દેડકા ! રણકાર માટે ! હજારો દેડકા ! વાઘ-સિંહ કોઈ નહિ હોય એટલે રહી ગઈ. આ..હા...!
૨૩
એવી સ્થિતિમાં એટલે કે સાતમી નકમાં જેમ સમિકતી છે એને શરીરમાં જન્મથી જ સોળ રોગ ! અને સંયોગની પ્રતિકૂળતાની બેહદતા ! (છતાં અંદર) નિર્ભય છે. મારું ચૈતન્યશરી૨ કોઈ હણી શકે એવી કોઈની તાકાત નથી ! સમજાણું કાંઈ ? બાપુ ! સમ્યગ્દર્શન શું ચીજ છે અને સમ્યગ્દર્શનનો સ્વભાવ શું) ? કેવા સ્વભાવને એણે જાણ્યો છે અને એનો સ્વભાવ કેવો થઈ જાય છે ? આ છોડીની તો સાધારણ વાત કરી પણ સાતમી નરકના નારકીની પીડા જુઓ તો બાપુ ! જેની એક ક્ષણ જવી કઠણ પડે એવા તેંત્રીસ સાગરો ત્યાં રહે. આહા..હા...! જાય ત્યારે મિથ્યાષ્ટિ હોય. સાતમી નકે જાય ત્યારે મિથ્યાદૃષ્ટિ હોય. નીકળે ત્યારે પાછા મિથ્યાસૃષ્ટિ હોય. વચમાં સમકિત પામે ! આ..હા..હા...! એ પીડા ને એ સંયોગો પણ આત્માને ક્યાં અડે છે ? આ..હા..હા...!
શાશ્વત વસ્તુ જે અવધ્ય ધ્રુવ ચીજ પડી છે, આનંદનો નાથ ! આહા..હા...! એને કોણ હણે ? અને એને કોણ ઉપસર્ગ ને પરીષહ અડે ? સમજાણું કાંઈ ? ત્યાં સમકિતી નિર્ભય છે. આ તો બિચારી મિથ્યાષ્ટિ બાઈ (હતી) તોપણ સાહસપણે (રહી) નહિતર મરી જાય. આમાં જાવું ક્યાં ? (એને એમ થાય કે) પાણીમાં પડીને મરી જાઈએ. તોપણ આયુષ્ય છે ને ? એમ આ ત્રિકાળી ભગવાન છે ને ! આહા..હા...!
જેની દૃષ્ટિમાં શાશ્વત આત્મા છે ને ? એને કોઈ ભય છે નહિ. આહા..હા...! આવી સમકિતની કિંમત છે !! આવું સમ્યગ્દર્શનનું માહાત્મ્ય છે ! આહા..હા...! જેનો વિષય તો શું કહેવું !! સમ્યગ્દર્શનનો વિષય શાશ્વત વસ્તુનું તો શું કહેવું !! એ તો અંદર અનંતા... અનંત... ચૈતન્યરત્નના ભંડાર ભર્યાં (છે) !! આહા..હા...! અનંત આનંદ અને અનંત જ્ઞાન થાય તો એવી અનંતી... અનંતી... દશાઓ નીકળે તોપણ ત્યાં તો અંદર ખાણ પડી છે ! જેમ હીરા-માણેકની ખાણ (હોય) એમ આ તો ચૈતન્યરત્નની ખાણ ! ચૈતન્યરત્નાકર ! કાલે આવ્યું હતું. એવો આત્મા જેને દૃષ્ટિમાં, અનુભવમાં આવ્યો... આ..હા..હા...! એને ભયના પ્રકારમાં કોઈ ભય હોતો નથી. કેમ ? કે, નિસર્ગ નિર્ભય છે). એનો સ્વભાવ જ નિર્ભય છે એમ કહે છે. સમજાણું કાંઈ ? આહા..હા...!
અહીં તો (અજ્ઞાની જીવને) કાંઈ ખોટ જાય કે આબરૂ જાય ત્યાં રાડ નાખે, હાય... હાય... મરી ગયા ! કોને મોઢું દેખાડવું ? ઝેર ખાઈને પડો કૂવામાં ! આહા...હા...! હમણાં