SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ કળશ- ૧૭૧ ૨૩૫ ખંડાન્વય સહિત અર્થ :- “આત્મા આત્માને યત્ર રોતિ તત્ શ્વિન પિ ન પર્વ તિ' (ાત્મિ) મિથ્યાદૃષ્ટિ જીવ (માત્માનં) પોતાને ( ર રતિ) જે-રૂપે આસ્વાદતો ન હોય (ત વિશ્વની) એવો પર્યાય, એવો વિકલ્પ (પર્વ સ્તિ) રૈલોક્યમાં છે જ નહીં. ભાવાર્થ આમ છે કે મિથ્યાષ્ટિ જીવ જેવો પર્યાય ધારણ કરે છે, જેવા ભાવે પરિણમે છે, તે બધાને પોતાસ્વરૂપ જાણી અનુભવે છે, તેથી કર્મના સ્વરૂપને જીવના સ્વરૂપથી ભિન્ન કરીને જાણતો નથી, એકરૂપ અનુભવ કરે છે. અને અધ્યવસાન’ ‘આને મારું, આને જિવાડું, આને મેં માર્યો, આને મેં જિવાડ્યો, આને મેં સુખી કર્યો, આને મેં દુઃખી કર્યો – એવા પરિણામથી વિમોહિત ઘેલો થયો છે. કેવો છે પરિણામ ? “નિચ્છન્નેન’ જૂઠો છે. ભાવાર્થ આમ છે કે યદ્યપિ મારવાનું કહે છે, જિવાડવાનું કહે છે, તથાપિ જીવોનું મરવું જીવવું પોતાનાં કર્મના ઉદયને હાથ છે, આના પરિણામોને આધીન નથી. આ પોતાના અજ્ઞાનપણાને લીધે અનેક જૂઠા વિકલ્પો કરે છે. ૯-૧૭૧. अनेनाध्यवसायेन निष्फलेन विमोहितः। तत्किञ्चनापि नैवास्ति नात्मात्मानं करोति यत् ।।९-१७१।। આહા..હા...શું કહે છે ? “ગાત્મા ગાત્માને ય ર રોતિ તત શ્વિન પિ પૂર્વ સતિ ‘મિથ્યાષ્ટિ જીવ પોતાને જે-રૂપે આસ્વાદતો ન હોય એવો પર્યાય, એવો વિકલ્પ રૈલોક્યમાં છે જ નહીં. આહા..હા..! એનો એવો અભિપ્રાય છે કે હું તો આખી દુનિયાનું કરી દઉં. આહા...હા...! જેને શરીરની આ ચાલવાની ક્રિયા હું કરું છું એવા જીવનો અભિપ્રાય દુનિયામાં કોઈ ચીજને નથી કરતો, નથી માનતો એમ નહિ. ઈ બધાને કરવાનું માને છે. ભાઈ ! આકરી વાતું છે આ ! આ આંગળી છે એને આમ હલાવી શકું છું, આ ભાષા છે એને હું બોલી શકું છું... આહા..હા..! ઝીણી વાત, પ્રભુ ! વીતરાગનો માર્ગ બિચારાને કાને પડ્યો નથી. અરે.રે.... આ..હા.! એને કહે છે કે, આ આંગળી આમ હલાવી શકું છું, હું બોલી શકું છું – એવો જે કર્તા માને છે એ મિથ્યાષ્ટિ જગતમાં કોઈ ચીજ એવી નથી કે, એ મારી છે અને હું કરું છું, એમ ન માને. સમજાણું કાંઈ ? આહાહા..! જગતમાં પોતા સિવાય જેટલા આત્માઓ અને જેટલા રજકણો (છે) એ બધાની પર્યાયને હું કરું છું, આખા લોકના ભાવને હું કરું છું, એવી કોઈ ચીજ બાકી નથી કે એને હું ન કરું. બધાને કરું છું એવું માને છે. આહા..હા...! આકરું કામ છે, ભાઈ ! વીતરાગ જિનેશ્વરદેવ તીર્થંકર પરમાત્મા એમ ફરમાવે છે કે, જે કોઈ બીજાને જિવાડું મારું એવો જેનો અભિપ્રાય (છે) અને સગવડતા-અગવડતા દઉં એવો અભિપ્રાય (છે), એ
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy