SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ કળશ-૧૭૬. ૩૩૩ મુમુક્ષુ :- આનંદનું ફળ પ્રાપ્ત થાય છે. ઉત્તર :- હા, જુઓને ભાષા કેવી કરી છે ! આ તો “રાજમલ' પાઠની ટીકા કરે છે. કેટલાક લોકો તો કહે કે, અમારે આચાર્યનું માન્ય (છે), ગૃહસ્થોનું માન્ય નહિ. અરે... પ્રભુ ! ત્યારે કોઈ દિગંબર વિદ્વાન) કહે કે, અમારે તો બધા પંડિતોનું માન્ય છે. “ખાણિયા ચર્ચા ! એમાં લખ્યું છે ને ? “ટોડરમલ”, “બનારસીદાસ’. ‘ભાગચંદજી અમને તો બધાને માન્ય છે. અરે...! સમ્યગ્દષ્ટિ કોઈપણ જીવ હો, ગમે તે વાત કરે તે સત્ય જ કરે. ચારિત્રમાં (ભલે) ફેર (હોય) પણ વસ્તુની દૃષ્ટિ અને વસ્તુનો અનુભવ અને વસ્તુના કથનમાં અને ક્યાંય ફેર ન હોય. સમજાણું કાંઈ ? આહા...હા...! કહે છે, જુઓ ! એટલા શબ્દમાં કેટલું નાખ્યું છે ! જુઓને ! ધીમેથી સમજવા જેવી વાત છે, બાપુ ! આ તો વીતરાગનો માર્ગ એવો છે. આહા..હા...! આવી વાત વીતરાગ સિવાય અને તે પણ દિગંબર સંતો સિવાય આવું જૈનધર્મનું સ્વરૂપ ક્યાંય છે નહિ. આહાહા...! બીજાને દુઃખ લાગે, ન લાગે, પ્રભુ ! દુઃખ લાગવા માટે વાત નથી. વસ્તુની સ્થિતિની આ મર્યાદા છે. વસ્તુ પોતે જ્યારે અનંત આનંદમય છે, અનંત જ્ઞાનમય છે, અનંત પ્રભુતામય છે, અનંત ચારિત્ર નામ શાંતિમય છે તો એની જ્યારે દૃષ્ટિ અને અનુભવ થાય ત્યારે એ બધાનો અંશ વેદનમાં આવે. આહા..હા...! પણ વેદનમાં આનંદની મુખ્યતાનો સ્વાદ લઈને આસ્વાદે છે એમ કહેવામાં આવ્યું છે. આહા..હા...! કહો, ભાઈ ! આવી વાત છે. “એમ. વીતરાગ સર્વશને જાણે એમ પણ અહીં નહિ. વીતરાગ પણ શુદ્ધ ચૈતન્યમૂર્તિ છે. સમજાણું ? છે ને ? પૂર્વોક્ત પ્રકારે દ્રવ્યનું સ્વરૂપ...' છે. કેવળી થયા એનું પણ શુદ્ધ સ્વરૂપ જ છે. સિદ્ધનું શુદ્ધ સ્વરૂપ જ એની પર્યાય છે પણ અહીં તો કહે છે), “á પોતાનું શુદ્ધ ચૈતન્ય... આહા...હા...! પરને કાઢી નાખીને પોતાના શુદ્ધ ચૈતન્યની વાત છે. કેમકે અન્ય દ્રવ્યનું જ્યાં લક્ષ કરવા જશે તો ચાહે તો સિદ્ધ કે અરિહંત હશે તોપણ રાગ થશે. એ પણ છે તો શુદ્ધ. દ્રવ્યે શુદ્ધ, ગુણે શુદ્ધ અને પર્યાયે શુદ્ધ (છે). છતાં સ્વથી પર ભિન્ન છે એનું લક્ષ કરવા જશે તો “પરબ્બીવો ટુરૂં “મોક્ષપાહુડ'ની સોળમી ગાથા ! પરદ્રવ્યનું લક્ષ કરશે એટલે ચૈતન્યની ગતિ જે જ્ઞાનાનંદની છે એ છૂટી જશે, રાગ થશે. આહા..હા..! એ રાગ છે એ ચૈતન્યની દુર્ગતિ છે. આહા...હા...! હવે, અહીંયાં તો પરની ભક્તિ કરવાનો ભાવ રાગ છે એ દુર્ગતિ કીધી. એનાથી આત્માને કલ્યાણ થાય એમ માનવું) પ્રભુ ! આ બહુ વિરુદ્ધ છે. અહીં તો સ્વ ચૈતન્ય શુદ્ધ સ્વરૂપ ! આહા...હા...! તેથી “સ્વ” શબ્દ વાપર્યો. પર શુદ્ધ છે તેનો અનુભવ તો હોય નહિ. એ તો પર ચીજ છે. પર ચીજ ભલે શુદ્ધ સિદ્ધ હો, અરિહંત હો પણ (તેનું) લક્ષ કરવા જશે તો સ્વનો આશ્રય છૂટીને પરનો આશ્રય થશે એટલે રાગ થાશે. આહા...હા...!
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy