SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫ સવિકલ્પતા નિર્વિકલ્પતા ( પરિણમેતે) કર્તાપણું અકર્તાપણું ઈન્દ્રિયજ્ઞાનની પર્યાયનો સ્વીકાર સહજ વસ્તુ સ્થિતિનો સ્વીકાર વિનશ્વરતા અવિનશ્વરતા જાણે છે તો જ્ઞાનની બહાર વયો ગયો. જણાય છે તો ઉપાદાનમાં આવી ગયો ધ્યાનતત્ત્વ છે ધ્યેય તત્ત્વ છે સ્વપર પ્રકાશકની મુખ્યતા ઉપાદેયની મુખ્યતા આમ બન્નેનાં વાચ્યમાં ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ જેટલો તફાવત છે. જે જાણે છે તે હું નથી પરંતુ જે જણાય છે તે હું છું. શ્રુતજ્ઞાન પલટે છે પણ તેનો વિષય પલટતો નથી. જ્ઞયો તો મુકુરવત્ જ્ઞાનમાં પ્રતિભાસે છે, તો પછી પદાર્થો જણાય છે? કે: સ્વચ્છતા જણાય છે? સ્વચ્છતા જ્યાં દેખાણી ત્યાં તો જ્ઞાન પરશયોથી પરામુખ થઈ જાય છે. અને જ્ઞાયકોન્મુખી પરિણમન થઈ જાય છે. પૂ. ગુરુદેવશ્રીએ શ્રી સમયસારની ૬ઠ્ઠી ગાથાનાં પ્રવચનમાં ફરમાવ્યું છે કે “જણાય છે તે ચીજ જણાતી નથી પણ જાણનારો જણાય છે.” (૫) જૈનદર્શનનો સાર સ્પષ્ટ કરનાર પૂ. ભાઈશ્રી: “હું જાણનાર છું કરનાર નથી જાણનારો જણાય છે, ખરેખર પર જણાતું નથી.” “હું જાણનાર છું” એટલે અનાદિ અનંત નિષ્ક્રિય જાણનાર છે. પરિણામ માત્રથી રહિત છે તેવો જાણનાર છે. કરનાર નથી એટલે પરિણમનાર નથી. આત્મા આત્મજ્ઞાનનો પણ કરનાર નથી. અર્થાત્ આત્માથી પણ આત્મજ્ઞાન થતું નથી. આત્મા કેવળ જાણનાર હોવાથી કરનાર નથી. આત્મા અકર્તા હોવાથી કરનાર નથી. આ અકર્તાને કર્મ ન હોય. “નિષ્ક્રિય શુદ્ધ પારિણામિક:” હોવાથી કર્તા નથી. “તદ્દરૂપો ન ભવતિ' માટે કર્તા નથી. કદાચિત કોઈ જાણનારને કરનાર માને તો પણ કરનાર થતો નથી. એ તો જાણનાર 9 જેને પરિણામથી સહિત જ્ઞાયક દેખાય છે તેને નિયમથી કરનાર દેખાય છે. અમારે તો “હું જાણનાર છું” તે જ વાત કરવી છે. હવે બીજું વાક્ય: જાણનારો જણાય છે.” તેમાં જાણનારને જાણું છું તેમ નથી લખ્યું. લખ્યું છે? જાણનારો જણાય છે તેમ જાણીને કીધું ને?! આત્મા જાણનાર છે અને જાણનાર જણાય છે તે જ વાત કરવી છે. આત્મા જાણે છે તે વાત જ કરવી નથી. આત્મજ્ઞાનમાં જો આત્મજ્ઞાન પણ ન જણાતું હોય તો પછી પરની તો વાત જ ક્યાં કરવી !! આત્મજ્ઞાનમાં તો “હું જાણનારો છું' તેમ જણાય છે તે જ આત્મજ્ઞાન છે. પછી. ખરેખર પર જણાતું નથી” તેમ લખ્યું છે, પરને જાણતો નથી તેમ સ્ટીકરમાં નથી લખ્યું. જ્યાં પર જણાતું નથી તો પછી પરને જાણતો નથી તે વાત તો ઘણી સ્થૂળ થઈ ગઈ. સાધકને પોતાને જાણતાં પર જણાઈ જાય છે ને! તે ચારિત્રનો દોષ છે. પર જણાય છે તેમાં કોઈ દિવસ “હ” નહીં પાડતા હોં!! પર જણાતું નથી એ સ્વરૂપાચરણ ચારિત્રની વિધિ છે. પરને જાણે છે તે શ્રદ્ધાનો દોષ છે. પર જણાય જાય છે તે ચારિત્રનો દોષ છે. પરને જાણતો એ નથી અને પર જણાતું એ નથી તે ચારિત્રનો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008256
Book TitleJarnaro Janai che
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2001
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy