________________
કળશ-૧૬૩
માગશર સુદ ૧, રવિવાર તા. ૧૧-૧૨-૧૯૭૭.
કળશ-૧૬૩ પ્રવચન-૧૦૨
મુમુક્ષુ :- બંધ અધિકાર' શરૂ થાય છે.
પૂજ્ય ગુરુદેવશ્રી :- હા, એટલે કહું છું ને ! નિર્જરા પૂરું થયું ને ? એનો અર્થ થઈ
ગયો કે નહિ ?
બંધ અધિકાર’.
૧૪૩
रागोद्गारमहारसेन सकलं कृत्वा प्रमत्तं जगत् क्रीडन्तं रसभावनिर्भरमहानाटयेन बन्धं धुनत् । आनन्दामृतनित्यभोजि सहजावस्थां स्फुटन्नाटयद्धीरोदारमनाकुलं निरुपधि ज्ञानं समुन्मज्जति । ।१-१६३ । ।
છેલ્લો શબ્દ છે. જ્ઞાન અર્થાત્ શુદ્ધ જીવ પ્રગટ થાય છે.' આહા..હા...! કઈ રીતે ? અનંતકાળથી તો પુણ્ય ને પાપ ને મિથ્યાત્વની એ ઉત્પત્તિ કરે છે કે જે સંસારનું દુઃખ છે અને દુઃખના પરિભ્રમણમાં જવાના. આહા..હા...! જ્યારે આત્માને સમ્યગ્દર્શન થાય એની અહીંયાં વાત છે. જ્ઞાનસમુન્મન્નતિ જ્ઞાયકભાવ જે શુદ્ધ ચૈતન્યઘન એ સમુન્મન્નતિ’ સમ્યક્ પ્રકારે ઉત્પન્ન થાય છે. એટલે કે સમ્યષ્ટિ જ્ઞાયકભાવ ઉપર દૃષ્ટિ (કરીને) શુદ્ધતાને પ્રગટ કરે છે. શું કહ્યું ?
‘જ્ઞાનંસમુન્મન્નતિ’‘જ્ઞાન અર્થાત્ શુદ્ધ જીવ...' ત્રિકાળી શુદ્ધ ચૈતન્યમૂર્તિ પવિત્ર પિંડ પ્રભુ ! આ..હા...! જેની પર્યાયમાં વિકાર હોવા છતાં વસ્તુ તો નિર્વિકારી શુદ્ધ ચૈતન્યઘન છે. આહા..હા...! એ શુદ્ધ જીવ એટલે જ્ઞાન. જ્ઞાન એટલે શુદ્ધ જીવ. સમુન્મન્નતિ” (અર્થાત્) સમ્યક્ પ્રકારે ‘મુત્ત્વજ્ઞતિ” (અર્થાત્) પ્રગટ થાય છે. આ..હા...! બંધને ટાળી અને પોતાનો અબંધ સ્વભાવ જ્ઞાયક ભાવ... ઝીણી વાતું બહુ ! એ જ્ઞાયકભાવને ધ્રુવ સ્વભાવ જે પ્રમત્તઅપ્રમત્ત દશાથી પણ રહિત છે... આ..હા...! એવા શાયકભાવને નિત્ય ધ્રુવ સ્વભાવની દૃષ્ટિ કરીને, એનો સમ્યગ્દર્શનમાં સ્વીકાર કરીને એ શુદ્ધ જીવ પર્યાયમાં પ્રગટ થાય છે. અરે...! આવી વાત છે. ત્યારે તે ધર્મી (કહેવાય) અને સુખને પંથે પડ્યો. બાકી તો રાગ અને પુણ્ય