________________
કળશ- ૧૬૦
૧૦૯
સમયે તે પર્યાય તે પ્રકારે બનવાની હતી. આહા...હા...! જ્યારે બહારના આવા સંયોગોમાં પણ અણચિંતવ્યું અને અનિષ્ટનો સંયોગ થાય છતાં તે અકસ્માત નથી તો ભગવાનઆત્મામાં કોઈ અકસ્માત તીવ્ર વિકાર આવી જાય અને એને નુકસાન કરી દયે, કોઈ પ્રતિકૂળ સંયોગ આવે અને એને દબાવી નાખે, દાબી દયે એવું હોતું નથી. આહા..હા.! આહા.હા...! વજનો હીરો ! ઈ વજનો હીરો હોય તોપણ
મુમુક્ષુ :- ઈ ઘસાય જાય.
ઉત્તર :ઘસાઈ જાય છે તો ઠીક પણ ચક્રવર્તીની દાસી હોય, શાસ્ત્રમાં એવું આવે છે કે, ચક્રવર્તીની દાસીમાં પણ એવી શક્તિ હોય કે હીરો હોય એને આમ (મસળીને) ચોળી નાખે ! એવી તો એ દાસી હોય. અને હીરાનો ચાંદલો કરે, કહો ! ગાદીએ બેસે ને ? ત્યારે હીરાનો ચાંદલો કરે). આમ હાથમાં લે, જેમ જમરૂખ કે દાડમ આમ કરી નાખે (એમ). એટલી એનામાં તાકાત હોય છે ! દાસી હોં, દાસી ! પુણ્યવંત પ્રાણી છે ને ? વજનારાચ સંઘયણવાળી બાઈ હોય, અંદર હાડકાં એવા મજબૂત હોય) કે, હીરો આમ ભસ્મ કરી નાખે. આમ કરે તો ભૂકો કરી નાખે ! તોપણ તે અકસ્માત નથી. આખો હતો અને ભૂકો થયો ને ? તે તો પર્યાયનો કાળ હતો તે પ્રમાણે થયું છે. તે ખરેખર તો એની આંગળીને કારણે પણ થયું નથી. આહાહા...! આંગળી તો નિમિત્ત છે. એના ઉપાદાનમાં એને કારણે એ ભસ્મની પર્યાય થઈ છે. એમ આ ધ્રુવનાથ પ્રભુ ! આ.હા...હા..!
ધ્રુવ ધ્રુવ ચીજ પ્રભુ છે. અનાદિઅનંત છે, ઉત્પત્તિ-વિનાશ રહિત છે એવો જેને અનુભવ થયો એને અકસ્માત કંઈ છે જ નહિ. આહા..હા..! સમજાણું કાંઈ ? અંદર ચીજમાં કોઈ અકસ્માત થઈ જાય એવી જગતમાં કોઈ ચીજ છે નહિ. આહા...હા...! ઈ નીડર અને નિર્ભયપણે આત્માને વેદે છે. આહા..હા...! શું આવ્યું ?
અણચિંતવ્યું તત્કાળ અનિષ્ટનું ઊપજવું.” એ અકસ્માત (છે). “શું વિચારે છે સમ્યગ્દષ્ટિ જીવ ?” “અત્ર તત્ સ્મિન્ શિશ્ચન ન મત, જ્ઞાનિન: તદ્ધી ત:' () શુદ્ધ ચૈતન્ય વસ્તુમાં.... અંદર શુદ્ધ ચૈતન્ય નિત્ય ધ્રુવ વસ્તુ ભગવાનમાં. નિત્ય ધ્રુવ અનંત ગુણનું ધ્રુવપણું એવો જે ભગવાન આત્મા, એ ધ્રુવમાં. ધ્રુવ એટલે “શુદ્ધ ચૈતન્યવસ્તુમાં કહ્યું છે લક્ષણ જેનું એવું” એ તો જ્ઞાન લક્ષણે, જ્ઞાન સ્વભાવથી વસ્તુ છે, આનંદ સ્વભાવી વસ્તુ છે, ઈશ્વર સ્વભાવી વસ્તુ છે. એમાં કંઈ અકસ્માત છે નહિ. આહાહા....!
ભાવનગરમાં તમારે મોટો મંડપ હતો તે એક ક્ષણમાં બળીને રાખ થઈ ગયો. અગ્નિ લાગી ગયો. વ્યાખ્યાન વાંચવાનો પંડાળ ! આખું ખલાસ એકદમ ! ઈ એકસ્માત નથી. એ સમયે એ પ્રકારે પર્યાય થવાનો કાળ હતો એટલે) થઈ છે. સમજાણું કાંઈ? જ્યારે આ રીતે થાય છતાં એને અકસ્માત ન માનવો, તો આત્મામાં કોઈ અકસ્માત અણચિંતવ્યું અનિષ્ટપણું આવી જાય એવું છે નહિ. આહા...હા...!