SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ કળશ-૧૭૫ ૩૨૩ કથન છે. એ આમાં આવી જાય છે. “કળશટીકામાં આગળ આવી ગયું છે. અહીંયાં કહે છે કે, આત્મા પોતાના સ્વભાવથી વિકારરૂપે પરિણમે એ પોતે વિકારના કારણરૂપ સ્વભાવ નથી. કીધું ને ? સદા ઉદયમાન ! એ સ્વભાવ તો સદાય પ્રગટ છે. એને કોઈ વિકાર પ્રગટ કરે એમ છે નહિ). પોતે સ્વભાવ સ્વભાવને કારણે પ્રગટ કરે. આત્માના સ્વભાવને કારણે વિકાર થાય એવું છે નહિ અને તે વિકાર થવામાં અંદર પર્યાયની યોગ્યતાથી વિકાર થાય છે. એ ઉપાદાન કારણ એનું છે અને નિમિત્ત તેને કર્મ છે, બસ ! આહા...હા...! ભાઈ ! આવું ઝીણું છે. ક્યાંય મળે એવું નથી). પછી એને ન બેસે તો એ બિચારા એમ કહે ને, એકાંત છે.. એકાંત છે. કહે, એને જે બેઠું હોય એમ કહે ને ? એમાં શું થયું ? આહા...હા..! બાપુ આ સમ્યક એકાંત છે. સમ્યકુ એકાંત, હોં ! અહીંયાં વિકાર થવામાં સ્વભાવ કારણ નથી એમ કહ્યું, કર્મ કારણ નથી એમ કહ્યું. બે વાત લીધી. સ્વભાવ તો સદાય ઉદયમાન શુદ્ધ છે. ઈ સ્વભાવ કારણ નથી). ના પાડી ને ? આત્મા પોતે એ રૂપે પરિણમે એમ નથી, એમ પહેલાં કીધું ને ? વિકારરૂપે આત્મા – સ્વભાવ પરિણમે એમ નથી. એનો તો સ્વભાવ જ ભિન્ન છે. ત્યારે હવે વિકાર થાય છે તો ખરો. એનું કારણ કોણ ? એનું કારણ એની પર્યાયની ઉપાદાનની યોગ્યતા. કર્મ નિમિત્ત (છે). નિમિત્ત એટલે કે એક ઉપસ્થિત ચીજ. પણ નિમિત્તથી અહીં વિકાર થાય તો એ નિમિત્ત કહેવાતું નથી. આહા..હા...! મુમુક્ષુ :- અશુદ્ધ ઉપાદાન તેનું કારણ છે. ઉત્તર :- એ પોતે જ કારણ છે. આહા...હા...! શુદ્ધ ઉપાદાન કારણ નહિ, નિમિત્ત કારણ નહિ, એક સમયની પર્યાય વિકૃત (અવસ્થાનું કારણ છે. આહા...હા...! આ શિષ્યના પ્રશ્નનો ઉત્તર છે. શિષ્યએ પહેલાં ૧૭૪ શ્લોકમાં એમ પૂછ્યું હતું કે, પ્રભુ ! આપે એક કોર એમ કહ્યું કે, વિકારભાવ આત્માના નહિ અને વળી વિકારથી બંધન થાય એમ આપે કહ્યું. ત્યારે આ તે શું છે ? પુણ્ય અને પાપના ભાવ આત્માના નહિ – એક વાત. બીજી રીતે કહ્યું કે, પુણ્ય-પાપથી એને બંધન થાય છે. આ શું કહ્યું તમે ? ઈ પ્રશ્ન કર્યો હતો ને ? પૂર્વે ૧૭૪માં થઈ ગયો છે. સમજાણું ? દ્રિયો વનિદ્રાનકુવા-તે શુદ્ધવિનીત્ર મહોતિરિવા: ' “તિરિવર” (કહ્યું) જોયું ? એક તો બંધનું કારણ કહ્યું, વળી એને આત્માના સ્વભાવથી ભિન્ન કહ્યા. આહા..હા...! સમજાય છે કાંઈ ? આવો માર્ગ છે, બાપુ ! પેલું તો સહેલુંટ હતું – વ્રત કરવા, અપવાસ કરવા (એનાથી) ધર્મ થઈ જાય, જાઓ ! બાપુ ! એ અપવાસમાં પણ રાગની મંદતા હોય તો શુભ ભાવ છે. એ ઉપવાસ પણ નથી. એ તો અપવાસ છે. ઉપવાસ તો એને કહીએ કે, શુદ્ધ ચૈતન્યઘનની ઉપમાં (અર્થાતુ) સમીપમાં વસે એને ઉપવાસ કહીએ. એને છોડીને રાગની
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy