SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ કિલશામૃત ભાગ-૫ છે અને પરના આશ્રયે ઉત્પન્ન થતાં દયા, દાન, વ્રતના ભાવ એ વ્યવહાર છે. તેને પોતાના માનવા એ મિથ્યાત્વ ભાવ છે. જેટલો વ્યવહાર છે એટલો મિથ્યાત્વ ભાવ છે. આહા..હા...! બે લીટીમાં તો આખા જૈનદર્શનનો સાર ભરી દીધો છે !! આ વાત જેન પરમેશ્વરના શ્રીમુખે નીકળેલી વાત છે ! અરે..! જગતના પ્રાણી ક્યાં ક્યાં (ધર્મ) માને અને ચીજ ક્યાં રહી ગઈ એ ખબર નહિ. આ.હા....! વ્યવહાર કેમ છૂટી ગયો ? સમ્યગ્દષ્ટિના મિથ્યાત્વનો નાશ થયો તો બધો વ્યવહાર છૂટી ગયો. કેમ ? છે ? મિથ્યાત્વના ભાવ તથા વ્યવહારના ભાવ એક વસ્તુ છે.” આ..હા.હા..હા..! પરના આશ્રયે રાગ આદિ શુભ (ભાવ) થાય છે અને તેનાથી મને લાભ થશે એમ માને છે, તો જેટલો વ્યવહાર છે તેટલો મિથ્યાત્વ ભાવ છે. આહા...હા...! આકરી વાત છે, ભાઈ ! વીતરાગ પરમેશ્વર જિનેશ્વરદેવનો માર્ગ સમજવો અપૂર્વ પુરુષાર્થ છે ! અનંતકાળમાં એક સેકંડ માત્ર પણ એ સમજ્યો નથી. આમ તો ‘મુનિવ્રત ધાર અનંત બૈર રૈવેયક ઉપજાયો’ એ છ ઢાળામાં આવે છે. ‘મુનિવ્રત ધાર’ મુનિના વ્રત લીધાં, પંચ મહાવ્રત, અઠ્યાવીસ મૂળગુણ પાળ્યા). “મુનિવ્રત ધાર અનંત બૈર, રૈવેયક ઉપજાયો' નવમી રૈવેયક ગયો. “પણ આત્મજ્ઞાન બિન લેશ સુખ ન પાયો આહા..હા....! એ મહાવ્રતના પરિણામ, દયા, દાન, વ્રતના પરિણામ થાય છે એ રાગ છે, એ આસ્રવ છે અને દુઃખ છે. આહા...હા...! આવું હોવા છતાં પણ આત્મજ્ઞાન ન થયું. સ્વર્ગમાં પણ અનંતવાર ઉપજ્યો. દિગંબર મુનિ પંચ મહાવ્રત લઈને, હજારો રાણીઓ છોડીને જંગલમાં ગયો). રાગ છે એ દુઃખ છે. આહા...હા..! આવું થવા છતાં, “મુનિવ્રત ધાર અનંત ઐર રૈવેયક ઉપજાયો, પણ આતમજ્ઞાન બિન લેશ સુખ ન પાયો એનો અર્થ શું થયો ? એ પંચ મહાવ્રત, સમિતિ, ગુપ્તિનો જેટલો વ્યવહાર છે એ બધો રાગ છે, એ બધું દુઃખ છે. આહા..હા...! આકરી વાત છે, ભાઈ ! આતમજ્ઞાન – પુણ્ય અને પાપના પરિણામથી રહિત મારી ચીજ, અતીન્દ્રિય આનંદ સ્વરૂપ ભગવાન આત્મા મારો છે... આહા...હા....! “ઘટ ઘટ અંતર જિન વસે, ઘટ ઘટ અંતર જૈન’ બનારસીદાસ” ! ‘સમયસાર નાટકમાં લખે છે). “ઘટ ઘટ અંતર જિન વસે ભગવાન આત્મા અંદર જિનસ્વરૂપી છે. વીતરાગી સ્વરૂપ જ આત્માનું છે તો વીતરાગ સ્વરૂપ છે તો પર્યાયમાં કેવળી પરમાત્મા વીતરાગ થઈ જાય છે. છે તેમાંથી થઈ જાય છે. પ્રાપ્તની પ્રાપ્તિ છે. આહાહા..! “ઘટ ઘટ અંતર જિન વસે, ઘટ ઘટ અંતર જૈન જૈનપણ કંઈ બહારમાં નથી. આહા...હા...! રાગની એકતાબુદ્ધિ તોડીને, એ વ્યવહારથી પણ લાભ નથી અને મારા આનંદકંદ પ્રભુના આશ્રયે મને લાભ છે, આવી બુદ્ધિ થઈ તેણે જિનસ્વરૂપને જાણ્યું માટે તેને જેન કહેવામાં આવે છે. આ વાડામાં તો બધા જૈન જૈન કહે છે. આહા...હા...! પરમાત્મા જિનેન્દ્રદેવ ત્રિલોકનાથ એમ ફરમાવે છે, “ઘટ ઘટ અંતર જિન વસે” અરે..! પણ આ બધા પરમાત્મા છે ? અંદર જિનસ્વરૂપી જ છે. પુણ્ય અને પાપના ભાવ છે એ
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy