________________
કળશ- ૧૧૯
જાળવજો, ધ્યાન રાખીને ફલાણું કરજો.... એમ બધા વાતું કરે.
અહીં કહે છે, પ્રભુ ચૈતન્ય સ્વરૂપ જ્ઞાનાનંદ સહજાનંદ સ્વયં શાશ્વત છે તેનું જતન કરીએ તો રાખીએ એવું છે નહિ. આહાહા...! એવો આત્મસ્વભાવ સમ્યક્દષ્ટિ જીવને દૃષ્ટિમાં આવ્યો છે, પ્રતીતમાં આવ્યો છે અને પૂર્ણ છે એવો સ્વભાવ(નો) જેને સ્વીકાર થઈ ગયો છે. આહાહા..! શાશ્વત છે અને પૂર્ણ છે. એવા સ્વભાવનો ધર્મીજીવને શરૂઆતમાં સ્વીકાર થઈ ગયો છે. એથી એને જતન કરીને રાખીએ તો રહે એવું છે નહિ. આહા...હા...! બહુ ફેર....
પ્રશ્ન :- દુકાનને તાળું ન દે ?
સમાધાન :- તાળા કોણ દે ? એ આંગળાની ક્રિયા (થાય) એનાથી તાળું દેવાય એમ પણ નથી. આંગળાની દશા તાળાને અડતી નથી. આહાહા...! તાળાની કુંચી તાળાને અડતી નથી. કેમકે દરેકનું અસ્તિત્વ ભિન્ન ભિન્ન છે. ભિન્ન અસ્તિત્વ ભિન્ન અસ્તિત્વને કેમ અડે ? સમજાય છે કાંઈ ? ભિત્ર અસ્તિત્વની બહાર બીજું) ભિત્ર અસ્તિત્વ લોટે પણ અંદર પ્રવેશ કરે કે અડે એવું હોઈ શકે નહિ. આ..હા...હા...! સમજાણું કાંઈ ?
શરીરને આત્મા અડતો નથી, ત્રણ કાળમાં કોઈ દિ અડ્યો નથી. શરીરની પર્યાયથી ભિન્ન રહીને ભગવાન (આત્માએ) પોતાનું અસ્તિત્વ રાખ્યું છે. એને અડ્યો પણ નથી, શરીરને કોઈ દિ અડ્યો નથી. આહાહા..!
પ્રશ્ન :- શરીર ધર્મનું સાધન છે કે નહિ ?
સમાધાન – ધૂળેય ધર્મનું સાધન) નથી, પાપનું નિમિત્ત છે. આહાહા.! “શરીર દ્યમ્ રવતુ ધર્મસાધન” એવું પુરુષાર્થસિદ્ધિ-ઉપાયમાં આવે છે. એ તો નિમિત્તના કથન છે. આહા..હા..!
આ આત્મ-શરીર ચૈતન્ય જેના પ્રાણ છે, આનંદ જેનો સ્વભાવ છે. શાશ્વત રહેવું જેનું સહજ સ્વયં સ્વરૂપ છે. આહા...હા...! એવા પ્રાણને પોતાના માનતો એ પ્રાણની જતના કરું તો રહે એવું છે નહિ. આહાહા..! આ પ્રાણ છે ઈ મારા નથી એટલે એને રાખું કે છૂટે એની સાથે મારે કોઈ સંબંધ નથી. આહા...હા...! ધર્મની કિંમત કોઈ ઊંચી છે ! આહા...હા...!
કાલે ભાઈએ પ્રશ્ન કર્યો હતો. કાલે આહાર કરીને નીકળ્યા ને ? એનો આહાર હતો ને ? (ત્યાં) ચાર-છ હાથ ઊંચો લીમડો (હતો). (એમણે પૂછ્યું કે, આ બધું થઈને એક જ જીવ છે ને ? ઈ તો આ લીમડાનું આવડું પાંદડું છે એનો એક રાઈ જેટલો કટકો લ્યો એમાં અસંખ્ય શરીર છે. એક શરીરે એક જીવ (રહેલો છે) માટે તેને પ્રત્યેક કહ્યાં છે. આહા..હા...! પાંદડું છે ને ? પાંદડું ! એમાં તો અસંખ્ય શરીર છે. એક પાંદડાંમાં તો અસંખ્ય શરીર છે અને એક એક શરીરે એક એક જીવ (છે). આહા...હા...!
મુમુક્ષુ :- આખા લીમડાનો એક જીવ જુદો છે ?