SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૭ કળશ- ૧૭૬ કહેવામાં આવે છે. આહા..હા...! સમજાણું કાંઈ ? સ્વરૂપનો આશ્રય જો પૂર્ણ સાવધાની હોય, મોહરહિત એટલે પૂર્ણ સાવધાની જો આત્મામાં હોય તો ૫૨ તરફનો આશ્રય અને સાવધાની અંશે પણ ન હોય. પણ આત્મામાં શુદ્ધતામાં પૂર્ણ આશ્રય નથી, પૂર્ણ સાવધાની નથી તેટલી એને પ૨ને આશ્રયે, પરની સાવધાનીમાં અશુદ્ધતા ઉત્પન્ન થાય છે. તેને ૫૨ તરીકે જાણે છે અને વેઢે છે તોપણ ૫૨ તરીકે વેદે છે. આહા..હા...! સમજાણું કાંઈ ? આવું છે. એક શ્લોકમાં કેટલું ભર્યું છે ! ઓ...હો..હો..હો....! દિગંબર ભાવલિંગી સંતોએ ગજબ કામ કર્યું છે ! આ..હા...! કર્મના ઉદયની ઉપાધિ છે એમ અનુભવે છે.’ જોયું ? જો મિથ્યાત્વ હોય તો ઉદયને લઈને મિથ્યાત્વ અનુભવે એ તો અહીંયાં છે જ નહિ. અહીં તો જરી રાગ-દ્વેષ થાય છે, પુણ્ય-પાપના ભાવ ધર્મીને પણ થાય છે એ કર્મની ઉપાધિ છે એમ જાણીને અનુભવે છે. જાણે છે કહો, વેકે છે કહો એમાં કંઈ હરકત નથી. આહા..હા...! સમજાણું કાંઈ ? ‘એમ અનુભવે છે.’ ‘વ્રત: વ્યારા: નૈ મતિ” છે ? આ કારણથી રાગાદિ અશુદ્ધ પરિણામોનો કર્તા થતો નથી.’ કર્તા થતો નથી એનો અર્થ કરવાલાયક છે એ રીતે કર્તા થતો નથી. કર્તા તો છે, પર્યાયમાં જેટલો રાગ છે એટલો કર્તા તો નયથી છે, કર્તાનય છે. આવી વાત છે. આ તો દિગંબર ધર્મ એટલે... આહા..હા...! પ્રશ્ન :- કર્તા છે કે કર્તા નથી ? સમાધાન :- કર્તા છે ઈ વેદન તરીકે છે. કરવાલાયક છે એ રીતે કર્તા નથી. કર્તાવ્ય તરીકે નથી. મારું આ કર્તવ્ય છે એમ નથી પણ પરિણમે છે માટે કર્તા તરીકે છે એમ એ જાણે છે. આવી વાતું છે. કર્તા નથી ભોક્તા છે. મુમુક્ષુ : ઉત્તર ઃનહિ, કર્તા છે. ઈ નયના અધિકારમાં આવશે. રંગરેજ જેમ રંગને કરે છે એમ જ્ઞાની પણ રાગને કરે છે. કર્તાનય છે અને નયનો સમૂહ તે શ્રુતજ્ઞાન છે. એ શ્રુતજ્ઞાન દ્વારા આત્મા જાણવામાં આવે છે. અહીં તો જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ.’ આડુંઅવળું ચાલે નહિ. ભાઈ ! આ તો વીતરાગનો માર્ગ છે. આહા..હા...! પરમાત્માની પેઢીએ બેસીને એનાથી વિરુદ્ધ વાત કરવી એ કંઈ ચાલે ? ભગવાનનો જે ભાવ છે તે રીતે કહે તે માર્ગ ચાલે. આ..હા...! ‘કર્તા થતો નથી.’ કઈ રીતે ? મારા છે તેમ માનીને કર્તા થતો નથી, એમ. જુઓ ! એમ માથે આવ્યું હતું ને ? આવ્યું હતું ને ? જીવદ્રવ્યનું સ્વરૂપ એમ અનુભવતો નથી, કર્મના ઉદયની ઉપાધિ છે.’ એમ જાણે છે અનુભવે છે.’ એટલે કે કર્મનો ઉદય છે એ મારું કર્ત્તવ્ય નથી પણ પરિણમન રીતે મારામાં થાય છે માટે કર્તા કહેવામાં (આવે છે),
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy