SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ કલામૃત ભાગ-૫ શું કહે છે ? ચે પરાત્ પરસ્વ માનીવિતવું:વસૌણ્યમ્ પત્તિ’‘જે કોઈ અજ્ઞાની જીવરાશિ...’જીવરાશિ એટલે ઘણા જીવો. અજ્ઞાની ઘણા જીવો. ‘અન્ય જીવથી...’ પ્રશ્ન :- અજ્ઞાની ઘણા જીવો ? સમાધાન :- અજ્ઞાની જીવો એમ. બધા અજ્ઞાની જીવો, એમ. ઘણા એટલે અજ્ઞાની જીવની રાશિ. અજ્ઞાની જીવની રાશિ – અનંત. એમાં અહીં તો વિશેષ પંચેન્દ્રિયપણે મનવાળાની (વાત છે). અન્ય જીવથી અન્ય જીવનું...' પ્રાણઘાત કરી શકું. એક જીવ બીજા જીવના પ્રાણને ઘાત કરી શકે એવી માન્યતા અજ્ઞાનીની મિથ્યાદષ્ટિની છે. આહા..હા...! આ પ્રાણ છે ને ? પાંચ ઇન્દ્રિય, મન-વચન-કાયા, શ્વાસ, આયુષ્ય. એનો હું ઘાત કરી શકું, મારી શકું એ માન્યતા અજ્ઞાનીની છે. આહા..હા...! કેમકે એ પરનો ઘાત કરી શકતો નથી. ૫૨ના ઘાત થવા એ તો એના પ્રાણના ઘાતનો નાશ હોય ત્યારે થાય. બીજો કહે કે, હું એને મ૨ણ કરી દઉં, મારી દઉં એ અધ્યવસાય અભિપ્રાય અજ્ઞાન મિથ્યાત્વ છે. આહા..હા...! - - એમ ‘જીવવું,...’ બીજાના પ્રાણની રક્ષા કરી શકું. પેલામાં ઘાતક હતું. બીજા છોકરાઓ, બાળકો, બચ્ચા, ઢોર, પશુના પ્રાણની હું રક્ષા કરી શકું. પ્રાણરક્ષા નથી કરી શકતા ? ડૉક્ટર હોય તો ડૉક્ટર (પ્રાણરક્ષા) કરે ને ? આહા...હા...! મુમુક્ષુ :– પુદ્દગલ પદાર્થની કોણ રક્ષા કરે ? ઉત્તર :- આહા..હા...! પરની પ્રાણરક્ષા ! આ બાયું એના છોકરાઓની રક્ષા નથી કરતી ? ધ્યાન રાખે, જાળવે, કયાંય રસ્તામાં મોટર આવે કે એવું આવે તો પકડી લ્યે, આમ ખેંચી લ્યે. સાથે બાળક હોય, પોતે તો આમ ખસી જાય પણ છોકો ન ખસે તો એને ખેંચી લ્યે), ઈ પ્રાણની રક્ષા કરી શકે છે કે નહિ ? જેના મા-બાપ મરી જાય એના છોકરા મોટા થાય જ નહિ. મુમુક્ષુ : ઉત્તર :– બીજાના પ્રાણની રક્ષા (કરી શકું), દયા પાળી શકું... આહા..હા...! આવી આકરી વાત છે. એ માન્યતા જૂદી છે. બીજા પ્રાણની રક્ષા આત્મા કરી શકે એવી તાકાત (આત્મામાં નથી). એ પદ્રવ્યનું કાંઈ કરી શકે એવી આત્મામાં તાકાત છે જ નહિ. આહા..હા...! મુમુક્ષુ :- સત્સંગ માટે કોઈકની મદદ લેવામાં આવે. ઉત્તર :– મદદ કોની લ્યે ? આહા..હા....! મરવું, જીવવું, દુઃખ,...' બીજાને હું પ્રતિકૂળ સંયોગ દઈ શકું, બીજાને દુ:ખી કરવા માટે હું પ્રતિકૂળ સંયોગ દઈ શકું. અગ્નિ, સર્પો, વીંછી, ઝે૨ એવા સંયોગોને આપી શકું. એ માન્યતા પણ મિથ્યાદૃષ્ટિની છે. આહા..હા...! એ પ્રતિકૂળ સંયોગ બીજાને દેવા એ આત્માની તાકાત નથી. બીજો કહે કે, હું આને પ્રતિકૂળ સંયોગમાં મૂકું એથી એ હેરાન થાય અને દુ:ખી થાય, એ માન્યતા તદ્દન અજ્ઞાન છે. આ..હા...!
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy