SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪) કલશાકૃત ભાગ-૩ પ્રશ્ન:- અનુભવ પછી ભેદ કરવો ન પડે! ઉત્તર- પછી ભેદ કરવો ન પડે. ભેદ તો થઈ ગયો. હવે તો એમ જ ચાલે છે બસ. અહીં કહે છે- જુઓ! તત્ત્વવેતાને નિરંતર જ્ઞાન ને આનંદનું વેદન રહે છે. સમાજમાં આવ્યું? હવે તેને રાગનો હું કર્તા છું કે રાગનો અકર્તા છું તેવું ગોખવું ન પડે. “નિરન્તર' શબ્દ લીધો છે ને? ભગવાન આત્મા પક્ષથી અતિક્રાંત થઈ ગયો તો તે નિરંતર એવો જ રહે છે. આહાહા ! અને તેમાં એવું પણ લીધું છે કે –ભેદજ્ઞાન થયું તો હવે રાગની ક્યારેય એકતા નહીં થાય એમ કહે છે. મુનિ છદ્મસ્થ છે પરંતુ પોતાની દશામાં જે ભેદજ્ઞાન થયું તે હવે નિરંતર રહેશે. તેને હવે કદી રાગની એકતા થવાની નથી. શ્રોતા:- તેને ભેદજ્ઞાનનો અભ્યાસ ચાલુ છે. ઉત્તર- તેને ભેદજ્ઞાન જ થઈ ગયું છે. હવે એમ ને એમ અંતરમાં પ્રયાસ વર્તે છે. તે અંતરમાં ઝુકે છે. અંતરમાં ઝુકતાં-ઝુકતાં ચારિત્ર થઈ જશે અને પછી એમ ઝુકતાં ઝુકતાં કેવળજ્ઞાન થઈ જશે. સમજમાં આવ્યું? ક્રિયા કરતાં કરતાં ચારિત્ર થશે અને ક્રિયા કરતાં-કરતાં કેવળજ્ઞાન થશે તેમ નથી. સંવર અધિકાર ૧૩૧ કળશમાં આવે છે કે “જે વિજ્ઞાનત: સિદ્ધા: સિક્કા યે છિન વોવના” અત્યાર સુધી જેટલા મુક્ત થયાઅનંત સિદ્ધો તે ભેદજ્ઞાનથી સિદ્ધ થયા છે. રાગથી ભિન્ન પડીને પોતાના આનંદનું ભેદજ્ઞાન થયું તેનાથી સિદ્ધ થયા છે. બંધાયો છે તો તે કર્મના ઉદયને કારણે બંધાયો છે એમ ન લીધું. “ચૈવાભાવતો વલ્ડ” તે ભેદજ્ઞાનના અભાવથી અર્થાત્ (રાગ સાથેની) એકતાબુદ્ધિથી બંધાયો છે. સમજમાં ? આહાહા ! અહીંયા કહે છે કે- નિરંતર ચિસ્વરૂપ જીવ ચિસ્વરૂપ જ છે. આહાહા ! શું ટીકા અને શું કળશ! સમયસાર તો સમયસાર (છે). બનારસીદાસજીએ કહ્યું કેભાવમાં સમયસાર, વાણીમાં સમયસાર, મનમાં સમયસાર, વિકલ્પમાં સમયસાર; વાત તો એવી જ છે. આહાહા ! ત્રણલોકનો નાથ પરમાત્મા છે તેમાં પૂર્ણ સંપદા છે. તે પૂર્ણ રત્નાકર ભગવાન છે. જેમ સ્વયંભૂ રમણ સમુદ્ર અસંખ્ય યોજનમાં છે. તેની અંદર તળિયામાં રતન પડ્યા છે; રેતી નહીં. તેમ આ ભગવાન આત્મામાં અસંખ્ય યોજન નહીં પરંતુ પહોળો આપણા અસંખ્ય પ્રદેશ પ્રમાણે છે. તેની અંદર તળિયામાં, અસંખ્ય પ્રદેશમાં અનંત ચૈતન્ય રત્નાકરના દરિયા ભર્યા પડ્યા છે. આહાહા! ત્યાં પુણ્ય-પાપના વિકલ્પની રેત નહીં. આહાહા! આવી વાતું છે પણ તેણે સાંભળ્યું ન હોય એટલે એકાન્ત લાગે. વ્યવહારથી થાય છે અને નિમિત્તથી થાય છે... (તેમ માને !) Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008258
Book TitleKalashamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2003
Total Pages451
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy