SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ કળશ-૧૬૩ ૧૪૯ અહીં કહે છે કે, જેણે બંધ અને આત્માના બે ટૂકડા કર્યા, જુદા (કર્યા. આહા...હા...! હવે એ સ્વભાવ પ્રગટ્યો ઈ હવે કોઈ દિ જુદો પડે નહિ. આ.હા..હા...! આવી વાતું લોકોને એવી આકરી) લાગે. અભ્યાસમાં નહિ અને પરિચયમાં નહિ, સાંભળવા મળે નહિ, બહારની હો...હા, હો.હા... હો.હા.. અપવાસ કર્યા છે ને આ બાળ બ્રહ્મચારી દીક્ષા લે છે ને એનો સત્કાર કરી ને એને નાળિયેર આપો ને હાર પહેરાવો ને... આહા..હા...! ધૂળેય દીક્ષા નથી, બાપા ! દીક્ષા કોને કહેવી ? ભાઈ ! દીક્ષા તો ચારિત્ર છે. ચારિત્ર પહેલાં સમકિત કોને કહેવું એની ખબરું ન મળે અને એને દીક્ષા થઈ ગઈ? આહા..હા....! અહીં કહે છે કે, ધર્માત્મા જેને સમ્યગ્દર્શન શરૂઆતની પહેલી દશા થઈ તે આનંદઅમૃતનું નિત્ય ભોજન કરે છે, કહે છે. આહા...હા..! શાંતિ અને આનંદને એ વેદે છે. ભાષા જુઓને ! સાનઃામૃતનિત્યપોનિ ! આહાહા...! ભાઈ ! કોઈ દિ ક્યાંય સાંભળવા મળે નહિ એવી આ વાત છે. આહા...હા..! અજ્ઞાની અનાદિથી મુનિ થયો તોપણ દુઃખના વેદનને કાયમ વેદે છે. આહા..હા..! ત્યારે સમ્યક્દષ્ટિ જીવ અતીન્દ્રિય આનંદના નાથને જગાડ્યો છે ને ! તેથી એની પર્યાયમાં પણ આનંદની અપૂર્વ અમૃત લબ્ધિ પ્રગટી કહે છે. પૂર્વે અનંતકાળમાં નહોતું તે અપૂર્વ લબ્ધિ) પ્રગટી, કહે છે. આહા..હા..! અને જેના ફળ તરીકે કાર્ય તરીકે અનંત આનંદ સિદ્ધ થશે એને તો અનંત આનંદનો અનુભવ થશે). આહા..હા..! અનંતાનંત અનંતાનંત એવો આનંદ ત્યાં પ્રગટશે). અહીંયાં પણ આનંદામૃતનો ભોજી (છે). આ..હા...હા...! એ પ્રતિકૂળ પરિષહ અને ઉપસર્ગ વખતે પણ એનો આનંદનો અનુભવ છે ઈ ખસતો નથી. સમજાણું કાંઈ? કદાચિત કોઈ સંતોને, મુનિઓને ઘાણીમાં પીલી નાખ્યા પણ એ અમૃતના ભોજનથી તે ખસ્યા નથી. સમજાણું કાંઈ ? આવો ઉપદેશ ! આહા...હા...! આ એક શબ્દએ તો ગજબ કર્યો છે ! વસ્તુની સ્થિતિ (આ છે). માનન્દ્રામૃતનિત્યમોનિ ! આહા...હા...! “નિરંતર આસ્વાદનશીલ છે.” ભાષા જુઓ ! નિરંતર આસ્વાદનશીલ છે. અતીન્દ્રિય આનંદનો નિરંતર ભોગવટો એ જેનો સ્વભાવ થઈ ગયો છે. આહાહા...! છે ? ભાષા જોઈ ? આહા..હા..! “નિત્યમોનિ” એનો આમ (અર્થ થાય). નિત્ય' (એટલે) નિરંતર આસ્વાદનશીલ છે.” આસ્વાદન સ્વભાવ છે. આહા...હા...! “એવી છે અપૂર્વ લબ્ધિ . આહા..હા...! “વળી કેવું છે ?” એ જ્ઞાન. એટલે આત્મા પ્રગટ્યો ઈ (કેવો છે) ? “ સહનાવસ્થ નાટયનું આહાહા...! સમ્યક્રદૃષ્ટિ જીવને આત્માનું પરિણમન શુદ્ધ થઈ ગયું. આહા..હા...! એથી એને પ્રગટપણે...” “હન” પોતાના શુદ્ધ સ્વરૂપને.... “સહનાવસ્થા' (શબ્દ) છે ને ? “સહનાવસ્થ” “પોતાના શુદ્ધ સ્વરૂપને...” જોયું ? સહજ અવસ્થા એટલે પર્યાય ન લીધી. સ્વભાવિક અવસ્થા એટલે સહજ ધરનારો એવો ભગવાન. આહા...હા...! સમજાણું કાંઈ ? બાપુ ! આ તો ત્રણલોકના નાથના માર્ગની વાતું છે, ભાઈ ! આ કોઈ વાર્તા, કથા (નથી). આહાહા...! પરમેશ્વર થવાની વાતું છે,
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy