SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૦ કલશામૃત ભાગ-૪ વાંછવામાં આવે છે જે વસ્તુસામગ્રી અને (વેવ) વાંછારૂપ જીવનો અશુદ્ધ પરિણામ, તેઓ છે (વિમાવ ) બંને અશુદ્ધ, વિનશ્વર, કર્મજનિત, તે કા૨ણથી ( ઘનત્વાત્) ક્ષણે ક્ષણે અન્ય અન્ય થાય છે. કોઈ અન્ય ચિંતવાય છે, કોઈ અન્ય થાય છે. ભાવાર્થ આમ છે કે-અશુદ્ધ રાગાદિ પરિણામ તથા વિષયસામગ્રી બંને સમયે સમયે વિનશ્વર છે, માટે જીવનું સ્વરૂપ નથી. આ કારણથી સમ્યગ્દષ્ટિને એવા ભાવોનો સર્વથા ત્યાગ છે. તેથી સમ્યગ્દષ્ટિને બંધ નથી, નિર્જરા છે. ૧૫-૧૪૭. કળશ નં.-૧૪૭ : ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૫૪ તા. ૨૦/૧૧/’૭૭ ,, “તેન વિદ્વાન શ્વિન ન ાંક્ષતિ” તે કારણથી (વિદ્વાન) સમ્યગ્દષ્ટિ જીવ, આહાહા ! વિદ્વાન તેને કહીએ ! શાસ્ત્રના ભણતર ભણ્યો માટે વિદ્વાન એમેય નહીં. વિદ્વાન, વિદ્ અર્થાત્ આત્માની જે આનંદની લક્ષ્મી છે એ અતીન્દ્રિય આનંદની લક્ષ્મીવાળો થાય તે વિદ્વાન છે. સમજાય છે કાંઈ ? દુનિયાથી વાતો બહુ ફેર ! ‘વિત્’ એટલે પૈસો નહીં, જે પૈસાના અર્થી છે તે દુઃખના અર્થી તે દુઃખી પ્રાણી છે. વિદ્ આત્માની લક્ષ્મી તે અતીન્દ્રિય જ્ઞાન ને આનંદ છે. એ અતીન્દ્રિય જ્ઞાન ને આનંદની જે લક્ષ્મી છે જે અનંત ચૈતન્ય સ્વભાવ ! ચૈતન્ય ચમત્કાર તત્ત્વ ! તેની સન્મુખ થઈને શુદ્ધિની ઉત્પત્તિ થવી એટલે કે પવિત્રતાની ઉત્પત્તિ થવી તેને સંવર કહે છે. વિશેષ પવિત્રતાની વૃદ્ધિ થવી તેને નિર્જરા કહે છે. એ અહીંયા કહે છે– એવો સમ્યગ્દષ્ટિ જીવ ! જેને ભગવાન આત્માના અતીન્દ્રિય આનંદની મીઠાશ આવી છે. સક્કરિયાનો દાખલો આપીએ છીએ ને ! આ સક્કરિયું જેને સકરકંદ કહે છે. એ સકરકંદની ઉ૫૨ લાલ છાલ છે. એ લાલ છાલને ન જુઓ તો અંદરમાં એકલી સાકરનો પિંડ છે. એ લાલછાલ સિવાયનો એ સાકરનો પિંડ છે. તેમ આ ભગવાન આત્મા ! તેને પુણ્ય ને પાપના વિકલ્પોની છાલ ઉપર લાગેલી છે. આ શરીર તો ધૂળ-૫૨ છે, તેની સાથે કાંઈ સંબંધ નથી, અંદ૨માં જે પુણ્ય ને પાપના, દયા-દાન ને વ્રત ભક્તિના અને કામ-ક્રોધના ભાવ થાય એ લાલ છાલ છે. એ લાલ છાલની પાછળ અંદર ભગવાન અતીન્દ્રિય આનંદનો કંદ છે. અરે.....અરે ! આવી વાતો હવે કયાં છે ? અજ્ઞાની બહા૨માં સુખ માટે વલખાં મારે છે. પત્નીમાં, છોકરામાં, પૈસામાં, આબરૂમાં. એ છાલથી ભિન્ન પાડીને જે સકરકંદ છે તે સાકરની મીઠાશનો પિંડ પ્રભુ છે, તેમાં એકાગ્ર થતાં અંદરમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. જેમ સકરકંદ એ સાકરની મીઠાશનો પિંડ છે તેમ આ આનંદનો પિંડ પ્રભુ છે. એને જે પુણ્ય પાપના રાગથી ભિન્ન પડી અને સ્વભાવની– શુદ્ધતાની જેને એકતા પ્રગટી છે તે જીવને કર્મ ખરે છે. અશુદ્ધતા ગળે છે. તેને સમ્યગ્દષ્ટિ
SR No.008259
Book TitleKalashamrut Part 4
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2005
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy