________________
૩૧૨
કલશામૃત ભાગ-૫ કારણ નથી, જીવનો સ્વભાવ – જીવદ્રવ્ય કારણ નથી પણ તેની પર્યાયમાં કર્મના નિમિત્તનો સંગ કરે છે તો વિકાર થાય છે. કર્મથી નહિ, આત્મદ્રવ્યથી નહિ. સમજાણું કાંઈ ? “પરણવ” નથી કહ્યું. વિકાર “પરણવ એમ નથી કહ્યું. “પરસ ' એમ કહ્યું છે. આહા...હા...!
પ્રશ્ન :- આટલા શબ્દમાં આટલો ફેર પડી ગયો ?
સમાધાન :- મોટો ફેર છે. દિગંબરના એક વિદ્વાન) અહીંયાં રહી ગયા હતા તેમણે) કબુલ કર્યું હતું કે, પરસ પવી છે, “નથી. આત્મામાં વિકાર થાય છે તે કર્મને કારણે થાય છે એમ છે નહિ. કર્મ તો પરદ્રવ્ય છે. આહા..હા...! કર્મ બિચારે કૌન ? ભૂલ મેરી અધિકાઈ.”
અહીંયાં કહે છે કે, “પૂરવનો અર્થ શું ? આહા...હા...! કે, પરસંગ. આહા...હા...! એ પોતે પરિણમતો નથી. “ભાવાર્થ આમ છે કે દ્રવ્યના પરિણામનું કારણ બે પ્રકારનું છે ?' આ વાત પહેલા આવી ગઈ છે. ૯૨માં પાને. ૯૨ (નંબરનું) પાનું છે ને ? એમાં આ વાત આવી ગઈ છે કે, વિકારના કારણ છે. એક ઉપાદાન અને એક નિમિત્ત. આત્મામાં વ્યવહાર રાગાદિ ઉત્પન્ન થાય છે તેના બે કારણ છે). એક ઉપાદાન અને એક નિમિત્ત. ઉપાદાન પોતાનું પોતાથી છે એમ કહે છે. જુઓ ! છે ?
“એક ઉપાદાનકારણ છે, એક નિમિત્તકારણ છે. ઉપાદાનકારણ એટલે દ્રવ્યમાં અંતર્ગભિત છે પોતાના પરિણામ-પર્યાયરૂપ પરિણમનશક્તિ.” આહાહા.! શું કહે છે? જુઓ ! પુણ્ય અને પાપના વિકાર થાય છે તેમાં અંતરંગ કારણ પોતાના ઉપાદાનમાં (એવી) શક્તિ – એવી યોગ્યતા છે. યોગ્યતા પોતાની છે, પોતાથી વિકાર ઉત્પન્ન થાય છે. અશુદ્ધ ઉપાદાન પોતાની વિભાવિક શક્તિ નિમિત્તને આધીન થાય છે તો પોતાથી થાય છે. સમજાણું કાંઈ? પણ ઉપાદાન પોતાથી છે, નિમિત્ત કર્મ છે. નિમિત્ત કર્મ છે તો નિમિત્ત કરે છે, એ (વાત) નથી. (જો એ કરે તો) નિમિત્ત કહેવાતું નથી. આહા...હા...! આવા સિદ્ધાંત ! વાણિયાને વખત મળે નહિ, નિર્ણય કરવાની નવરાશ (મળે નહિ). ભાઈ ! રળવામાં રોકાય, બાયડીછોકરા, કુટુંબમાં આખો દિ પાપમાં (જાય), એમાંથી એકાદ કલાક મળે તો માથે (સંભળાવનાર) જે કહે છે, જય નારાયણ..! આહા..હા..!
અહીં પ્રભુ એમ કહે છે, શિષ્યનો પ્રશ્ન એ હતો કે, આત્મા ચૈતન્યસ્વરૂપ ભગવાન છે તેનાથી પુણ્ય-પાપના ભાવ, વિકાર, રાગ-દ્વેષ તો બહાર છે. (એ) બહાર છે તેનું કારણ આત્મા છે તેનું કારણ કર્મ, બાહ્ય ચીજ છે ? તો ઉત્તર એમ આપ્યો કે, અંતર્ગભિત ઉપાદાન યોગ્યતા તો જીવની પોતાની છે. પર્યાયમાં વિકાર થવો તે યોગ્યતા, ઉપાદાનની પોતાની શક્તિ છે. કર્મ તો નિમિત્તમાત્ર છે. આહા...હા...! પરસંગ – પણ એ (આત્મા) પરનો સંગ કરે છે. એમ કહે છે. “પરણવ' નહિ. પોતાનો સંગ છોડી રાગ-દ્વેષમાં પરનો સંગ કરે છે. કર્મનો સંગ (કરે છે), કર્મથી નથી થતા), કર્મનો સંગ કરે છે. આહાહા....