SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ કળશ-૧૦ આ જીવે આ જીવને માર્યો... આહા..હા...! મેં એકેન્દ્રિય જીવને માર્યા, મેં પંચેન્દ્રિયને માર્યાં. આહા..હા...! એવો જે અભિપ્રાય, એવો જે આશય એ અધર્મનો આશય છે, મિથ્યાત્વ પરિણામનો એ આશય છે. આહા..હા...! જે મિથ્યાત્વ અનંત ચાર ગતિના પરિભ્રમણનું મૂળ છે. ૨૩૩ આ જીવે આ જીવને જિવાડ્યો...' આહા..હા...! કોણ કોને જિવાડે ? મુમુક્ષુ :- ડૉક્ટરો દવા આપીને જિવાડે. ઉત્તર :– ધૂળેય દવા આપી શકતા નથી. દવા પરમાણુ છે, જાવું ને આવવું એને કા૨ણે છે) અને દવાથી ત્યાં મટે છે એ ત્રણકાળમાં નથી. આકરી વાત છે, બાપા ! આહા..હા....! વીતરાગ તીર્થંકરદેવ એમ ફરમાવે છે કે, આ જીવે આને માર્યો, આ જીવે આને જિવાડ્યો, આ જીવે આને સગવડતા આપી, આહાર-પાણી, મકાન, લૂગડા (આપી) એને સુખી કર્યો, આ જીવે એને અગવડતા આપીને દુઃખી કર્યો. એ બધા અભિપ્રાય – પરિણામ મિથ્યાત્વના – અધર્મના, નવા બંધના કારણરૂપ પરિણામ છે. આહા..હા...! મુમુક્ષુ :- સમિતિમાં બધાને સગવડતા આપી ઈ પાપ છે. ઉત્તર :– કોણ આપી શકે ? પ્રમુખ) ત્યાં (સગવડતા) આપતા હશે ? શું કહેવાય પેલા તમારા ? ટેબલ ! ટેબલ ને ખુરશીયું ને વાટયા ને થાળ્યું ને માથે પંખા ને... રાતમાં દીવા-બત્તી એ બધા ખાના૨ને-પીનારને હું આ બધી સગવડતા આપું છું – એ અભિપ્રાય મિથ્યાત્વ છે. કહો ! મુમુક્ષુ : લોકો સમિતિ સંકેલી લેશે. ઉત્તર ઃકરે છે કોણ તે સંકેલે ? આહા..હા...! એ સમિતિના પરમાણુઓ જે છે કે એના જીવ જે છે એ તો એના પોતાના પરિણામથી ત્યાં કામ કરે છે. એમાં બીજો એના પરિણામથી એનું કામ કરે એ વાત સાચી નથી, તદ્દન જૂઠી છે. અને આ પાપ તો મિથ્યાત્વ – અનંત સંસારનું મૂળિયું છે. આહા..હા...! આસક્તિનો કોઈ ચારિત્રદોષ હોય એનું પાપ અલ્પ છે પણ આ તો મહામિથ્યાત્વ અભિપ્રાય (છે). કરી શકતો નથી અને મેં બધાને વ્યવસ્થિત કર્યાં (એમ માને). આહા..હા...! મુમુક્ષુ : કરનારને દંડ પડ્યો. ઉત્તર ઃકર્યું છે કયાં ? માન્યું છે. એને માન્યાનો દંડ છે. આવી વાત છે, ભાઈ ! આહા..હા...! આ છોડીયુને બધું શીખવ્યું, ભરત ભરવા, રોટલી કરવા, શેરા કરવા, ચૂરમા કરવા, એમ મેં એને શીખવ્યું. એ અભિપ્રાય મિથ્યાત્વ છે, અધર્મ છે. અરે... અરે..! આવી વાતું છે ! એ અહીં કહે છે. ‘એવો ભાવ જ્ઞાનાવરણાદિ કર્મબંધનું કારણ થાય છે.’ અનંત સંસારના કર્મ છે એનું એને બંધન થાય છે. આહા..હા...! એમાં દર્શનમોહનો બંધ થાય છે પણ
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy