SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૪૪ ૧૧૯ નિમિત્ત છે. આત્મા નિમિત્ત છે એટલે ઉપસ્થિત માત્ર છે પુદ્ગલકર્મ ઉપાધિમાં નિમિત્ત ખરુ. ભગવાન આત્મા આનંદનો નાથ પ્રભુ! અતીન્દ્રિય અનાકુળ સ્વરૂપ તે કાંઈ રાગમાં નાચે? આહા.. હા! અનાકુળ આનંદ સ્વરૂપનું નાચવું તો અનાકુળ આનંદની પર્યાયમાં હોય છે. માટે પુણ્ય ને પાપના ભાવ અજીવ સ્વરૂપ છે. તેનું જીવ સ્વરૂપની સાથે એકત્વ માનવાથી અને એને લઈને ધારાવાહી વિભાવ થાય તેને અહીં પુગલનો નાચ કહ્યો છે. ભાવાર્થ આમ છે કે-ચેતનદ્રવ્ય અને અચેતન દ્રવ્ય અનાદિ છે, પોતપોતાના સ્વરૂપે છે, પરસ્પર ભિન્ન છે. આવો અનુભવ પ્રગટપણે સુગમ છે; જેને એકત્વ સંસ્કારરૂપ અનુભવ છે તે અચંબો છે.” ભગવાન ચૈતન્ય વસ્તુ અનાદિની છે અને પુદ્ગલ અચેતન પણ અનાદિથી છે. આત્મા, આત્માના ચૈતન્ય સ્વરૂપે-આનંદ સ્વરૂપે છે અને રાગાદિ જડ. જડ સ્વરૂપે અનાદિના છે. બન્ને પરસ્પર ભિન્ન છે. અત્યારે તો આવો ઉપદેશ કે વ્રત..લો, પડિયા લો, પાંચ મહાવ્રત ધારણ કરો ! ભાઈ. એ તો બધો રાગ છે. આહા... હા ! એ રાગને પોતાનો માનવો અને એ રાગથી મને લાભ થશે એમ માનવું તે મિથ્યાસંસ્કાર મિથ્યાષ્ટિને છે. અજીવમાં જીવપણાના સંસ્કાર નાખીને એકત્વબુદ્ધિ કરી છે. આવી બહુ આકરી વાત ભાઈ ! આવો અનુભવ પ્રગટપણે સુગમ છે.” એટલે શું! ભગવાન આત્મા અને રાગ એ બન્ને ભિન્ન છે. ત્રિકાળી ચૈતન્ય દ્રવ્ય ભિન્ન છે તેથી તે રાગના-વિકલ્પમાં આવતું નથી. આ રીતે પ્રગટપણે બન્ને ભિન્ન છે તેથી આવો અનુભવ પ્રગટપણે સુગમ છે. આવો અનુભવ પ્રગટપણે કેમ સુગમ છે? કહે છે કે ત્રિકાળી ચૈતન્ય જ્ઞાનાનંદ સ્વભાવ છે તે તો એકરૂપ રહેલો છે. આ રાગાદિ છે તેમાં એ ચૈતન્યદ્રવ્ય આવતું નથી માટે રાગાદિથી ભિન્ન ચૈતન્ય દ્રવ્યનો અનુભવ સુગમ છે. જિનેશ્વરદેવ પરમાત્માની વાતો આવી છે. પ્રશ્ન- કોઈ ઠેકાણે તો એમ આવે છે કે-આવો અનુભવ કરવો કઠણ છે. ઉત્તર- કઠણ એટલા માટે કહ્યું કે-તેને અનાદિથી રાગની સાથે એકત્વના સંસ્કાર છે. અહીં તો કહે છે જ્યાં વસ્તુ જ અખંડ આખી પડી છે તો તેનો અનુભવ સુગમ છે. બન્ને અપેક્ષાથી વાત છે. (૧) અનાદિથી રાગને પોતાનો માન્યો છે એ સંસ્કારને લઈને રાગથી છૂટું પડવું દુર્લભ છે. (૨) અહીં તો કહે છે કે ત્રિકાળી વસ્તુ વિદ્યમાન છે. રાગાદિ ભાવ તો વિકૃતક્ષણિક થાય છે. ભગવાન આત્મા.. ચૈતન્યદ્રવ્ય અનાદિ અનંત કાયમ વિકારી ભાવોથી Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008257
Book TitleKalashamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2002
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy