________________
કળશ-૧૬૪
૧૭૩ સંબંધી રાગથી કિંચિતુ બંધ થાય છે; માટે સર્વથા બંધના અભાવની અપેક્ષામાં તેમનું નામ ન લીધું. બાકી અંતરંગની અપેક્ષાએ તો તેઓ પણ નિબંધ જ જાણવા.” એ અહીં કહેવું છે. પેલું તો સમિતિથી ચાલે છે એનું દૃષ્ટાંત આપીને સિદ્ધ કર્યું. આને (-સમ્યક્દૃષ્ટિને) સમિતિ નથી એટલે એનો દાખલો આપ્યો). બાકી દૃષ્ટિની અપેક્ષાએ તો એ પણ નિબંધ જ છે. સમજાણું ? આ કેવું છે. આ દાખલો આપ્યો માટે આ મુનિને માટે (વાત) છે એમ નહિ. બધાને લાગુ પડે છે. આહાહા...!
મુમુક્ષુ :- મુખ્યપણાના પહેલા બોલમાં સિદ્ધને, બીજા બોલમાં અરિહંતને, ત્રીજા બોલમાં....
ઉત્તર :- ઈ તો દાખલો આપ્યો. એ તો પણ દાખલો આપ્યો પણ આ વસ્તુ તો સમ્યફદૃષ્ટિને માટે જ છે. એ તો સિદ્ધાંત સિદ્ધ કરવા કહે છે, મન-વચન ને કાયાની ક્રિયાથી (બંધ) થતો હોય તો કેવળીને થાય. વર્ગણાથી થતો હોય તો સિદ્ધોને થાય. સમજાણું ? એ તો દૃષ્ટાંત દીધું. પણ સિદ્ધ ઈ કરવું છે કે, રાગની એકતાબુદ્ધિ છે તેને બંધ થાય. રાગની એકતાબુદ્ધિ નથી તેને બંધ થાય નહિ એ સિદ્ધ કરવું છે. આહાહા....! સમજાણું કાંઈ ? આહા...હા...! આવી વાતું છે, ઝીણી બહુ !
અહીંયાં એ કહ્યું, જુઓ ! ૧૬૪. “ભાવાર્થ આમ છે કે – જો રાગાદિ અશુદ્ધ પરિણામ છે તો કર્મનો બંધ છે.” પેલા જીવઘાતથી નહિ એમ કહે છે. તો પછી જીવઘાતનો સહારો કાંઈ નથી...' છે ? આહા...હા....! એકેન્દ્રિય આદિ મરે એની મદદ બંધના કારણમાં છે નહિ. ઈ કારણ છે જ નહિ. આહા..હા....! પછી કહેશે કે, સમકિતી સ્વચ્છંદી નથી. સ્વચ્છેદી થઈને નિરર્ગળપણે વાંછાથી હિંસા કરે અને બંધ ન થાય એમ નથી. જાણનાર રહે અને ઇચ્છા કરે – બે એકસાથે રહી શકે નહિ. આહાહા...! સમજાણું કાંઈ ? ઝીણી વાત, બહુ ઝીણું, બાપા ! આહા...હા...! અહીં તો સમ્યકુદૃષ્ટિને પણ નિબંધ જ કહ્યો. આહા...હા....! અસ્થિરતાના રાગની એને એકતા નથી. એથી એને નિબંધ જ કહેવો, અહીંયાં અસ્થિરતાના રાગને ગણવો નહિ, કહે છે.
મુમુક્ષુ :- બહુ જવાબદારી છે.
ઉત્તર – આહા..હા..! સમ્યગ્દર્શનનું માહાસ્ય શું છે ? અને મિથ્યાત્વની નીચતા – હલકાઈ કેટલી છે ઈ વાત છે. આહા..હા..!
ચાહે તો સમ્યક્દષ્ટિ મોટા ચક્રવર્તીના રાજમાં પડ્યો હોય, ઇન્દ્રના ઇન્દ્રાસનમાં પડ્યો હોય પણ એને રાગની એકતા નથી માટે એને બંધના કારણો નથી એમ સિદ્ધ કરવું છે. આહા..હા..! સમજાણું કાંઈ ? તેથી સમ્યક્દષ્ટિ, બાહ્યના કારણોથી બંધ નથી માટે નિર્ગળ થઈને વાંછા કરીને કામ કરે એમ છે નહિ. એવું હોય નહિ. કાંક્ષાથી પ્રવૃત્તિ હોય અને માને કે અમને કાંક્ષા નથી અને બંધ નથી (તો) એમ નથી. આહા..હા... આવી વાતું છે. જૈનધર્મને સમજવો બાપુ ! આકરી વાત છે.