SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૨ કલશામૃત ભાગ-૪ “વળી કેવો છે?” “સ્વાં વસ્તુવૃત્તિ વિદ્રન [ જ્યાં] પોતાના દ્રવ્યસંબંધી”, (સ્વ) પોતાનું જ સ્વરૂપ.પોતાના દ્રવ્ય સંબંધી “(વસ્તુવૃત્તિ) આત્માનું શુધ્ધ સ્વરૂપ, તેની સાથે તદ્રુપ પરિણમતો થકો” ત્રિકાળી વસ્તુ જે આત્મા તે અનંતા આનંદનો કંદ પ્રભુ છે... આનંદનો નાથ પ્રભુ છે તેની સાથે તાદાભ્યપણે અનુભવતો થતો. આ પર્યાયની વાત આવી. તદ્રુપ પરિણમતો થકો એ પર્યાયની વાત આવી. વસ્તુવૃત્તિએ આત્માનું શુધ્ધ સ્વરૂપ છે, તેની સાથે તદ્રુપ પરિણમતો થકો. ત્રિકાળની સાથે તે પર્યાયને તદ્રુપ પરિણમતો થકો. “વળી કેવો છે?માત્માત્માનુમવાનુમાવવિવશ: ચેતન દ્રવ્ય, તેના આસ્વાદના મહિમા વડે ગોચર છે.” ભગવાન આત્મા પૂર્ણ સ્વરૂપ ચેતન દ્રવ્ય છે. તે ચેતનદ્રવ્યના અનુભવના આસ્વાદના મહિમા વડે ગમ્ય થાય છે. (અનુમાવ) તેનો અર્થ કર્યો-મહિમા વડે (વિવાદ) ગોચર છે અર્થાત્ ગમ્ય થયો છે. આહાહા ! પોતાની મહિમા વડે આત્મા અંદર ગમ્ય થઈ ગયો છે. એટલે તેની મહિમા જ્ઞાનમાં આવી ગઈ છે. જે અગમ્ય હતું તે ગમ્ય થઈ ગયું. (માત્મા) ચેતનદ્રવ્ય, તેના (માત્માનુમવ)” એટલે આત્માનો આસ્વાદ એમ સીધો અર્થ કર્યો છે. પોતાની મહિમા વડે એ ગમ્ય થઈ ગયો છે. અહીંયા મહિનામાં અંદર ગુમ થઈ ગયો છે. “વળી કેવો છે? “વિશેષાં પ્રશ્ય” જ્ઞાન પર્યાય દ્વારા નાના પ્રકારો, તેમને મટાડતો થકો”. (પ્રશ્યન) એટલે કે તમને મટાડતો થકો-પર્યાયના ભેદને લક્ષમાંથી છોડતો થકો આવી વાત છે. ૨૩૧ શ્લોકમાં (મૃમિ) નિરંતર એમ આવે છે. અહીંયા (પ્રશ્ય) તેનો અર્થ ભ્રષ્ટ કર્યો છે. (વિશેષોતાં પ્રશ્યત)” વિશેષ જે પર્યાયના ભેદો છે તેને મટાડતો થકો. (શ્રદ્યુત) એટલે મટાડતો થકો. ત્રિકાળી સામાન્ય ઉપર દૃષ્ટિ દેતો થકો. આત્મ દ્રવ્યમાં જે વિશેષ પ્રકારની પર્યાયનું પ્રગટવું થયું તેને (જય) છોડતો થકો. વિશેષ ભાવને લક્ષમાંથી મટાડતો થકો. શ્લોક ૨૩૧માં- ““શન માત્મતત્ત્વ ભગત :” ટીકામાં નીચેથી ચોથી લીટી છે. એક શબ્દ “પ્રશ્ય’ બીજો શબ્દ “બ્રશન” નિરંતર આત્મતત્ત્વને ભજતો અનુભવતો -સેવતો એ ભજન છે. આત્માનો અનુભવ તે આનંદનું ભજન છે. શબ્દ બન્ને એકસરખા લાગે પણ બનેના અર્થ ઊંધા વિરુધ્ધ છે. ૧૪૧ શ્લોકમાં અહીંયા (જસ્થત ) એટલે પર્યાયના ભેદને મટાડતો થકો. “વળી કેવો છે? (સામાન્ય વનયન) “ર્નિર્ભેદ સતામાત્ર વસ્તુનો અનુભવ કરતો થકો.” આ છેલ્લે હવે બધું લઈ લીધું. આગળ પાઠમાં આવ્યું કે શેયના કારણે જે પર્યાયના નામ ભેદ પડયા તે તો જૂઠા છે....એટલી વાત કહી. હવે અહીંયા તો કહે છે-પર્યાયના ભેદ છે તેને લક્ષમાંથી છોડતો. આવું કયાંય મળે તેમ નથી. દુનિયાને કઠિન લાગે પણ શું થાય? ( શેયના જણાવાથી) જે પર્યાયના નામ પડ્યા છે તે તો જૂઠા છે. હવે કહે છે –પર્યાય છે તે વાત બરોબર છે પણ એ
SR No.008259
Book TitleKalashamrut Part 4
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2005
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy