SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ કળશ-૧૭૬. ૩૩૫ તો પર્યાય છે તે આત્મા છે, એમ સિદ્ધ કરવું છે. અહીં તો પ્રત્યભિજ્ઞાનનું કારણ એવો જે ધ્રુવ તેને આત્મા નહિ આલિંગન કરતો, તેને નહિ સ્પર્શતો, પર્યાય જે શુદ્ધ વેદન છે તેને સ્પર્શે છે એટલે તેને વેદે છે). એ આત્મા પર્યાય છે. ઈ વાત બીજી અને આ વાત બીજી છે. “અબાધ્ય અનુભવ જે રહે, તે છે.” એ તત્ત્વની સિદ્ધિ કરી છે. અહીં તો વેદનમાં પર્યાયનું વેદન છે તેથી તે આત્મા વેદનમાં દ્રવ્યને સ્પર્શતો નથી. આહા..હા...! સમજાણું કાંઈ ? આવો માર્ગ છે. એ અહીં કહ્યું, જુઓ ! “રાજમલે’ અર્થ પણ કેવો કર્યો છે નાનાંતિનો અર્થ આસ્વાદ કર્યો. યથાર્થ છે. આહાહા...! એ સમકિતી જ્ઞાની ભલે ગૃહસ્થ હોય), એમાં શું છે ? સત્યને તો સત્ય રીતે જ એ સિદ્ધ કરે. ચારિત્રની નબળાઈ છે એને જાણે છે કે, મારામાં ચારિત્ર નથી. પણ દૃષ્ટિ તો જેવી સિદ્ધની છે તેવી જ દૃષ્ટિ સમકિતીની છે. આહા..હા....! બે લીટી થઈ. અડધો કલાક થયો. આમાં એટલું ભર્યું છે, હોં ! અંદર છે. તેન : પાવીને માત્મ: ૧ – કેમ ? કે, જે શુદ્ધ સ્વરૂપ છે તેને આસ્વાદ છે માટે તેનાથી વિરુદ્ધ એવા રાગાદિ ભાવ છે ? “સમ્યગ્દષ્ટિ જીવ રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામો જીવદ્રવ્યનું સ્વરૂપ છે એમ અનુભવતો નથી....... આહા..હા...! જાણે છે, રાગ-દ્વેષ હોય છે તેને જાણે છે પણ એ મારું સ્વરૂપ છે એમ અનુભવતો નથી. રાગ-દ્વેષ તો સમકિતીને થાય છે, જાણે છે પણ એ મારું સ્વરૂપ નથી (એમ જાણે છે). પર તરીકે એને વેદે અને જાણે. આહા..હા...! મારું સ્વરૂપ છે એમ માનીને સ્વમાં જાણે અને વેદે એમ નહિ. આહાહા...! પાછું અશુદ્ધપણું બિલકુલ નથી એમ પણ નહિ. પણ અશુદ્ધપણું જીવનું સ્વરૂપ નથી. આહા...હા...! નિમિત્તના સંગે, પરને વશે – નિમિત્તને વશે, નિમિત્તથી નહિ, નિમિત્તને વશે થયેલો રાગ તેને અશુદ્ધપણે જાણે છે. સમજાણું કાંઈ ? આહાહા...! રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધપરિણામો...” “સાત્મનઃ ર % આહા..હા..! છે ને ? ૧૭૫ માં આવ્યું હતું. “ન નાનુ રાિિનમિત્તભાવ નાતુ શબ્દ પડ્યો છે ને ? કદી પણ રાગભાવને શુદ્ધ ઉપાદાનભાવથી કરતો નથી એમ ત્યાં લીધું છે. આહા..હા...! ભગવાન શુદ્ધ સ્વરૂપ એ નિમિત્ત એટલે શુદ્ધ ઉપાદાન, એ શુદ્ધ ઉપાદાન વડે રાગને કદી કરતો નથી. ‘ના, આહા...હા...! થાય છે, પણ ઈ જીવસ્વરૂપ છે એમ જાણીને, માનીને થાય છે એમ નથી. સમજાણું કાંઈ ? આવો ઝીણો માર્ગ એટલે માણસને (જી સમજાય નહિ). મુમુક્ષુ – બન્ને સાથે એક સમયમાં હોય છે. ઉત્તર :- હોય છે ને, હોય છે. એને મારું સ્વરૂપ છે એમ માનતો નથી. પર તરીકે એને જાણે છે. છે મારી પર્યાયમાં એમ જાણે છે અને તે પણ પરિણમન મારું છે એમ જાણે છે. મુમુક્ષુ - તેમાં મમત્વબુદ્ધિ નથી, એકત્વબુદ્ધિ નથી.
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy