SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ કલશ-૧૪૩ ૪૧૭ કળશ નં.-૧૪૩: ઉપર પ્રવચન પ્રવચન ને. ૧૪૯–૧૫૦ તા. ૧૪–૧૫/૧૧/૭૭ અહા ! સંતો – દિગમ્બરો મુનિઓ કરૂણા કરીને જગતને આ વાત કહે છે. દિગમ્બર સંતોની આ કથની છે. જે પ્રચુર અતીન્દ્રિય આનંદના વેદનમાં પડ્યા છે. જે અતીન્દ્રિય આનંદના ઝૂલે ઝૂલે છે. મુનિપણું કોને કહેવાય? સમકિત જીવ ગૃહસ્થાશ્રમમાં હોય, આત્માના આનંદનો અનુભવ તેને પણ હોય, તેને આનંદનો અંશ વેદનમાં આવે છે. જ્યારે મુનિને તો અતીન્દ્રિય આનંદના પ્રચુર વદન હોય છે તે મુનિરાજ જગતને જાહેર કરે છે. “તત: નનુ રૂવં નાત રૂદ્ર પદ્મ વિતું સતતં યતતાં,” તે કારણથી અહો ! વિધમાન છે જે ત્રલોકયવર્તી જીવરાશિ.”બધા જીવોને સંબોધ્યું છે. ત્રણલોકમાં વર્તનારા હે જીવો! “(રૂવં પદ્દમ) આ પદનો અર્થાત્ નિર્વિકલ્પ શુધ્ધ જ્ઞાનમાત્ર વસ્તુનો નિરંતર અભ્યાસ કરવાને માટે અખંડધારાપ્રવાહરૂપ યત્ન કરો.” એ રાગની ક્રિયાથી ભિન્ન પડીને, ભગવાન આનંદ સ્વરૂપ છે તેના અનુભવનો અભ્યાસ કરો જે ક્રિયાકાંડનો રાગ છે તે રાગથી ભિન્ન પડવાનો અભ્યાસ કરો અને શ્રધ્ધાને સુધારો! પહેલું મૂળીયું સુધાર એમ કહે છે. (૫૫) આ પદનું એટલે? નિર્વિકલ્પ જ્ઞાન વસ્તુ, વિકલ્પ નામ રાગ વિનાની ચીજ, અંદર અભેદ ચૈતન્ય ભગવાન બિરાજે છે તેના અનુભવનો અભ્યાસ કરો. “ઘટ ઘટ અંતર જિન વસે,” જિન સ્વરૂપ ભગવાન આત્મા અંદર વસે છે. જિન સ્વરૂપ એવું શુધ્ધ જ્ઞાનમાત્ર વસ્તુ “(યિતું) નિરંતર અભ્યાસ કરો.” એ રાગના વિકલ્પથી ભિન્ન પ્રભુ નિર્વિકલ્પ ચીજ અંદર બિરાજે છે તે અભેદ વસ્તુ ભગવાન આત્મા છે. અરે. તેને કેમ બેસે? વિકલ્પની પાછળ અંદર ચૈતન્યમૂર્તિ ભગવાન બિરાજે છે તેનો રાગથી ભિન્ન પાડીને અભ્યાસ કર! ભેદજ્ઞાન કર....! સમજાણું કાંઈ? (યિતું) ભાષા જઈ ? નિરંતર અભ્યાસ કરવા માટે “(યિતું સતત) અખંડ ધારાપ્રવાહરૂપ યત્ન કરો.” જેમ લીંડી પીપરને ચોસઠ પહોર અખંડધારાએ ઘૂટે ત્યારે તેમાંથી ચોસઠ પહોરી તિખાશ બહાર આવે છે. ત્યાં ઘૂંટવાવાળા ચાર માણસો ચાર વખત બદલાવે, એક મિનિટનો થાક ખાધા વિના અખંડ ધૂટે ત્યારે તેની તીખાશ બહાર આવે. તેમ અહીંયા આનંદના નાથને અંતરમાં અખંડધારાએ વારંવાર પૂંટીને અનુભવ કર – એમ કહે છે. ભાષા કેવી છે જોયું? અખંડધારાપ્રવાહરૂપ યત્ન કરો. “(ચતતાં સતતં) સતતં યતતા” સતત – નિરંતર પ્રયત્ન કરો! અંદરમાં તારા નાથની રચના કરજે. એ વિકલ્પથી પાર અંદર વસ્તુ પડી છે...તેનો (સતતં યતતાં) નિરંતર યત્ના – જતન કરો. આ પર જીવની જતના કરે છે ને એ તો શુભરાગ છે. “વયિતું ચતતાં સતતં નાત” જગત્ છેલ્લો શબ્દ છે ને ! અરેરે! તેને વખત કયાં છે? તેને પાપ આડે
SR No.008259
Book TitleKalashamrut Part 4
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2005
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy