SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ કલશ-૧૨૭ ૧૭૩ ઉત્તર:- શ્રીગુરુની શ્રદ્ધાનું અવલંબન એ પણ નહીં ! પ્રભુ! તું ત્રણલોકનો નાથ અંદર બિરાજે છે. અતીન્દ્રિય આનંદ ને અતીન્દ્રિય જ્ઞાનનો પિંડ પ્રભુ છે. તેનું અવલંબન લે ને! તેનો આશ્રય કરને! તેને પડખે જા ને ! તેનો આધાર લે ને! આમ છે પર્યાય છે, રાગ છે પણ તેનું અવલંબન ન લે. આહાહા ! પર્યાયમાં રાગ છે, દુઃખ છે... પણ દુઃખનું અવલંબન ન લે. આ તો છેલ્લામાં છેલ્લી વાત છે. અવલંબન તો ત્રિકાળી એક પ્રભુનું. ત્રિકાળીધ્રુવને ધ્યાનમાં ધ્યેય બનાવી એટલે ધ્યાનનો વિષય ધ્રુવને બનાવી તેનું અવલંબન લે પર્યાયમાં અનેક પ્રકાર હો... એને જ્ઞાન જાણે... પણ તેનું અવલંબન નહીં. સમજાય છે કાંઈ? ઝીણું છે પ્રભુ! માર્ગ જ ઝીણો છે નાથ ! અંદર અરૂપી છે તે અનંત. અનંત શક્તિનો સાગર, અને એક-એક શક્તિ પણ અનંત શક્તિના રૂપથી ભરેલી... એવી અનંતી શક્તિનો સાગર.... નાથ તેનું પૂર્ણ ઈદં' એટલે પૂર્ણ વસ્તુ છે તેનું અવલંબન લે. આહા ! પર્યાય છે, રાગાદિ છે, દુઃખ છે. સંયોગની વાત તો એક બાજુ રહો ! કેમકે એ તો પર્યાયમાં પણ નથી. શરીર, કર્મ, દેવગુરુશાસ્ત્ર એ તો તેની પર્યાયમાં પણ નથી. એની પર્યાયમાં પુણ્ય-પાપના રાગાદિ ભાવ હજુ છે અને તેથી દુઃખ પણ છે, પણ તેનું અવલંબન ન લે. આવો માર્ગ છે. (માલિની) यदि कथमपि धारावाहिना बोधनेन ध्रुवमुपलभमानः शुद्धमात्मानमास्ते। तदयमुदयदात्माराममात्मानमात्मा परपरिणतिरोधाच्छुद्धमेवाभ्युपैति।।३-१२७।। ખંડાન્વય સહિત અર્થ:- “તત્વ શયનસાત્મા ગાત્માનમ શુદ્ધમ ગમ્યુતિ"(ત) તે કારણથી (સયમ માત્મા) આ પ્રત્યક્ષ આત્મા અર્થાત્ જીવ (માત્માનમ) પોતાના સ્વરૂપને (શુદ્ધ૧ ) શુદ્ધ અર્થાત્ જેટલાં છે દ્રવ્યકર્મ-ભાવકર્મ તેનાથી રહિત (મ્યુતિ) પામે છે. કેવો છે આત્મા? “કયલાત્મારામમ” (૩ય) પ્રગટ થયેલ છે (આત્મા) પોતાનું દ્રવ્ય, એવો છે (લારામમ) નિવાસ જેનો, એવો છે. શા કારણથી શુદ્ધની પ્રાપ્તિ થાય છે? “પરંપરિતિરોધાત”(Rપરિતિ) અશુધ્ધપણાના (રોધાત) વિનાશથી. અશુધ્ધપણાનો વિનાશ કઈ રીતે થાય છે તે કહે છે-“ય માત્મા થપિ શુદ્ધમાત્માનમ ૩૫મમાનઃ સારૂં” (હિ) જો (માત્મા) ચેતનદ્રવ્ય (5થમf) કાળલબ્ધિ પામીને સમ્યકત્વપર્યાયરૂપ પરિણમતું થયું, (શુદ્ધમ) દ્રવ્યકર્મ-ભાવકર્મથી રહિત એવા (માત્માન”) પોતાના સ્વરૂપને (૩૫મમાન: શાસ્તે) આસ્વાદતું થયું પ્રવર્તે છે તો. શા
SR No.008259
Book TitleKalashamrut Part 4
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2005
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy