SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત ૧૬૯ સમયે સમયે જણાય છે. શયાકાર અવસ્થામાં પણ ! પણ કેમ કહ્યું? કે સ્વરૂપને જોવાની દશામાં તો જાણનાર જણાય છે પણ સવિકલ્પ દશામાં પર શયો નિમિત્તપણે છે ત્યારે નિમિત્ત જણાતું નથી, નૈમિત્તિક જણાતું નથી પણ સ્વભાવ જણાય છે. cos પ્રભુ! એક વખત તું આ પર પદાર્થ જણાય છે ને રાગ જણાય છે તે છોડી દે. “જાણનાર જણાય છે, પર જણાતું નથી, તેમ લઈ લે!! ત્યારે નિઃશેષપણે ઉપયોગ અંત્તરમાં આવે છે. કાંઈ પણ બાકી રાખ્યા સિવાય આખો ઉપયોગ... ઓલો ઓના તરફ અને આ આના તરફ તેવા ઉપયોગનાં બે ભાગ નથી. નિઃશેષપણે... એટલે કાંઈ પણ બાકી રાખ્યા સિવાય આખો એ ઉપયોગ પર સન્મુખ હતો તે આખો એ ઉપયોગ સ્વસમ્મુખ આવે છે. ૮૦૭ હવે બીજો પારો. જ્ઞાતઃ તે તો તે જ છે. વળી શુદ્ધ થયો; દૃષ્ટિમાં આત્મા આવ્યો તો જ્ઞાયકપણે જણાયો. જાણનારપણે જણાયો. હું કરનાર છે તે ગયું. જ્ઞાયકપણે તેવા શબ્દો છે. સંસ્કૃતમાં છે “જ્ઞાતઃ” જ્ઞાયકપણે જણાયો, પરનાં કામ કરે તેવો જણાયો.. પરનાં કામ કરે તેવો આત્મા છે નહીં તો તેવો જણાયો ક્યાંથી ? કરનારો જુદો ને જાણનારો જુદો છે. ૮૦૮ જ્ઞાતઃ જ્ઞાયકપણે આત્માનો સ્વભાવ જાણવું... જાણવું... છે. જાણનાર જાણનાર... જાણનાર. જાણનારપણે આત્મા જણાય છે. અત્તરદષ્ટિ વડે જોનારને આત્મા રાગનો કરનાર છે; પર્યાયનો કરનાર છે; તેમ જણાતું નથી. “જાણનારપણે જણાયો ; જ્ઞાયકપણે એટલે જાણનારપણે જણાયો જેવો હતો તેવો જણાય ગયો. હતો તો પ્રથમથી જ જાણનાર પણ માનતો ન હતો. COC | તિર્યંચે પણ પૂર્વે દેશના લબ્ધિ સાંભળી હોય તો તેને પણ નિસર્ગજ સમ્યક્દર્શન થઈ શકે છે. એવો જે ભગવાન આત્મા જાણનારપણે જણાયો..! પછી નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવે છે... ત્યારે ઉપકારી ગુરુ ઉપર લક્ષ Please inform us of any errors on [email protected]
SR No.008256
Book TitleJarnaro Janai che
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2001
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy