SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૪૮ આગમની વાણીનો આ મર્મ છે. ઝીણું છે ભાઈ ! સાંભળવીયે મુશ્કેલ પડે છે. આ કરો ને.. તેણે જગતના પરિચય આડે આ પરિચય કર્યો નથી. અને અત્યારે તો આવી વાત આ કરો, વ્રત કરો, ભક્તિ કરો, પૂજા કરો એ બધી રાગની ક્રિયા છે તે ધર્મની ક્રિયા નહીં. ૧૮૧ અહીં તો કહે છે-પુણ્ય-પાપના રાગથી ભિન્ન પોતાના શુદ્ધ સ્વરૂપના અનુભવમાં સમર્થ થયો ત્યા૨થી તે જ્ઞાની પોતાનાથી ભિન્ન અનંત દ્રવ્ય જે વસ્તુ છે તેનો જાણનશીલ રહ્યો. અનાદિની મિથ્યા માન્યતા છોડી દીધી. હું તેનો અને તે મારો તેવી મિથ્યા માન્યતા છૂટી ગઈ. ભાષા તો સાદી છે પરંતુ ભાવ સૂક્ષ્મ છે. ત્રિલોકીનાથ જિનેશ્વરદેવ પરમાત્મા ! જેમણે એક સમયમાં ત્રણકાળ અને ત્રણલોક જાણવામાં આવ્યા છે તે ભગવાનની વાણીમાં તો આ આવ્યું છે કે–સામે સર્વજ્ઞ ૫૨માત્મા હોતો પણ જ્ઞાની તેનો જાણના૨ ૨હે છે. આ ૫રમાત્મા-દેવ મારા છે તેમ હવે ૨હેતું નથી. તો પછી આ સ્ત્રી, કુંટુંબ, મકાન, લક્ષ્મી એ તો બધા ૫૨દ્રવ્ય છે.. ધર્મી જીવ તે ૫૨દ્રવ્યોનો જાણના૨ ૨હ્યો. આ ૫૨ પદાર્થો જાણવા લાયક છે એટલું રહ્યું. આમાં સંસ્કૃત ને વ્યાકરણ ને એવું કાંઈ નથી... આ વાત તો સમજાય એવી છે. આ કાંઈ ઝીણી વાત નથી. આ તો સીધો મારગ છે પ્રભુ! પ્રશ્ન:- તેમાં પોતાનું શું છે? ઉત્ત૨:- અનંત જ્ઞાન અને અતીન્દ્રિય આનંદ તે પોતાનું છે. સમ્યગ્દર્શન થતાં તેમાં આવો અનુભવ અને પ્રતીત થઈ કે−હું તો (જ્ઞાન અને આનંદમય ) છું. અનુભવ થયા પછી હવે તે ભિન્ન દ્રવ્યોનો જાણવાવાળો રહ્યો. જ્ઞાની અને ધર્મી તેને કહીએ કે-પોતાથી ભિન્ન ચીજનો જાણનશીલ છે. જ્યારે પોતાની ચીજનો પોતાનામાં અનુભવ કર્યો.. તો હવે તે પોતાથી ભિન્ન ચીજનો જાણનશીલ રહ્યો. સમજાય એવી વાત છે ભગવાન ! અરે! અનંતકાળથી જન્મ-મરણરૂપ ચોરાશીના અવતાર કરી કરીને રખડયો પરંતુ તેમાં આ કયારેય કર્યું નથી. ઇરાકદેશ છે, તેમાં એક દિવસની પચાસકરોડની પેદાશ છે. ત્યાં પેટ્રોલના કૂવા નીકળ્યા છે. પેલાનો રાજા હતો તેને મારી નાખીને તેનો ભાઈ ગાદીએ બેઠો છે. અનાર્યદેશ છે તેમાં આત્મા શું તેવું ભાન તો છે નહીં. એક દિવસની અડધા અબજની પેદાશ છે તે ધૂળમાં શું છે! મરીને એ નરકે જવાના છે. અહીંયા કહે છે કે ૫રમાત્મામાં અનંત લક્ષ્મી, અનંત દર્શન, અનંત જ્ઞાન જેમાં છે તે ત્રિકાળીની સન્મુખ થઈ અને રાગ, નિમિત્ત અને પર્યાયથી વિમુખ થઈને, પોતાના આનંદનો અનુભવ થયો ત્યારે પ્રતીતમાં આવ્યું કે હું તો જ્ઞાન ને આનંદની મૂર્તિ છું. આ ૫૨દ્રવ્ય છે તે મારે જાણવાલાયક રહ્યા, તે મારા છે તેવી વાત હવે રહી નહીં. ઋષભદેવ ભગવાનના પુત્ર ભરત ચક્રવર્તી તે સમકિતી આત્મજ્ઞાની હતા. છ Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
SR No.008257
Book TitleKalashamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2002
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy