________________
કળશ-૧૭)
૨૩૧
છે ને ? જુઓ ! ‘સહજ ઉદાસીન (જ્ઞાતાદ્રષ્યમાત્ર) અવસ્થા તેનો ત્યાગ કરીને.' જ્ઞાતાદા છે ? નથી. પણ થવા દેતો નથી એટલે ઘાત કરે છે એમ કહેવાય છે). “કર્તા-કર્મમાં છે. ઉદાસીન અવસ્થાન તેનો ત્યાગ કરીને...” એટલે કે ઉદાસ અવસ્થા પ્રગટ થવી જોઈએ. દ્રવ્ય સ્વભાવ તો એવો છે કે એની દશા શાંત ને વીતરાગી સમકિત પ્રગટ થવું જોઈએ. એ અવસ્થાનો ત્યાગ કરીને.. આ..હા...! “અજ્ઞાનભવનવ્યાપારરૂપ અર્થાત્ ક્રોધાદિવ્યાપારરૂપ પ્રવર્તતી પ્રતિભાસે છે....... આ..હા...! હું ક્રોધ કરું છું, માન કરું છું, લોભ કરું છું, ઇચ્છા કરું છું, રાગ કરું છું એવું ભાસે છે. ઉદાસીન અવસ્થાનો ત્યાગ કરીને કહ્યું તો શું) ઉદાસીન અવસ્થા હતી ? ઉદાસીન અવસ્થા થઈ નહિ એને ઠેકાણે ઘાત કરે છે એમ કહેવામાં આવ્યું. સમજાણું કાંઈ ?
અહીં “ઘાતનશીલનો અર્થ છે. ઘાતનશીલ એટલે જે આત્મા છે, એની અવસ્થા ઉદાસીન નિત્ય શાંત અને વીતરાગી થવી જોઈએ, એનો ઈ ઘાત કરે છે. સમજાણું કાંઈ? આહા..હા...! પર્યાયનો (ઘાત થાય છે), દ્રવ્યનો ઘાત થતો નથી. દ્રવ્યનો કોઈ રીતે કલુષિત મિથ્યાત્વના તીવ્ર પરિણામ હો.. આહા..હા..! દ્રવ્ય તો શુદ્ધ ચિદાનંદઘન છે તે અનાદિથી રસકંદ છે. કોઈપણ અવસ્થા નરકમાં, એકેન્દ્રિયમાં ગમે ત્યાં હોય, વસ્તુ તો ઈ જ છે. પણ એની પર્યાય જે નિર્મળ થવી જોઈએ એની ઉત્પત્તિના સ્થાનમાં આને આમ કરું છું, એવું મિથ્યાત્વ ઉત્પન્ન કરે છે તેથી તે આત્માની શાંતિની પર્યાયને હણે છે. સમજાણું કાંઈ ? આવી વાતું છે.
સાત્મિનઃ પાઠ છે ને ? “હિનો મવતિ આત્મા હણાય ? આત્માની શુદ્ધ પર્યાય છે તે આત્મા છે, આત્માની શુદ્ધ પર્યાય પ્રગટ થાય તે આત્મા છે. એને હણે છે. શુદ્ધ પર્યાય થવા દેતો નથી. તેને હણે છે માટે આત્મા હણે છે એમ કહેવામાં આવે છે. વિશેષ કહેશે....
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
(અનુષ્કપ)
मिथ्याद्दष्टेः स एवास्य बन्धहेतुर्विपर्ययात् । य एवाध्यवसायोऽयमज्ञानात्माऽस्य द्दश्यते।।८-१७० ।।
ખંડાન્વય સહિત અર્થ :- “મિથ્યાદિષ્ટ : વ વચહેતુ: બવતિઃ (શ્ય મિથ્યાદિષ્ટ:) આ મિથ્યાદૃષ્ટિ જીવને, (સ: પવ) મિથ્યાત્વરૂપ છે જે એવો પરિણામ કે “આ જીવે આ જીવને માર્યો, આ જીવે આ જીવને જિવાડ્યો' – એવો ભાવ (વન્યતઃ મવતિ)