SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ કળશ-૧૬૮ ૨૧૧ કારણ કે પેલા ગરીબ માણસ હોય અને એને કાંઈ (બીજી વધારે સગવડતા હોય નહિ એમ માનીને આપે). અહીં દરબાર હતા ને? એને એવી પ્રકૃતિ હતી. પોતે મોટો દરબાર ! ત્રણ લાખની ઉપજ ! (આ તો) પહેલાની વાત છે) પછી દસ લાખ, પંદર લાખ (થઈ ગયા) પણ ઈ કન્યા એવાને આપે કે, એક (જણ) ભેંસ ચારતો હતો અને કન્યા આપી. કેમકે એને જાળવશે. ભેંસ.... ભેંસ ! ભેંસ સમજ્યા ? ઈ (એક) હતો, અમારી પાસે બિચારો આવતો. ભેંસને ચારતો હતો એને કન્યા આપી અને અમુક ખેતર આપેલું. બાર મહિને વીસ-પચીસ હજાર ઉપજ થાય એવા ખેતર આપે. ઈ બાઈ જીવે ત્યાં સુધી એને આપે. બાઈ મરી જાય પછી ખેતર લઈ લ્ય. એમાં વીસ-પચીસ વરસમાં જે ઉપજ થઈ હોય એનાથી એ નભે, એમ. એ એની ટેવ છે. આ જાણે કે, કન્યાને ત્યાં દઉં અને એ ગરીબ માણસ છે એટલે એને રાખશે અને એને ઇષ્ટ સંયોગ આપું છું એટલે એને જાળવી રાખશે. એ બધી માન્યતા, ભ્રમણા અજ્ઞાનીની છે કહે છે. આ...હા...હા...! આ દહેજમાં નથી આપતા? કહેવાય છે? આપણે શું કહેવાય છે એને ? કરિયાવર ! કરિયાવર (એટલે આ પ્રમાણે આટલું આપું, આનું આટલું આપું કે જેથી એને સંયોગ અનુકૂળ રહે. પાંચસે તોલા સોનું આપું, આટલો દાગીનો આપું, આટલા કપડાં આપું... આહા...હા...! મારી દીકરી છે ને ? તો આવો અનુકૂળ સંયોગ આપું તો રહે. ઈ દૃષ્ટિ મિથ્યાત્વ છે, કહે છે. કેમકે એને સંયોગ મળવો ઈ તો એના પુણ્યને કારણે એને મળે છે. એને આ કહે છે કે, હું એને સંયોગ આપું ! મુમુક્ષુ :- કર્મનું નિમિત્ત છે અને આ પણ નિમિત્ત છે. ઉત્તર :- બન્ને નિમિત્ત છે પણ આ રીતે છે. છતાં અહીં તો કર્મનું નિમિત્ત સિદ્ધ કરવું છે. નિમિત્ત છે પણ અહીં કર્મને સિદ્ધ કરવું છે. આ આપી શકતો નથી એથી એને કર્મને કારણે મળે છે એમ સિદ્ધ કરવું છે. કર્મ નિમિત્ત છે પણ છતાં નિમિત્તપણું એનું છે. એમ. આહા...હા...! સમજાણું કાંઈ ? છે ? ચાર બોલમાં ઘણું બધું સમાડી દીધું. પ્રાણઘાત – એનું નામ મરણ, પ્રાણરક્ષા – એનું નામ જીવન. દુઃખ (એટલે) અનિષ્ટ (સામગ્રીનો) સંયોગ દઉં. આહાહા..! એક વેરી દુશમન માણસ હતો ને ? તે દેરાસરની એક ઇંટ છે (એ મકાન પાસે મૂકી આવ્યો). (એ) ગૃહસ્થના મકાન થતા હતા એમાં દેરાસરની ઇંટ મૂકી આવ્યો. એટલે શું કે દેવદ્રવ્ય છે ઈ) એને ગયું તો એનું બધું નાશ થઈ જશે. પેલાને તો ખબર પણ નથી. અજ્ઞાની માન્યતામાં) આમ માને છે. આ..હા...! સમજાણું કાંઈ ? ગૃહસ્થનું મકાન ચણાતું હતું. એમાં એને એક વેરી હતો. ઈ દેરાસરની બાંધકામની) ઇંટ ચાલતી હતી ઈ ઇંટ ત્યાં મૂકી આવ્યો. એટલે દેવદ્રવ્ય ત્યાં આપ્યું (એટલે) એનો હવે નાશ થઈ જશે. એમ અજ્ઞાની મારા દીકરાને, બાયડીને, છોકરાને
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy