SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ કલશામૃત ભાગ-૫ (છે) એ વિકલ્પપણે કદી થઈ જ નથી. એવી નિર્વિકલ્પ) ચીજને જેણે અંતરમાં દૃષ્ટિમાં ને જ્ઞાનમાં લીધી એને વેદનમાં શાંતિ આવે છે. એ શાંતિનો આસ્વાદ લે છે. ચારિત્રની અપેક્ષાએ શાંતિ અને આનંદની અપેક્ષાએ સુખ (વેદે છે). આહા..હા..! એને એ વેદે છે – આસ્વાદે છે, એનો એ સ્વાદ લે છે. આહા..હા..! છે જ્ઞાન ? સહજથી જ ઊપજ્યું છે. સ્વભાવિક જ વસ્તુ છે. અનાદિઅનંત ને ઈ કહેશે. એ ચીજ ઉત્પત્તિ અને વિનાશ રહિત છે. વસ્તુ જે છે સસ્વરૂપ ભગવાન આત્મા ! એ અનાદિઅનંત છે. એટલે ? કે, ઉત્પત્તિ અને વિનાશ રહિત છે. ઉપજવું અને અભાવ થવો એ સ્વરૂપમાં નથી. આહા...હા...! એવી ચીજને જેણે દૃષ્ટિમાં લીધી છે), સમ્યગ્દર્શનમાં એવી ચીજ જાણી છે, માની છે. આહા...હા...! એને આત્મા સહજ સ્વરૂપ છે એમ (ભાસે છે). ઈ સ્વભાવિક જ વસ્તુ છે. કોઈએ કરી છે અને એના સ્વભાવમાં કોઈ કારણે એ સ્વભાવ થયો છે એમ નથી. આહા..હા...! વળી કેવું છે ? અખંડધારાપ્રવાહરૂપ છે.' વસ્તુ છે, વસ્તુ છે એ તો અખંડ ધારા ધ્રુવ. ધ્રુવ... ધ્રુવ. ધ્રુવ (સ્વરૂપ છે). એનો અનુભવ પણ અખંડ ધારા પ્રવાહ પર ચાલે) છે. ભલે ઉપયોગ એમાં ન હો પણ એનું વદન તો ધારાપ્રવહારૂપે ચાલે છે, એમ કહે છે. એવા ધર્મીને પૂર્વના કર્મ ખરી જાય છે, અશુદ્ધતા ટળી જાય છે અને શુદ્ધતા વધે છે. આવી જવાબદારી છે. આહાહા.! આવું એ સહુનું સ્વરૂપ જ છે. એને કોઈ બાહ્ય ચીજ આકર્ષણ કરી શકતી નથી. ધર્મીને પોતાના સ્વરૂપના આનંદના વેદન આગળ જગતના ઇન્દ્ર અને ઇન્દ્રાણીઓની ઋદ્ધિ પણ એને આકર્ષણ કરી શકતી નથી. આહા...હા...! સમજાય છે કાંઈ? એ આકર્ષાઈ ગયો છે (અંતર) આનંદમાં ! અતીન્દ્રિય આનંદનું ઢીમ પ્રભુ આત્મા છે). આહાહા..! અરે...! આ વાત જિનેન્દ્રદેવ ત્રિલોકનાથ પરમાત્મા એને આત્મા કહે કે, જે અતીન્દ્રિય આનંદ અનાકુળ શાંત રસનું ઢીમ (છે) આહા..હા..! એનું જેને અંદર વેદન છે એ નિઃશંક છે. છે ? “હ ‘ઉપાય વિના એવી જ વસ્તુ છે. એને કોઈ ઉપાય નથી, ઈ તો વસ્તુ જ એવી છે. અરે..! એની નજરું ત્યાં ગઈ નથી ને ! નાશવાન (ચી) ઉપર નજર (છે). એક સમયની અવસ્થા નાશવાન, દયા, દાન, કામ, ક્રોધના વિકલ્પો પણ નાશવાન (છે) એની ઉપર નજરને લઈને મિથ્યાષ્ટિને એ પર્યાયની પાસે મહા પ્રભુ બિરાજે છે (એ દેખાતો નથી). આહા...હા..! એ પર્યાયની પાસે મહા ચૈતન્ય ધ્રુવ તત્ત્વ બિરાજે છે. પર્યાયની સમીપમાં છે પણ એની સામું નજર નહિ અને રાગ અને પુણ્ય સમીપ લાગે છે. આહાહા... ભગવાનઆત્મા અંદર બિરાજે છે). સર્વજ્ઞ પરમેશ્વર થયા એ સર્વજ્ઞ પર્યાય અને અતીન્દ્રિય આનંદ આદિ અનંત ગુણની પર્યાય પૂર્ણ પ્રગટ થઈ એ બધી શક્તિઓમાં હતી. એ અનંત શક્તિઓનો સંગ્રહાલય પ્રભુ ! સંગ્રહનો આલય એટલે સ્થાન. આહા...હા...! એની
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy