________________
૨૦૬
કલશામૃત ભાગ-૫ મિથ્યાત્વપરિણામ છે એમ કહે છે - તે વસ્તુ એવી છે કે પદ્રવ્યસામગ્રીમાં છે જે અભિલાષા...” શું કહે છે ? પોતા સિવાય પરદ્રવ્યની કંઈ પણ વાંછા (થાય) એ અભિલાષા મિથ્યાત્વ છે. આહા..હા..!
પ્રશ્ન :- સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની પ્રાપ્તિ ....?
સમાધાન :- એ તો એક શુભરાગ છે પણ એ મને મળે, ઈ પરદ્રવ્ય મને મળે, એમ નથી. એ તો એને ભક્તિમાં રાગનો ભાગ છે એટલે એ ઉપર લક્ષ જાય છે એટલું. આ.હા.... આગળ કહેશે. | ‘તુ રાજ કવોમિયમ્ અધ્યવસાયમ્ હું તે વસ્તુ એવી છે કે પરદ્રવ્યસામગ્રીમાં છે જે અભિલાષા તે કેવળ મિથ્યાત્વરૂપ પરિણામ છે એમ ગણધરદેવે કહ્યું છે. આહાહા...! આત્મા સિવાય કોઈપણ પરપદાર્થ પોતાનો નથી એને પોતાનો કરવા માગે છે એવી જે અભિલાષ એ મિથ્યાત્વ છે. આહા...હા...! સ્ત્રી, કુટુંબ-પરિવાર વગેરે પર વસ્તુ છે. એની અભિલાષા (થાય) કે, આને મારા કરું, મારા સગાં કરું, વહાલા કરું જેથી મારા પક્ષમાં રહે. આહા..હા..!
મુમુક્ષ :- ભજન કરે એમાં જ મારાપણું થઈ ગયું.
ઉત્તર :- એનો અર્થ જ ઈ થઈ ગયો. ઈ મારા છે માટે હું એને સગવડતા આપું ઈ પછી કહેશે. પણ ઈ મારા છે ઈ માન્યતા જ મિથ્યાદૃષ્ટિની છે. આહાહા...!
મુમુક્ષુ :- આખો સંસાર એમ ચાલે છે. ઉત્તર :- આખો સંસાર એથી ઊંધો પડ્યો છે. આહા...હા...!
પરદ્રવ્ય મારા, એવી જે અભિલાષા તેને મિથ્યાત્વ પરિણામ ગણધરદેવ એટલે આચાર્યો કહે છે. આહાહા...! શરીરને મારું કરું, સ્ત્રી-કુટુંબના આત્માને મારા કરવા, એના શરીરને મારું માનવું એ બધા મિથ્યાત્વ પરિણામ છે. આહાહા..!
મુમુક્ષુ :- કોઈનું ઘર ચાલે એવું દેખાતું નથી.
ઉત્તર :- ઊંધું ઘર છે, ઊંધા ચાલે છે. ઊંધી માન્યતામાં ચાલે છે ને? ઘર કોણ ચલાવે ? એમ કહે કે, અમે અમારા ઘરને ચલાવીએ છીએ. છોકરાઓને વ્યવસ્થિત રીતે ઠેકાણે પાડીએ છીએ, ધંધે દોરવી દઈએ છીએ ઈ તો પછી આવશે. એનો અર્થ કે, (એને) મારા માન્યા એટલે એને વ્યવસ્થાપૂર્વક જોડી દઉં એ બધો મિથ્યાત્વભાવ છે. આહાહા..! આવી વાત...!
કેવળ મિથ્યાત્વરૂપ પરિણામ છે. છે ? કર્મની સામગ્રીમાં રાગ અવશ્ય મિથ્યાદૃષ્ટિ જીવને હોય છે.... ઈ તો કર્મની સામગ્રી છે. શરીર, પૈસા, આબરુ – કીર્તિ, દીકરા, દીકરીઓ ઈ તો બધી કર્મની સામગ્રી - દુમિનની સામગ્રી છે. આ...હા...હા...! એને મારા કરીને (કહેવડાવવું) અને મારા છે એમ માનવું, એ મિથ્યા દૃષ્ટિ છે. આવી વાત છે.
‘સામગ્રીમાં રાગ રાગ એટલે એકતા. “આ મારા છે” એવો જે રાગ (તે) મિથ્યાદૃષ્ટિ