________________
કળશ-૧૬ ૧
૧૨૩
હતા. આ ડૉક્ટરો બધા મોટા પૂછડા લગાડે છે ને ? એ તો બધું જાણપણું અજ્ઞાન હતું, અજ્ઞાન. ઈ કુશાન છે. આહા..હા...!
આ તો આત્મજ્ઞાન ! આત્મજ્ઞાનમાં રાગ પણ નહિ, ૫૨ પણ નહિ અને પર્યાય પણ નહિ. આહા..હા...!
પ્રશ્ન :- આત્મજ્ઞાનનું ફળ શું ?
સમાધાન :- આ ચિદાનંદ સ્વરૂપ જાણે તે એનું સ્વરૂપ. આત્મા એટલે અનંત આનંદ અને જેમાં અમાપ અનંત ગુણની સંખ્યા પડી છે. કહ્યું હતું ને ? આકાશના પ્રદેશ છે એનાથી અનંતગુણા ગુણ એક આત્મામાં છે. આહા..હા...! આકાશ, આકાશ છે ને ? ખાલી... ખાલી... ખાલી... આ લોકમાં જેમ ખાલી છે (એમ) અલોક... અલોક... અલોક... અલોક... ક્યાંય અંત નહિ એવું આકાશ (છે). એના જે અનંત પ્રદેશ છે એનાથી અનંતગુણા એક આત્મામાં ગુણ છે ! આ..હા..હા...!
ભાઈ ! એનું ભાસન થવું જોઈએ. આહા..હા...! આકાશ... આકાશ... આકાશ... કયાંય અંત છે ? આ લોક પછી (ચાંય અંત છે) ? અંત કયાંય નહિ એના પ્રદેશની અનંતતા એનાથી અનંતગુણા આ આત્મામાં અનંતગુણા ગુણ છે !! સંખ્યાએ અનંતગુણા) ! અને એક એક ગુણની અનંતી પર્યાય છે અને એક એક ગુણમાં અનંતી શક્તિ છે. આહા..હા... એવો જે ભગવાનઆત્મા ! (તેની) સન્મુખ થઈને એનું જ્ઞાન થવું, જે જ્ઞાનમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ અંશે આવે, જે જ્ઞાનમાં શાંતિનો અંશ પ્રગટ થાય... આ..હા..હા...! તેને આત્મજ્ઞાન અને સમ્યગ્દર્શન કહે છે. સમજાય છે કાંઈ ?
સભ્યષ્ટિ હજી આવા હોય, એના પછી શ્રાવકનું પાંચમું ગુણસ્થાન એ તો કોઈ અલૌકિક વાતું છે ! આહા..હા...! એને તો અંદર શાંતિના શેરડા (છૂટે), શાંતિ વધી ગઈ હોય. સર્વાર્થસિદ્ધના એકાવતારી જીવને ચોથા ગુણસ્થાને જે શાંતિ છે એના કરતાં પાંચમાં ગુણસ્થાનમાં શાંતિ વધી ગઈ. અંતર શાંતિ... શાંતિ... શાંતિ. અકષાય પરિણમન વધી ગયું હોય. આહા...હા...! ઝીણી વાતું બહુ, ભાઈ ! વીતરાગ સિવાય આ વાત છે નહિ.
અહીંયાં કહે છે કે, એ જ્ઞાનાવરણાદિ કર્મને હણે છે. જેમ સૂર્યના કિરણ અંધકારનો નાશ કરે છે... આહા..હા...! એમ ભગવાનઆત્માના સમ્યગ્દર્શનના આઠ અંગો પ્રકાશમય છે, એ કર્મના રજકણોનો ઉદય આવે તો એનો નાશ કરી નાખે છે. એનું નામ નિર્જરા (છે). શુદ્ધિની વૃદ્ધિ કરે છે, અશુદ્ધતા ગળે છે, કર્મ ટળે છે. ત્રણેને નિર્જા કહેવામાં આવે છે. આહા..હા...! ભાષા તો સાદી છે.
પ્રશ્ન :– ત્રણે કામ એકસાથે થાય કે આગળપાછળ થાય ?
સમાધાન :– એકસાથે ત્રણે (થાય છે). આગળપાછળ નહિ, ત્રણે એકસાથે (થાય છે). અહીં તો કર્મ ગળે છે ઈ અપેક્ષા લેવી છે. કર્મ તો એને કા૨ણે ગળે છે, એ તો જડ