________________
૨૮૬
કિલશામૃત ભાગ-૫
શકું, ઔષધ દઈ શકું... આ બધા કાર્યકર્તાઓ એ અભિમાન કરતા હતા. ભાઈ ! ખરી વાત છે ને ? આ તો જાણવા માટેની વાત છે ને ? આહાહા..! અમે આમ કરી દઈએ, દુનિયાને વ્યવસ્થા કરી દઈએ, મકાન બનાવી દઈએ, કૂવા ખોદી દઈએ, તળાવ બનાવી દઈએ, ઔષધ ને દવાખાના બનાવી દઈએ, દવાખાના ! દવાખાનાને શું કહે છે ? ઇસ્પિતાલ ! લોકોને દવા મળે. કહે છે કે, પરની ક્રિયા આત્મા કરી શકતો જ નથી. આહા...હા...!
પ્રશ્ન :- નિમિત્ત તો છે ને ?
સમાધાન :- નિમિત્તનો અર્થ શું ? (કાર્ય થાય છે ત્યારે તેને નિમિત્ત કહેવામાં આવે છે, પણ એનાથી થયું એ વાત છે નહિ. આહા..હા...! ઝીણી વાત છે, ભગવાન !
તારું સ્વરૂપ તો અંદર સચ્ચિદાનંદ (છે). સતુ નામ શાશ્વત જ્ઞાન અને અતીન્દ્રિય આનંદનો સાગર પ્રભુ આત્મા છે. આહાહા...તેની જેને દૃષ્ટિ થઈ, હજી સમ્યગ્દર્શન (થયું છે), હોં ! ચારિત્ર પછી, ચારિત્ર તો અલૌકિક વાતું છે ! અહીંયાં તો પ્રથમ સમ્યગ્દષ્ટિને (એમ ભાન થયું છે કે, પોતા સિવાય કોઈપણ કાર્ય કિંચિત્ એક તણખલાના બે ટૂકડા કરી શકું એ હું નહિ. સમજાય છે ? આ તમે બધા ઊંધા ધંધા કરો છો ને ? હીરા વેચ્યા ને હીરાના પૈસા લીધા. એ માન્યતા જૂઠી છે, કહે છે. આહા...હા...!
પરમાત્મા જિનેન્દ્રદેવ ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમાત્મા “સીમંધર ભગવાન મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજે છે, મહાવિદેહ ક્ષેત્રમાં પરમાત્મા સાક્ષાત્ બિરાજે છે ત્યાં આગળ કુંદકુંદાચાર્યદેવ સંવત ૪૯માં (ગયા હતા). આ કુંદકુંદાચાર્યદેવ’ દિગંબર સંત હતા. આ વચમાં છે ને ? તેઓ ત્યાં ભગવાન પાસે ગયા હતા. આઠ દિ ત્યાં રહ્યા હતા, ત્યાંથી આવીને આ શાસ્ત્ર બનાવ્યા છે. તો અહીંયાં બંધ અધિકારમાં એમ ફરમાવે છે કે, પ્રભુ તો આમ કહેતા હતા કે, એક આત્મા બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ અને કરી શકે એવી મિથ્યાદૃષ્ટિની માન્યતા છે. એ જેન નહિ, એને જૈનની શ્રદ્ધા નથી. આહા..હા...! એ ઉપરાંત પરની એકત્વબુદ્ધિ તો છોડાવી પણ પરના આશ્રયે જે ભાવ થાય છે – દયા, દાન, વ્રત, ભક્તિ, તપ, શુભ ભાવ એ પણ બંધનું કારણ છે. આ...હા...હા....! આકરી વાત, પ્રભુ ! સમ્યગ્દષ્ટિને તે પણ હેય છે. સમજાણું કાંઈ ?
વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા ! એનો માર્ગ કોઈ અલૌકિક છે ! આવી ચીજ સર્વજ્ઞ પરમેશ્વર વીતરાગ સિવાય ક્યાંય છે નહિ. આહા..હા..! જેનામાં છે એની પણ એને ખબર નહિ.
ભાવાર્થ આમ છે કે પૂર્વોક્ત મિથ્યાભાવ જેને છૂટી ગયો...” (અર્થાતુ) પરની કબુદ્ધિ છૂટી ગઈ અને પરના આશ્રયે જે વ્યવહાર ઉત્પન્ન થાય છે તે પણ દૃષ્ટિમાંથી છૂટી ગયો. આહા..હા..! (વ્યવહાર) રહ્યો પણ દૃષ્ટિમાંથી છૂટી ગયો. તેનો આશ્રય નહિ અને તેનો આદર નહિ. આવી વાત છે, બાપુ ! ભગવાન ! અનાદિકાળથી હેરાન થઈને દુઃખી થઈને રખડે છે. પોતાની ચીજ શું છે ? અને પર શું છે ? તેનું કંઈ ભાન નથી, ભેદજ્ઞાન નથી. પરથી