________________
૩૦૮
કલશામૃત ભાગ-૫
કુંદકુંદાચાર્યદેવને શિષ્ય નમ્ર થઈને પૂછે છે. પ્રભુ ! આપે કહ્યું કે, રાગાદિ ભાવ બંધના કારણ છે અને એક બાજુ તમે એમ કહો કે, રાગ પોતાના નથી. (આ) શું કહો છો તમે ? સમજાણું કાંઈ ? આહા..હા..! દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ – રાગને બંધનું કારણ કહ્યું અને એક બાજુ આપ કહો કે, રાગ આત્માનો છે જ નહિ. તો આ આપ શું કહો છો ? આપને શું કહેવું છે ? એમ કુંદકુંદાચાર્યદેવને શિષ્ય નગ્ન થઈને પ્રશ્ન કરે છે. આ તેનો ઉત્તર છે. જેનો આવો પ્રશ્ન છે તેને ઉત્તર દેવાય છે). છે ને ? જુઓ !
પુન: પવમ્ સાટુ.' (પુન:) શુદ્ધ વસ્તુસ્વરૂપનું નિરૂપણ કર્યું તોપણ ફરીને એમ કહે છે ગ્રંથના કર્તા શ્રી કુંદકુંદાચાર્ય. કેવા છે ? જેમને આવો પ્રશ્ન નગ્ન થઈને પૂછવામાં આવ્યો છે. કેવો પ્રશ્ન ?” તે રીIIય: વનિતાનમ્ ૩વા: અહો સ્વામિન્ ! અશુદ્ધ ચેતનારૂપ....” આહાહા...અંદરમાં ચેતન ભગવાન શુદ્ધ ચૈતન્યથી વિપરીત અશુદ્ધ ચેતના – દયા, દાન, વ્રત, ભક્તિના જે પરિણામ છે, રાગ-દ્વેષ ભાવ અશુદ્ધચેતના છે, મલિનભાવ છે, મેલ છે. આહા..હા! શિષ્ય પ્રશ્ન કરે છે.
પ્રભુ ! “અશુદ્ધ ચેતનારૂપ.” ભાવ. છે ? “રાગ-દ્વેષ-મોહ ઈત્યાદિ અસંખ્યાત લોકમાત્ર વિભાવપરિણામ છે. અસંખ્યાત લોક પ્રમાણે વિકારીભાવ – વિભાવભાવ છે. દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધ, શુભાશુભ વગેરે અસંખ્ય પ્રકાર છે. છે ને ? (વનિદ્રાનમ્ સત્તા:) જ્ઞાનાવરણાદિ કર્મબંધના કારણ છે એવું કહ્યું,” આપે તો તેને બંધનું કારણ કહ્યું. “સાંભળ્યું...” આપે કહ્યું તે સાંભળ્યું એમ કહે છે. કાઢી નથી નાખ્યું. જેટલા પુણ્ય અને પાપના ભાવ (થાય છે) એ બંધના કારણ છે એમ આપે કહ્યું તે મેં સાંભળ્યું. ભાઈ ! બીજી વાત છે.
“સાંભળ્યું, જાણ્યું.... આપ રાગને બંધનું કારણ કહો છો, વ્યવહારને બંધનું કારણ કહો છે એ જાણ્યું. સાંભળ્યું અને જાણ્યું. (હવે) ત્રીજી વાત માન્યું...” માન્યું. શિષ્ય પ્રશ્ન કરે છે. આહા...હા.... જેટલો પરાશ્રયે રાગ (થાય) છે એ બંધનું કારણ છે, એ સાંભળ્યું, જાણ્યું, માન્યું. આહાહા...!
કેવા છે તે ભાવ ? શુદ્ધવિનાત્ર મહોતિરિવા: આહાહા...! “શુદ્ધ જ્ઞાનચેતનામાત્ર છે.” પ્રભુ. આહાહા...! અંદર ચૈતન્યજ્યોતિ (છે), ઝળહળ જ્યોતિ ચૈતન્ય જ્ઞાનપ્રવાહ ધ્રુવ, જેમ પાણીનું પૂર હોય છે તેમ ચૈતન્યનૂરનું તેજનું પૂર ભગવાન અંદર છે. આહા..હા..! એ શુદ્ધચિન્માત્રજ્યોતિ... આહાહા...! છે ? (તિરિવ7T:) “શુદ્ધ જ્ઞાનચેતનામાત્ર છે જે જ્યોતિ સ્વરૂપ જીવવસ્તુ...” એ જ્યોતિ સ્વરૂપ છે.
શ્રીમમાં આવે છે ને ? “શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ.” તને બીજું શું કહીએ ? ભગવાન અંદર શુદ્ધ ચૈતન્યઘન છે. તું અતીન્દ્રિય આનંદનો પિંડ પ્રભુ છે. આહાહા..! બુદ્ધ છે (અર્થાતુ) જ્ઞાનનો સાગર છે. જ્યોતિ છે. સ્વયં જ્યોતિ – ચૈતન્ય ઝળહળ જ્યોતિ અંદર બિરાજે છે. આહા..હા...! અને