SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૪૮ ૧૬૯ છે. શુદ્ધ ચૈતન્ય આત્મા (સ્વયં) પોતાની મેળે આત્માનો અનુભવ કરે છે ત્યારે તેને વ્યવહાર રત્નત્રયના રાગની અપેક્ષા નથી. “સ્વયં પોતાની મેળે ” તેમાં એમ કહેવું છે કેરાગની મંદતાની ક્રિયા હતી તો આ સ્વભાવનું સમ્યકભાન થયું એમ નથી. ઘણાં એમ માને છે કે વ્રત, તપ, પૂજા, ભક્તિના શુભભાવ હતા તેથી આત્મજ્ઞાન થયું તેમ નથી. પોતાની મેળાએ' આમાં શું કહેવું છે? પોતાનું શુદ્ધ પવિત્ર ત્રિકાળી સ્વરૂપ છે તે પુણ્ય-પાપના વિકલ્પના અભાવ સ્વરૂપ શુદ્ધ અસ્તિત્વરૂપ છે. ભગવાન આત્મા પૂરણ શુદ્ધ પવિત્ર છે. તેવા આત્માના અનુભવમાં સમર્થ થયો તેને ધર્મ પ્રગટે છે. અને તેને ધર્મી કહે છે. અનાદિથી અજ્ઞાનપણામાં જે પુણ્ય-પાપના ભાવને અનુભવવામાં સમર્થ હતો તે હવે “પોતાની મેળાએ” શુદ્ધ સ્વરૂપને અનુભવવામાં સમર્થ થયો છે. શું કહે છે-શુદ્ધ ચૈતન્ય વસ્તુ પવિત્રતાનો પિંડ પ્રભુ પોતે છે. એ પવિત્રતાનું જ્યાં સુધી તેને ભાન ન હતું ત્યારે તે સ્વભાવના અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા પુણ્ય-પાપના ભાવનો મિથ્યા અનુભવ હતો. અનાદિ મિથ્યાષ્ટિની ભૂમિકામાં તેને વિકારના ભાવનું વેદન અને તેનો અનુભવ હતો. અર્થાત્ અધર્મનો અનુભવ હતો. જેમ મૃગલાની નાભિમાં કસ્તુરી છે પરંતુ તેની કિંમત મૃગલાને નથી. તેમ ભગવાન આત્મા ચૈતન્ય આનંદ સ્વરૂપ છે. સ્વભાવમાં આનંદ અને પવિત્રતા ભરી છે. આવા આત્માથી અજાણ અજ્ઞાનીને તેની કિંમત નથી. આત્મા સ્વરૂપે શુદ્ધ અતીન્દ્રિય આનંદની મૂર્તિ પ્રભુ છે. સ્વરૂપના ભાન વિના અજ્ઞાનથી તેને પુણ્ય-પાપના ભાવનું વેદન અને અનુભવ હતો. અહીં કહે છે-હવે તે અનુભવ ગુલાંટ ખાય છે. “પોતાની મેળાએ પોતાના શુદ્ધ સ્વરૂપના અનુભવમાં સમર્થ થયો થકો ” અર્થાત્ રાગથી ભિન્ન થઈ પોતાની મેળાએ શુદ્ધ સ્વરૂપનો અનુભવ કર્યો. શ્રોતા:- તેને આત્મ ભાવના કહેવાય! ઉત્તર:- ભાવના એટલે શુદ્ધ સ્વરૂપનો અનુભવ. શ્રીમજીમાં આવે છે-“આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન”. ભાવના એટલે શું? શુદ્ધ ચૈતન્ય આનંદઘન આત્મા તેનો અંતરમાં અનુભવ થવો, તેમાં એકાગ્રતા થવી તેનું નામ ભાવના છે. મારગ આવો સૂક્ષ્મ છે પરંતુ લોકોએ તેને બગાડી નાખ્યો છે. સમજાણું કાંઈ? આત્મા તો શુદ્ધ પવિત્ર સ્વરૂપ છે. તેની ભાવના એટલે? તેની સન્મુખ થઈને તેમાં એકાગ્રતા કરવી તેનું નામ ભાવના. ત્રિકાળી વીતરાગ સ્વરૂપમાં વીતરાગી પર્યાયથી એકાગ્ર થવું તેનું નામ ભાવના છે. અરે! આવી ભારે આકરી શરતુ છે. ધ્રુવ ભાવની ભાવના કરવી એટલે કે પરમ સ્વભાવભાવ એવો શાકભાવ કે જે ધ્રુવ પરમાત્મ સ્વરૂપ છે તેની ભાવના. અર્થાત્ (તેમાં એકાગ્રતા). આહાહા ! આ તો અપૂર્વ વાતો છે. Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008257
Book TitleKalashamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2002
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy